________________
શ્રી પંચનિર્ચથી પ્રકરણ
૧૯૫ ત્તિ જ ) એ છએ નિર્ગસ્થના પ્રત્યેકના (વારિરિઝવાળા) ચારિત્રના પર્યાયે અનંતા છે. ૬૧.
હવે પંદરમું સંનિકર્ષ દ્વાર કહે છે- ' सट्ठाणसंनिगासे, पुलओ पुलयस्स पजवोहि समो। हीणहिओ छठाणा, परठाणकसाइणो एवं ॥ ६२ ॥
અર્થ–સંનિકર્ષ એટલે પરસ્પર સંયોગ. (રાજનિrણે) અહિ સ્વસ્થાનને સંનિકર્ષ પરસ્પર ( સો) પયોની વિશુદ્ધિવડે સમાન હોય છે, ( શ્રીહિ ) અવિશુદ્ધ પર્યાયના યોગથી હીન હોય છે તથા વિશુદ્ધતર પર્યાયના
ગથી અધિક પણ હોય છે. સંનિકર્ષ બે પ્રકારે છે–૧ સ્વસ્થાન સંનિકર્ષ. ૨ પરસ્થાન સંનિકર્ષ. સ્વસ્થાન સંનિકર્ષ એટલે સ્વજાતિમાં એકબીજા સાથે (પુરુશો. પુરુચર) પુલાકના પુલાક સાથે અને (ઉદારતા) પરસ્થાન એટલે ભિન્ન જાતિ સાથે જેમકે પુલાકનો કષાયકુશલ સાથે કેવી રીતે સવિર્ષ હોય ? તે બંને પ્રકાર કહે છે –
પુલાકનો સ્વસ્થાન સંનિકર્ષ આ પ્રમાણે –ગુલાકના પુલાક સાથે સરખા પણ હોય એટલે અમુક અમુક પય વિશુદ્ધિમાં સરખા હોય તથા અવિશુદ્ધિમાં હીન પણ હોય એટલે એકથી બીજાના વિશુદ્ધિના પર્યાય ઓછી વિશુદ્ધિવાળા પણ હોય અને વિશેષ વિશદ્ધિવાળા પણ હોય. એવી રીતે જે હીનાધિક હોય તે (છઠ્ઠા) છ પ્રકારે હીન હોય અથવા જ પ્રકારે અધિક હોય તે (પૂર્વ) આવી રીતે– હીનનાં છ સ્થાન
વૃદ્ધિનાં છ સ્થાન ૧ અનંત ભાગ હીન
૧ અનંત ભાગ અધિક ૨ અસંખ્યાત ભાગ હીન
૨ અસંખ્યાત ભાગ અધિક ૩ સંખ્યાત ભાગ હીન
૩ સંખ્યાત ભાગ અધિક ૪ સંખ્યાત ગુણ હીન
૪ સંખ્યાત ગુણ અધિક ' ૫ અસંખ્યાત ગુણ હીન
૫ અસંખ્યાત ગુણ અધિક ૬ અનંત ગુણ હીન
૬ અનંત ગુણ અધિક એમ સ્વસ્થાને છ પ્રકારે પરસ્પર હીનાધિક હોય. હવે પરસ્થાને આ પ્રમાણે હાય-કષાયકુશીલની અપેક્ષાએ પુલાક સમહીનાધિક છ સ્થાને હોય. એટલે પુલાક કષાયકુશીલથી હીન વો તુય વા અધિક હોય. કારણ કે પુલાકના તથા કષાયકુશીલના સર્વ જઘન્ય સંયમસ્થાનક શરૂઆતથી