________________
(૭૬) મોક્ષ-માર્ગની અવિરોધતા
ડર શાનો? વાદવિવાદ કે મતભેદ શાનો? માત્ર શાંતપણે તે જ ઉપાસવા યોગ્ય છે.” (પૃ.૭૭ર) ||૧૨|| “ઠે! નાથ, ન નિર્ણય કર્મ-ઉદયથી બનતો.” સદ્ગુરુ ઉત્તર દે : “પામ્યો છે તું મન, જો; જીવ-જંતુ મન વણ વિચાર કરી ના શકતા, સાંસારિક નિર્ણય તો જન મનથી ઘડતા. ૧૩
૨૬૧
અર્થ :– જિજ્ઞાસુ કહે :‘હે નાથ! મારા કર્મના ઉદયથી હું આત્મકલ્યાણ કરવાનો નિર્ણય કરી શકતો નથી.’’ ત્યારે સદ્ગુરુ ઉત્તરમાં જણાવે છે કે તું મન પામ્યો છે ને. મન વગર અસંશી પંચેન્દ્રિય સુધીના જીવો વિચાર કરી શકતા નથી. જ્યારે તું તો મનસહિત હોવાથી સાંસારિક નિર્ણયો બધા ઘડે છે. 119311
તું તે જ શક્તિ જો ધર્મ-વિચારે જોડે, તો નિર્ણય સાચો બને કર્મ સૌ તોડે.” જિજ્ઞાસુ વીનવે : “મોઠ હન્ને સમકિતને, સમતિ વિના ના દીક્ષા ફળ દે અમને.” ૧૪
તું
અર્થ :— તું તે જ નિર્ણય કરવાની શક્તિને જો ઘર્મ વિચારમાં જોડે તો જરૂર આત્માને કહ્યાણરૂપ સાચો નિર્ણય થાય અને સર્વ કર્મને તોડી શકે. ત્યારે જિજ્ઞાસુ વિનયપૂર્વક કહે : હે ગુરુદેવ! આ મોહનીય કર્મ અમને સમકિત થવા દેતું નથી. અને સમકિત થવા માટે ‘કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ,’ સંસાર પ્રત્યે વૈરાગ્ય તથા પોતાના આત્માને જન્મમરણથી મુક્ત કરવા માટેની સ્વદયા હોવી જોઈએ; તે ભાવોને આ મોહ હણી નાખે છે. વળી સમકિત વિના જિનદીક્ષા પણ મોક્ષફળને આપતી નથી. ।।૧૪।
ત્યાં બોધે સદ્ગુરુ : “મુખ્ય ધ્યેય પર મનમાં કે તત્ત્વ તણો નિર્ણય કરવો નર-તનમાં; પુરુષાર્થ કરે જો ધરી દાઝ મન સાચે, તો મંદ મોહ થઈ સમકિત લે વણ યાગ્યે. ૧૫ અર્થ :– ત્યાં સદ્ગુરુ ભગવંતે બોધમાં એમ જણાવ્યું કે પ્રથમ તું મનમાં આ મુખ્ય ધ્યેયને ધારણ કર કે મારે આ મનુષ્યદેહમાં અવશ્ય આત્મતત્ત્વનો નિર્ણય કરવો જ છે, કેમકે -
—
“મુખ્ય અંતરાય તો તે જીવનો અનિશ્ચય છે.” શ્રીમદ્ રાજચંદ્ર
જો મનમાં આ કાર્યની સાચી દાઝ રાખી પુરુષાર્થ કરે તો જીવનું મોહનીયકર્મ મંદ થઈ વગર માગ્યે તે સમકિતને પામે છે. ।।૧૫।।
એ સત્પુરુષાર્થે મોક્ષ-ઉપાયો ફળશે, સૌ સાથન તેથી જરૂર આવી મળશે;
ના તત્ત્વ-નિર્ણયે દોષ કર્મનો કોઈ, એ ભૂલ ખરેખરી તારી તેં ના જોઈ. ૧૬ અર્થ :— – એ આત્મતત્ત્વ સંબંઘી નિર્ણય કરવાના સત્પુરુષાર્થથી મોક્ષના સર્વ ઉપાયો ફળીભૂત થશે. તથા આત્મકલ્યાણ કરવાના શેષ સાધનો પણ જરૂર આવી મળશે, તારે તત્ત્વ નિર્ણય કરવો હોય તો તું કરી શકે છે. એમાં કોઈ કર્મનો દોષ નથી. એ ભુલ ખરેખર તારી છે; પણ આજ દિવસ પર્યંત તેનો તને ખ્યાલ આવ્યો નહીં. પ.પૂ.પ્રભુશ્રીજી કહે અમે પહેલા કથાનુયોગ વાંચતા અને આનંદ માનતા પણ પરમકૃપાળુદેવ મળ્યા પછી જણાવ્યું કે તાત્ત્વિક ગ્રંથો વાંચો. હવે તો તે જ ગમે છે. ।।૧૬।।
સંસાર કાર્યમાં થતી ન પુરુષાર્થ-સિદ્ઘિ, પણ તોય કરે પુરુષાર્થથી ઉદ્યમવૃત્તિ; તું મોક્ષ-માર્ગમાં પુરુષાર્થ ખોઈ બેસે, હજું તેથી ન હિતરૂપ તે તુજ ઉરમાં દીસે. ૧૭
=
અર્થ – સંસારના કાર્યોમાં કરેલ પુરુષાર્થની સિદ્ધિ ન થાય ત્યારે વિશેષ પુરુષાર્થ વધારીને પણ કાર્યની સિદ્ધિ કરવા જીવ મળે છે. જ્યારે મોક્ષમાર્ગમાં તું પુરુષાર્થને ખોઈ બેસે છે. તેથી એ સિદ્ધ થાય છે કે તને હજુ આત્મતત્ત્વનો નિર્ણય સુખરૂપ છે અથવા એ વડે મારા આત્માનું કલ્યાણ થશે એ ભાવ હજુ