________________
(૧૦૨) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૪
૫ ૦૯
મારા હાથમાંથી જતાં રહેશે. ૩શા.
સુંદર સુર કે ઇન્દ્રની જી, રક્ષાના કરનાર,
ગંઘાતા સ્ત્રી-ગર્ભમાં જી, કૃમિ સહ જઈ વસનાર. જીંવ, જોને અર્થ :- આ સુંદર દેવતાઓ કે ઇન્દ્રની રક્ષા કરનાર દેવો પણ સ્ત્રીના ગંધાતા ગર્ભમાં ઉત્પન્ન થઈ કૃમિઓની સાથે જઈ વસે છે. ૩૮
વસમી કેદ વિષે વસી જી, દુઃખે નીકળનાર,
માંસલસ્તન-પય પી જીંવે જી, મળ-મૂત્રે સૂનાર. છંવ, જોને. અર્થ :- આ નૌ મહિનાની વસમી એટલે કપરી ગર્ભકેદમાં વસી ત્યાંથી જેતરડીના તારને કાણામાંથી ખેંચે તેમ દુઃખપૂર્વક બહાર નીકળી, માંસના બનેલ સ્તનનું દુઘ પીને જીવે છે તેમજ બાળવયમાં અજ્ઞાનવશ મળમૂત્રમાં સૂઈ રહે છે. ૩૯ાા
હાડ-માંસ-રુધિરમાં જી, ઇચ્છું છું ના વાસ,
ચંદનતરુ તેથી ભલું જી, નરતન મસાણ ખાસ.” છંવ, જોને. મરનાર દેવ વિચારે છે કે –
અર્થ :- આવા હાડ, માંસ કે રુધિર એટલે લોહીના બનેલા શરીરમાં હું વાસ કરવા ઇચ્છતો નથી. તેથી તો સુગંઘમય એવા ચંદનના વૃક્ષમાં નિવાસ કરવો સારો. આ મનુષ્ય શરીર તો મુખ્યત્વે મસાણના મડદા જેવું છે. ૪૦ના
એમ આર્ત-નિદાનથી જી, સુર તરુવર પણ થાય,
સુઘર્મ-વિમુખ કુમાર્ગથી જી, ભવવનમાં ભટકાય. છંવ, જોને અર્થ – એમ આર્તધ્યાનપૂર્વક નિદાન બુદ્ધિ કરવાથી દેવ ચંદનના વૃક્ષમાં ઉત્પન્ન થઈ એકેન્દ્રિય પણ બની જાય છે. એમ સમ્યકૂઘર્મથી વિમુખ બનેલા મિથ્યાત્વી દેવો અજ્ઞાનવશ અનંતકાળ સુઘી સંસારરૂપી વનમાં ભટક્યા કરે છે. I૪૧ાા
(૬) લોક-ભાવના જીવાજીવ વડે ભર્યો જી, ચૌદ રાભર લોક,
અનંત આકાશે રહ્યો છે, જુએ જ્ઞાન-આલોક. જીંવ, જોને. હવે ચૌદ રાજલોકનું સ્વરૂપ જણાવે છે -
અર્થ - ચૌદ રજ્જાભર એટલે ચૌદ રજુ પ્રમાણ આ લોક છે. મધ્યલોક એક રજ્જુ પ્રમાણ છે; તેથી આ ચૌદ ગણો છે. આ લોક અનંત આકાશ દ્રવ્યના મધ્યમાં રહેલો છે. એમાં જીવ અજીવ તત્ત્વો ભરપૂર ભરેલા છે, એમ જ્ઞાનના આલોક એટલે પ્રકાશથી ભગવંતોએ જોઈ જણાવ્યું છે. ૪રા
છયે દ્રવ્યથી પૂર્ણ છે જ, કોઈ નહીં કરનાર,
પરિણમે તે કાળથી જી, કોઈ નહીં ઘરનાર. જીંવ, જોને અર્થ - આ લોકાકાશ છયે દ્રવ્યથી પૂર્ણ ભરેલો છે. એને કોઈ બનાવનાર નથી. છએ દ્રવ્યનું પરિણમન એટલે સમયે સમયે પલટવાપણું તે કાળ દ્રવ્યથી થાય છે. આ લોકને કોઈ ઈશ્વર આદિએ ઘરી