________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
૫૫૮
મારું આ મન અનાય જેવું થઈને ભમ્યા કરે છે. રા
ત્રિભુવનના આધાર હતા, પ્રભુ, આપ વિના અંઘારું, કોણ હવે આધાર અમારો? શાથી શ્રેય અમારું રે પ્રભુજી
અર્થ :— હે પ્રભુ! આપ ત્રણેય લોકના આધાર હતા. આપ વિના બધે અંધારું છે. હવે અમારે આધાર કોણ? અમારું ોય એટલે કલ્યાણ હવે કોનાથી થાય? ગા
ઉત્તમ કુળમાં અથમ રહ્યો હું આ સંસારે સડતો,
કરુણા કરી ઉદ્ઘાર કરો મુજ, રાખો નહીં રખડતો રે.” પ્રભુજી
અર્થ :– ઉત્તમ કુળમાં જન્મ્યા છતાં હું અધમ રહી આ સંસારમાં જ સડતો રહ્યો. હે પ્રભુ! હવે કરુણા કરી મારો ઉદ્ઘાર કરો. મને હવે આ સંસારમાં રખડતો રાખો નહીં. ||૪||
ઋષભસેન ગણધર કરી કરુણા, આશ્વાસન કે : “ભાઈ,
શોક તણો અવસર ના આજે, ઉત્સવ કરો અઠ્ઠાઈ રે. પ્રભુજી
અર્થ :- ભસેન ગણઘર કરુણા કરીને ભરતરાજાને આશ્વાસન આપતા બોલ્યા કે ભાઈ! આજે આ શોક કરવાનો અવસર નથી. પ્રભુ શાશ્વત સુખરૂપ મોક્ષપદને પામ્યા માટે તેનો અઠ્ઠાઈ મહોત્સવ કરવો ઉચિત છે. ।।૫।।
ભવ થરતા મરતા તે મૂઆ, પ્રભુ તો જીવે નિત્યે,
અજર-અમરતા પામ્યા તેનો ઉત્સવ કરવો પ્રીતે રે. પ્રભુજી
જે
અર્થ :- જે નવા ભવ ધારણ કરવા મરે તે જ ખરેખર મૂઆ છે. જ્યારે પ્રભુ તો આત્માના સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પામવાથી નિત્ય જીવતા રહેશે. તેઓ અજર અમરપદને પામ્યા છે. માટે તેનો પ્રીતિપૂર્વક નિર્વાણ મહોત્સવ કરવો જોઈએ. ।।૬।।
નિરુપમ મોક્ષ-પદે પ્રભુ પહોંચ્યા, ભવસંકટ ઓળંગી,
સમા છો, સંતોષ-સમયમાં ન રહો વિષાદ-રંગી રે. પ્રભુજી
અર્થ :– પ્રભુ તો ત્રિવિધ તાપાગ્નિરૂપ ભવસંકટને ઓળંગી જેની ઉપમા પણ ન આપી શકાય એવા મોક્ષસ્થાનમાં પહોંચ્યા છે, માટે ભરત! તમે સમજુ છો, તેથી આવા સંતોષ અનુભવવાના સમયમાં વિષાદ એટલે ખેદના રંગવાળા પરિણામ મનમાં ન લાવો. ।।ના
ચરમ-શરીરી છીએ આપણે, સમજ્યા સ્વરૂપ કૃપાથી, તે જ રીતે સિદ્ધિપદ વીશું અંતર-કાળ જવાથી રે. પ્રભુજી
અર્થ :— આપણે ચરમ-શરીરી છીએ. આપણા માટે આ છેલ્લો અવતાર છે. પ્રભુ ઋષભદેવની કૃપાથી આપણે આત્મસ્વરૂપને સમજ્યા છીએ. તે જ રીતે અંતર-કાળ એટલે સમયનો અંતર પૂરો થયે આ જ ભવે સિદ્ધિપદ એટલે મોક્ષરૂપી લક્ષ્મીને વીશું, ।।૮।।
મોક્ષ-ભાવના ફળી પિતાની, શોક ઘટે નહિ જરીયે, માત્ર શત્રુજન શોક કરે કર્દી, સ્વજન સર્વ સુખ ઘરિયે રે, પ્રભુજી