________________
3७४
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
યોગ્ય વસ્તુઓના ચાર ભેદ છે. //સા.
જ્ઞાન, દવા, આહાર ને અભયદાન એ ચારે રે,
પરંપરાએ મોક્ષ દે, મનાય એ સુવિચારે રે. ૪ અર્થ - જ્ઞાનદાન, ઔષઘદાન, આહારદાન અને અભયદાન; એ ચાર પ્રકારના દાન છે. જે પરંપરાએ જીવને મોક્ષનું કારણ થાય છે. આ વાત સુવિચાર કરવાથી મનાય છે. જા.
મોક્ષમાર્ગમાં સ્થિત છે, પોતે તરીને તારે રે,
દાન-યોગ્ય સુપાત્ર તે, બોઘ દઈ ઉદ્ધારે રે. ૫ અર્થ:- જે જ્ઞાનના બળે મોક્ષમાર્ગમાં સ્થિત છે અને જે પોતે તરીને બીજાને તારે છે. તે દાન દેવા યોગ્ય સુપાત્ર મહાત્મા છે કે જે બોઘ દઈ બીજાનો પણ ઉદ્ધાર કરે છે. પા.
માંસાદિ ના દેય છે, પાત્ર ન તે જો યાચે રે,
દાતા નહિ દેનાર તે; નરક-હેતુ તે સાચે રે. ૬ અર્થ - માંસ મદિરાદિ વસ્તુઓ દાનમાં દેવા યોગ્ય નથી. જે આવી પાપમય વસ્તુની યાચના કરે તે પાત્ર જીવ નથી. તથા આવી હિંસક વસ્તુને દાન તરીકે આપનાર તે દાતા નથી. ખરેખર એ બધા નરકગતિના કારણો છે. દા
તેથી ગીઘ ન પાત્ર છે, કબુંતર દેય ન જાણો રે,”
સુણ એ દેવ કરે સ્તુતિ, દાન-વિવેક વખાણ્યો રે. ૭ અર્થ - તેથી ગીઘ એ દાન લેવાને પાત્ર જીવ નથી, અને કબૂતર એ કંઈ દાન દેવા યોગ્ય પદાર્થ નથી. આવા મેઘરથ રાજાના વચનોને સાંભળીને જ્યોતિષી દેવે પોતાનું વાસ્તવિક સ્વરૂપે પ્રગટ કર્યું અને મેઘરથ રાજાએ બતાવેલ ઉત્તમ દાન વિવેકના ખૂબ વખાણ કરી તેમની સ્તુતિ કરી. IIળા
વસ્ત્રાભૂષણ દઈ ગયો, કરી કુસુમની વૃષ્ટિ રે,
ઇંદ્ર ફરી સ્તુતિ કરેઃ “ઘન્ય! ઘીર સુદ્રષ્ટિ રે!” ૮ અર્થ - પછી દેવે ખુશ થઈ પુષ્પોની વૃષ્ટિ કરી, ઉત્તમ વસ્ત્ર આભૂષણ આપીને દેવલોકે ગયો. હવે એક દિવસ મેઘરથ રાજાએ નંદીશ્વર પર્વમાં મહાપૂજા કરીને ઉપવાસ કર્યો. તે જ રાત્રિએ પ્રતિમા ઘારણ કરીને મેરુપર્વતની જેમ ધ્યાનમાં અડોલ સ્થિર હતા ત્યારે દેવલોકમાં ઈશાનેન્દ્ર ફરી દેવોની સભામાં હર્ષથી કહ્યું કે “અહો આશ્ચર્ય છે કે આ સંસારમાં તું જ શુદ્ધ સમ્યકુદ્રષ્ટિ છો અને તે જ ખરેખર થીર-વીર છો. દા.
પ્રશ્ન પૂછતાં તે કહે: “મેઘરથ પરિણામો રે,
પ્રતિમાનુયોગે સ્થિર છે, તેને કરું પ્રણામો રે.”૯ અર્થ - એમ ઇન્દ્રને સ્તુતિ કરતા સાંભળીને દેવોએ ઇન્દ્રને પૂછ્યું કે આપ કયા સજ્જન પુરુષની આ સ્તુતિ કરો છો? ત્યારે ઇન્દ્ર કહ્યું મેઘરથ રાજા શુદ્ધ સમ્યષ્ટિ છે અને આજે તેઓ મેરુપર્વત જેવી અડોલ પ્રતિમા ઘારીને શુદ્ધભાવમાં સ્થિત છે. તેમને હું ભાવભક્તિથી પ્રણામ કરું છું. ગાલા