________________
૪૬૦
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અર્થ :- ઘર્મ અઘર્મ વિષે કોઈ શંકા કરવી નહીં. કારણ ભોગાદિ સુખમાં એ વિદન કરે છે. માટે હે મહારાજ! એ વિષયમાં નિઃશંક રહો, કારણ ઘર્મ અઘર્મ સસલાના શીંગની જેમ વિદ્યમાન નથી. હું તો આ વાતને ઉઘાડે છોગે સર્વને કહું છું. ૬૮
જ્યાં સુધી આયુષ્ય આ, વિષય-સ્ખથી જીવો રે,
ઘર્મ-અથર્મ કશું નથી, મંત્રી-બોઘ નજીવો રે.” પ્રભુ અર્થ - જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી હે મહારાજ ! વિષયસુખ ભોગવતા જીવન જીવો. કારણ કે આ સંસારમાં ઘર્મ અઘર્મ કશું છે નહીં. મંત્રી સ્વયંબુદ્દે જે આપને ત્યાગનો ઉપદેશ કર્યો તે સર્વ નજીવો એટલે નકામો છે. કા.
સ્વયંબુદ્ધ મંત્રી કહે : “સ્વ-પર-શત્રુ નાસ્તિકો રે;
અંઘ અંઘ-નેતા સમો, મૂખમાં મૂર્ખ અધિકો રે. પ્રભુ અર્થ - સંભિન્નમતિ મંત્રીના વચનો સાંભળી સ્વયંબદ્ધ મંત્રી કહે : અરે! આ નાસ્તિકો સ્વ-પરને મિથ્યા માન્યતાઓ દ્રઢ કરાવનાર પોતાના અને પરના પણ શત્રુ છે. જેમ પોતે અંઘ હોય અને અંઘ ટોળાનો નેતા બની આંધળાઓને દોરે તેના જેવો તે મૂર્ખ શિરોમણિ છે. II૭૦ના
ફૂપે ખેંચી પાડતો, દુબુદ્ધિ દોરે કેવો રે!
સુખ-દુઃખો સમજાય છે સ્વ-સંવેદનથી એવો રે પ્રભુ અર્થ - જેમ કોઈ ખેંચીને કૂવામાં પાડે તેમ દુર્બદ્ધિ એવા નાસ્તિકો, લોકોને આ ભવના પ્રાપ્ત સુખોને છોડવા નહીં કેમકે દેવલોક આદિ કોણે જોયા છે વગેરે જણાવીને આકર્ષણ પમાડે છે. પણ જેમ સુખ કે દુઃખ સ્વ-સંવેદનથી જાણી શકાય છે તેમ આત્માને પણ સ્વ-સંવેદનથી જાણી શકાય છે. (૭૧ાા
આત્મા પણ સમજાય છે; અબાધ્ય અનુભવ માનો રે;
મડદું ના જાણે કશું, જ્ઞાન ગુણ આત્માનો રે. પ્રભુ અર્થ :- આત્માના જ્ઞાનગુણને લઈને સ્વસંવેદનમાં કોઈ બાઘા એટલે રુકાવટ આવતી નથી. હું સુખી છું. હું દુઃખી છું એવો અનુભવ આત્મા સિવાય કોઈને ક્યારેય પણ થઈ શકતો નથી. આંખ કાન આદિ ઇન્દ્રિયો જોવાનું કે સાંભળવાનું બંધ કરી દે તો પણ અબાધ્ય એટલે જેને કદી પણ બાદ કરી શકાય નહીં એવો આત્માનો અનુભવ છે; અને તે જ જીવનું સ્વરૂપ છે. જ્ઞાન ગુણ આત્માનો હોવાથી જ્યારે તે આત્મા શરીરમાંથી બહાર નીકળી જાય ત્યારે તે શરીર મડદું બની જાય છે. પછી મડદું કંઈ પણ જાણી શકતું નથી. II૭૨ા.
બુદ્ધિપૂર્વક જો ક્રિયા, પર દેહે દેખાતી રે,
પર દેહે આત્મા તણી સિદ્ધિ તેથી થાતી રે. પ્રભુ અર્થ :- જ્ઞાનગુણથી જેમ પોતાના શરીરમાં આત્માની સિદ્ધિ થાય છે તેમ બીજાના દેહમાં પણ બુદ્ધિપૂર્વકની ક્રિયા જોવામાં આવે છે. તેથી તેના દેહમાં પણ તેવો જ આત્મા છે એમ અનુમાન જ્ઞાનથી સિદ્ધ થાય છે. I૭૩ાા
બાળ મટી યુવા બની, વૃદ્ધ થતા જે રીતે રે, મરણ પછી જન્માંતરે જાય જીવ તે રીતે રે. પ્રભુ