________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
પ્રભાકરી નગરી વિષે જન્મે નૃપ-કુમારો રે, સ્તિમિતસાગર-પરે સ્ફુરે કુલદીપક સંસ્કારો રે, ૯
અર્થ :– મહાવિદેહ ક્ષેત્રમાં પ્રભાકરી નગરીમાં સ્ક્રિમિતસાગર રાજાના ઘેર રાજકુમારો તરીકે બેય જન્મ પામ્યા. કુળને દીપાવે એવા સંસ્કારોથી યુક્ત બન્ને કુમારો વૃદ્ધિ પામવા લાગ્યા. IIĪ (અપરાજિત નામે થયો, અમિતતેજ-જીવ મોટો રે, અનંતવીર્ય સુનામથી શ્રીવિજય-જીવ છોટો રે. ૧૦
અર્થ :— જે પૂર્વભવમાં અમિતતેજ હતો તે હવે અપરાજિત નામે મોટો ભાઈ થયો તથા પૂર્વભવમાં જે શ્રી વિજય હતો તે અહીં અનંતવીર્ય નામનો નાનો ભાઈ થયો. ।।૧૦।
બળભદ્ર, વાસુદેવ બે ઊછરે પુણ્ય પ્રમાણે રે;
કિરાી બર્બરી બે નટી નાચતી હતી જે ટાણે ૨, ૧૧
અર્થ :— મોટોભાઈ અપરાજિત તે બળદેવ અને નાનોભાઈ અનંતવીર્ય તે વાસુદેવ થવાનો છે. તે પુણ્ય પ્રમાણે અત્રે ઊછેર પામે છે. એકવાર કિરાતી અને બર્બરી નામની બે દાસીઓ જે ગીત નાટય કળામાં ઘણી કુશળ હોવાથી સુંદર ગાયન અને નૃત્ય કરતી તે યુવતીઓ બલભદ્ર અને અનંતવીર્યના ચિત્તને રંજન કરતી હતી. ।।૧૧।।
અભિનય ભાવે સર્વનાં ચિત્ત હરી તે લેતી રે;
નારદ ઋષિ આવ્યા છતાં, માન સભા ના દેતી રે. ૧૨
૩૫૯
અર્થ :— તે અભિનય એટલે મનોભાવદર્શક એવું નૃત્ય કરતાં સર્વના ચિત્તને હરણ કરતી હતી. તે સમયે નારદ ઋષિ ત્યાં આવ્યા છતાં સભામાં કોઈએ તેમને માન આપ્યું નહીં. ।।૧૨।
અપમાનિત પાછા ગયા, દમિતારિની પાસે રે, માન દઈ સામો જઈ ઋષિને તે ઉપાસે રે. ૧૩
અર્થ :– અપમાનિત થયેલા નારદ પાછા ફર્યા અને દમિતારિ નામના પ્રતિ વાસુદેવની પાસે ગયા. ત્યારે દમિતારિએ તેમની સામે જઈ માન દઈને તે ઋષિની ભક્તિપૂર્વક ઉપાસના કરી. ।।૧૩।।
પૂછે પછી : “આશ્ચર્ય શું અપૂર્વ આપે ભાળ્યું રે’ “પ્રભાકરી નગરી વિષે ની-નાટક નિહાળ્યું ૨ે,” ૧૪
..
અર્થ :— પછી રાજાએ નારદ ઋષિને પૂછ્યું કે આપ સર્વત્ર ફરો છો તો આ જગતમાં અપૂર્વ આશ્ચર્યકારક એવું આપે શું ભાળ્યું ? ત્યારે અવસર જોઈ નારદ બોલ્યા : પ્રભાકરી નગરીમાં નટીઓનું એક નાટક મેં નિહાળ્યું છે. ।।૧૪।।
મેં
એમ કહી આશ્ચર્યથી નારઢ વદન વિકાસે રે
“એ બે ની ચકી-સભા માટે જન્મી ભાસે ૨, ૧૫
અર્થ :— “એમ કહીને આશ્ચર્યથી નારદનું મુખ વિકસિત થયું અને જણાવ્યું કે એ બે નટીઓ તો તમારા જેવા ચીની સભા માટે જ જન્મી હોય એમ લાગે છે. ।।૧૫।।