________________
શ્રી નિદષટત્રિશિકા પ્રકરણ.
૨૧૯ - વિવેચન—લકાકાકાશના એટલે ચોદ રાજલકના પ્રદેશ અસંખ્યાતા છે અને તેટલા જ પ્રદેશ એક જીવના પણ છે, એટલે કે તે બન્નેના પ્રદેશની સંખ્યા સરખી છે પણ ન્યૂનાધિક નથી; કારણ કે કેવળીસમુદ્દઘાતમાં કેવળી પિતાના પ્રદેશવડે સમસ્ત કાકાશને પૂરે છે. તે જ જીવ જ્યારે અત્યંત સકેચને પામે છે ત્યારે તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી થાય છે. એવી અવગાહનાવાળું જે શરીર તે નિગોદ છે. તેમ જ એક ગેળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસંખ્યાતી નિગદનો જે સમૂહ તે ગેળે છે, માટે એ ત્રણેની અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. ૧૩ છે
હવે નિગોદ વિગેરેની સમ અવગાહનાનું સમર્થન કરે છે –
जमि जिओ तमेव निगोओ तो तंमि चेव गोलोऽवि । निप्फजइ जं खित्ते, तो ते तुल्लावगाहणया ॥ १४ ॥
અર્થ –(કવિ) જે ક્ષેત્રમાં (મિતિ) જ્યાં જીવ છે (તમે નિશ) ત્યાં જ નિગોદ છે (ત સંમિ જેવ) અને તે જ ક્ષેત્રમાં (ઢોવિ) ગેળો પણ (નિઝર) નીપજે છે; (તો) તેથી કરીને (તે તુવરાપિયા) તે ત્રણે સરખો અવગાહનાવાળા છે.
વિવેચન–જે ક્ષેત્રમાં એક નિગોદ રહેલી છે, તેની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ જાણવી, એટલે કે અસંખ્યાતા આકાશપ્રદેશરૂપ અંગુલને અસંખ્યાતમે ભાગ જાણ. તે નિગોદમાં રહેલ દરેક જીવની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે નિર્ગદરૂપ તેનું શરીર છે. તેમ જ ગોળાની અવગાહના પણ તેટલી જ છે, કારણ કે તે વિવક્ષિત નિમેદની અવગાહના સરખી એકાવગાહનાવાળી બીજી અસંખ્યાતી નિગદ જે ત્યાં જ રહેલી છે તેને બને છે. હવે તે ગોળ જેટલા પ્રદેશમાં રહ્યો છે, તેની એક પ્રદેશની શ્રેણિને છોડતી અને બીજી બાજુએ વ્યાપતી છએ દિશામાં બીજી અસંખ્યાતી નિગોદે છે, તેને એટલે ભાગ વિવક્ષિત ગેળામાં આવે છે તે વિવક્ષિત ગોળામાં ગણ અને બાકી રહેલા અવગાહનાનો ભાગ બીજા ગોળામાં ગણ. આમ હવાથી જીવ, નિગોદ અને ગોળાની અવગાહના સરખી જાણવી ૧૪
આ ગાથામાં પ્રશ્નરૂપે એ ત્રણ અભિધેય કહે છે – उक्कोसपयपएसे, किमेगजीवप्पएसरासिस्स । हुजेगनिगोयस्स व, गोलस्स व किं समोगाढं? ॥१५॥