________________
૭ ૦
પ્રાવધ-વિવેચન ભાગ-૨
99
પત્ની બીજી સાતે કહે : “મૂર્ખ કહે તે ના કરો. કરગરી સુભદ્રા બોલી કે “કરુણા કરી ના પરિહરો.’’ માને નહીં ત્યારે કહે : “સંયમ અમે સૌ પાળીશું, ને આપ સમ ઉત્તમ પુરુષને અનુસરીને ચાર્લીશું.'’ ૩૦
અર્થ :– ધન્યકુમારને કુલ આઠ સ્ત્રીઓ હતી. તેથી બીજી સાતે પત્નીઓ કહેવા લાગી કે આ મૂર્ખા કહે તેમ ના કરો. ત્યારે સુભદ્રા પણ કરગરીને કહેવા લાગી કે તે નાથ ! કરુણા કરીને અમને પરિહરો નહીં. છતાં ધન્યકુમારે તે માન્યું નહીં. ત્યારે આઠેય કહેવા લાગી કે અમે પણ સૌ સંયમ પાળીશું અને આપ સમાન ઉત્તમ પુરુષને અનુસરીને જ ચાલીશું. ।।૩||
તે સાંભળી ‘શાબાશ' કહી લઈ સાથે ચાલી નીકળ્યા,
શ્રી શાલિભદ્ર કને જઈ ક્હેઃ “કેમ નિર્ભય થઈ રહ્યા?
વિશ્વાસ કોને કાળનો? તત્પર થઈ જાઓ હવે! બત્રીસ દિનની ઢીલ ના વેરાર્ડીને ક પાલવે. ૩૧
અર્થ :આઠેય પત્નીઓની ઉત્તમ ભાવના સાંભળીને તેમને શાબાશી દઈ, સર્વને સાથે લઈને ઘરથી ચાલી નીકળ્યા. અને શ્રી શાલિભદ્રની પાસે આવીને કહેવા લાગ્યા કે કેમ નિર્ભય થઈને રહ્યા છો? કાળનો કોને ભરોસો છે? કે તે બત્રીસ દિવસ સુધી ન જ આવે. હવે તૈયાર થઈ જાઓ. બત્રીસ દિવસની ઢીલ વૈરાગીને પાલવે નહીં. શુભ કાર્ય તો શીઘ્ર જ કરવું જોઈએ. ।।૩૧।।
વૈભારગિરિ ૫૨ તીર્થપતિ આવી રહ્યા સદ્ભાગ્યથી, દીક્ષા હવે લઈશું ચો વીરહાથ સૌ સદ્ભાવથી.’’ કહી તુર્ત ચાલ્યા, નીરખીને તે શાલિભદ્ર ત્વરા કરે; વૈરાગ્યવંતની સંગતિ ઉત્સાહ અતિશય ઉર ભરે. ૩૨
અર્થ :— વૈભારગિર ઉપર તીર્થપતિ ભગવાન મહાવીર આપણા સદ્ભાગ્યથી આવી રહ્યા છે. માટે હવે ચાલો આપણે બધા સદ્ભાવથી તેમના હાથે દીક્ષા લઈશું. એમ કહી તેઓ તુર્ત ચાલતા થયા. તે નીરખીને શાલિભદ્ર પણ હવે ત્યાગ માટે ત્વરા કરવા લાગ્યા. કેમકે વૈરાગ્યવંતની સંગતિ પણ અતિશય ઉત્સાહને હૃદયમાં ભરનાર હોય છે. ૩રા
(૫૮)
માથે ન જોઈએ
ભાગ-૨
(હરિગીત) *
દેખો શ્રી શાલિભદ્ર ને ઘનશેઠની કૃતાર્થતા, આત્મારૂપે જેનું બન્યું મન ઘર તજી ચાલી જતા