________________
(૧૦૪) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૬
સી-મન પરપુરુષ ના પેસે, સ્વતંત્ર દાસ્ય ન ઘારે રે,
પાત્રદાન પ્રતિ પાપી મન સમ, ચક્ર ખસે ન લગારે રે. પરો૦ વિ॰
અર્થ :– સતીનું મન પરપુરુષમાં પેસે નહીં, સ્વતંત્ર પુરુષ દાસ્ય એટલે દાસપણાને ધારણ કરે નહીં, પાત્રદાન પ્રત્યે પાપીનું મન પિગળે નહીં તેમ ચક્ર પણ નગરમાં પ્રવેશ કરવા લગાર માત્ર ખસતું નથી. ।।૧૧૬।।
પુરોહિત પૂછ્યાથી બોટો : “જિતાયા નહિ ભાઈ રે, તેથી ચક્ર પુરે ના પેસે, ચક્ર સહે ન સગાઈ ૨ે.” પરો॰ વિ
અર્થ :– પુરોહિતના પૂછ્યાથી તેણે કહ્યું ઃ તમારા ભાઈ હજી જિતાયા નથી. તેથી આ ચક્રરત્ન નગરમાં પેસતું નથી. ચક્ર કંઈ તમારા ભાઈની સગાઈને સહન કરે નહીં. ।।૧૧૭||
અઠ્ઠાણું ભ્રાતાની પાસે, દૂત મોકલી બોલાવે રે,
ભરત-આજ્ઞા કોઈ ન માને, પ્રભુને સઁવા આવે રે. પરો વિ
અર્થ :• અઠ્ઠાણું ભાઈઓ પાસે દૂત મોકલી ભરતરાજાએ તેમને બોલાવ્યા પણ ભરતની આશા કોઈએ માન્ય કરી નહીં. પણ પ્રભુને તે સંબંધી સૌ પૂછવા આવ્યા. ।।૧૧૮।।
વિનયસહિત નીને સૌ પૂછે : ‘‘રાજ્ય દીઘાં, પ્રભુ, આપે રે,
આણ મનાવે ભરત હવે શી? મોટા થઈ સંતાપે રે. પરો॰ વિ
૫૩૯
અર્થ :– વિનયસહિત પ્રભુને નમી સૌ પૂછવા લાગ્યા કે પ્રભુ! આપે અમને રાજ્ય આપ્યા, છતાં ભરત રાજા થઈ શાની આણ મનાવા મથે છે? શું મોટાભાઈ થઈ અમને સંતાપે છે?।।૧૧૯
આપ કહો તે સર્વ કરીશું, આપ જ પુજ્ય અમારે રે,
,,
એક જ ઘી ઘાર્યા તે થાર્યા, તે તારે કે મારે રે.” પરો વિ
અર્થ – આપ હે પ્રભુ! જે કહો તે સર્વ અમે કરીશું. આપ જ અમારે તો પૂજ્ય છો. “એક જ ઘણી ધાર્યા તે ઘાર્યા, તે તારે કે મારે.' એ સિવાય બીજો ઘણી અમે ઘારવાના નથી. ।।૧૨૦૦૦
(૧૦૪)
શ્રી ઋષભ જિનેશ્વર
ભાગ-૬
(રાગ : છઠ્ઠી સૃષ્ટિનો. ભોલીડા હંસા રે વિષય ન રાચિયે)
*
ઋષભ પ્રભુને ૨ કુટુંબી વિશ્વ સૌ; વદતા પૂર્વ-પ્રયોગઃ
-----... “માનવભવ આ રે દુર્લભ આવિયો, ફરી ફરી આવે ન યોગ.
જાગો હૈ! જીવો રે મોહ કરો પરો.