Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 585
________________ (૧૦૫) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૭ ૫ ૬૫ ગુપ્તતાને ઢાંકે છે. નગ્નપણું શોભાસ્પદ નથી, તે ગમતું નથી. માટે રાય-રંક એટલે રાજા અને ગરીબ સર્વ લોકોએ તે નગ્નતાની અશોભાને ઢાંકવા તથા કૃત્રિમ શોભા બતાવવા માટે આભૂષણોનો ઉપયોગ કરી કળા કરેલ છે. I/૫૦ના શરીર ખરેખર! મળ-મૂત્રાદિક મલિન માલનો બોજો, હાડ-માંસના માળા ઉપર, નાડી-વેલ ચઢ, જોજો રે. પ્રભુજી અર્થ :- આ શરીર ખરેખર જોતાં મળ-મૂત્રાદિક મલિન માલનો જ બોજો છે. તેને આ જીવ ઉપાડીને ફરે છે. આ શરીર હાડ-માંસનો માળો છે. તેના ઉપર નાડીઓરૂપી વેલો ચઢેલી છે. આપના શી વિપરીતતા! યુગલ-પુંજે, મમતા શાની માનું? પરથી શોભે શરીર તો પર, માનું મારું શાનું રે? પ્રભુજી અર્થ:- અહો! કેવી વિપરીતતા! આ પુદ્ગલના પુંજથી બનેલ શરીરમાં હું શાની મમતા કરું છું? આ શરીર પર વસ્તુથી શોભે છે માટે તે પરનું છે. એને હું મારું કેવી રીતે માનું? પરા વિચિત્રતા શી! મમતા માની, વૃથા વેઠતો દુઃખો; શરીર તજી આત્મા ઉડી જાશે, સ્વપસમાં સૌ સુખો રે. પ્રભુજી અર્થ – અહો કેવી વિચિત્રતા, કેવી ભ્રમણા, કેવી ભૂલ કે આ શરીરને મારું માની હું તેના નિમિત્તે વૃથા અનેક પ્રકારના દુઃખો વેઠું છું. કેમકે મારો આત્મા જ્યારે આ શરીરને અહીં જ મૂકી પરલોકે જશે, ત્યારે આ દેહવડે મેળવેલા સર્વ ભૌતિક સુખો તો સ્વપ્ન જેવા થઈ જશે. //પ૩. અંતે શબ બની પડી રહે આ, શંકા એમાં શાની? અત્યારે પણ એ ના જાણે; શબમાં મમતા માની રે. પ્રભુજી અર્થ – અંતે આ કાયા મડદુ બની અહી જ પડી રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અત્યારે પણ આ કાયા કંઈ જાણતી નથી. છતાં મડદા જેવી આ કાયાને જીવે પોતાની માની છે. પ૪. પૂર્વે હર્તા નહિ કાયા મારી, ભાવિમાં ન થવાની, વર્તમાનમાં મારી માની, પણ તે જહૅર જવાની રે. પ્રભુજી અર્થ :- પૂર્વ જન્મમાં આ કાયા મારી નહોતી. ભવિષ્યમાં પણ આયુષ્ય પૂરું થયે આ મારી થવાની નથી. વર્તમાનમાં મેં એને મારી માની છે, પણ તે જરૂર જવાની છે અર્થાત્ એક દિવસે મરણ આવ્યું આ કાયાનો અવશ્ય વિયોગ થશે. પપા થઈના, છે નહિ, થશે નહીં મુજ, મૂર્ણપણે મુજ માનું, કાયા-માયા કરી પરી આ, માનું જે ન જવાનું રે. પ્રભુજી અર્થ:- આ કાયા મારી થઈ નહીં, છે નહીં અને થશે પણ નહીં; છતાં મૂર્ખની જેમ તેને મારી માનું છું, માટે હવે આ કાયાની મોહમાયાને પરી એટલે દૂર કરીને જે કદી મારાથી દૂર જાય નહીં એવા આત્માને જ મારો માનું. પા. મારી કદીયે થતી નથી તો, ઉચિત ન એના થાવું, “મારી મારી કરી મરું પણ, અંતે તર્જીને જાવું રે. પ્રભુજી

Loading...

Page Navigation
1 ... 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623