________________
પ્રાવધ-વિવેચન ભાગ-૨
-
અર્થ :– ઇન્દ્રનું આસન કંપાયમાન થયું. તેથી અવધિજ્ઞાને જાણ્યું કે ભરતરાજા કેવળજ્ઞાની થયા છે, અને ઉદય પ્રમાણે વિચરે છે. ।।૭૧।।
૫૬૮
સ્તવે ઇન્દ્ર આવીને ભાવે : “ધન્ય! કેવળી જ્ઞાની,
પિતા સમ જગને ઉપકારક, અહો! નિરભિમાની રે. પ્રભુજી
=
અર્થ :- ઇન્દ્રે ત્યાં આવી ભાવથી સ્તવના કરતાં કહ્યું છે કેવળજ્ઞાની! આપને ધન્ય છે. પિતા શ્રી ઋષભદેવ સમાન આપ પણ અહીં! નિરભિમાની, જગત જીવોનું કલ્યાણ કરવા માટે હવે ઉપકારક બન્યા છો. ।।૭૨
જ્ઞાન પરમ પામ્યા તપ વિના, ગુઢ તપસ્યા-ધારી, ઇન્દ્રપદ-સંતાપ શમાવવા, સેવા મેં સ્વીકારી છે. પ્રભુજી
અર્થ :— હે અંતરંગ ગૂઢ તપસ્યા-ધારી! આપ બાહ્ય તપ કર્યા વિના પરમ એટલે ઉત્કૃષ્ટ કેવળજ્ઞાનને પામ્યા. આ મારી ઇન્દ્રપદની ઉપાઘિના સંતાપને શમાવવા હું આપની સેવામાં હાજર થયો છું, પરમકૃપાળુદેવ પણ એવા અંતરંગ ગૂઢ તપશ્ચર્યાના ઘારક હતા. ।।૭।
ચરણ-કમળમાં ચિત્ત રહો, પ્રભુ, વિષય-વાસના ટાળો,
કરી કાયકર્ણક હવે ઝટ, જન્મ-મરણ મુજ બાળો છે. પ્રભુજી
અર્થ :– હે પ્રભુ! આપના ચરણકમળમાં મારું ચિત્ત સદાય રહો. મારી વિષય-વાસના ટાળો. કષાયરૂપી કલંકને હવે ઝટ હરી લઈ મારા જન્મમરણને બાળી નાખો. ।।૭૪ના
રાજ્ય પિતા પાસેથી પામી, વૃદ્ધિ કરી દીપાવ્યું,
તેમ જ કાળ યથાર્થ પાકતાં, કેવળ જ્ઞાને આવ્યું રે. પ્રભુજી
અર્થ :– પિતાશ્રી ઋષભદેવ પાસેથી રાજ્ય પામી, તેની વૃદ્ધિ કરી દીપાવ્યું. તેમ જ યથાર્થ કાળ પાકતાં કેવળજ્ઞાન પણ આવી મળ્યું. ॥૫॥
ઘર્મ-વારસો હવે દીપાવો, સહજ સ્વભાવી સ્વામી,
અત્યુત્તમ ઉપદેશે અમને નવરાવો, નિષ્કામી રે." પ્રભુજી
અર્થ :– હે સહજ સ્વભાવી સ્વામી! પિતાશ્રી ઋષભ પ્રભુના ઘર્મ વારસાને હવે દીપાવો. હે નિષ્કામી અતિ ઉત્તમ ઉપદેશ આપી અમને પણ સમતારસમાં સ્નાન કરાવો. ।।૩૬।
સહજ સ્વભાવે ભરત-કેવળી નિર્મમતા ઉપદેશે,
સમતા-૨સ બહુ જીવો ચાખે, જીવન નવું પ્રવેશે રે. પ્રભુજી.
અર્થ :— સહજ સ્વભાવે કેવળી એવા શ્રી ભરતેશ્વરે મમત્વરહિત થવાનો ઉપદેશ આપ્યો. જેથી ઘણા જીવોએ સમતારસને ચાખ્યો અને જાણે નવું જીવન આવ્યું હોય એવો અનુભવ થયો. ।।૭૭।। ગ્રામ, નગર, પુર, પાટણ ફરતાં અષ્ટાપદ પર આવે, વૈરાગ્યે ભરપૂર કરીને શ્રોતાને સમજાવે છે. પ્રભુજી
અર્થ :– ઋષભસ્વામીની જેમ કેવળી થયેલા ભરતમુનિ; ગ્રામ, નગર, પુર, પાટણ વગેરેમાં