Book Title: Pragnav Bodh Part 02 Full Book
Author(s): Bramhachari, Paras Jain
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 530
________________ ૫ ૧ ૨ પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨ (૮) આસ્રવભાવના જીંવ ઇન્દ્રિય અને મને જી, વર્તે વિભાવ-યુક્ત, આસ્રવ કર્મ તણો થતો જી, આત્મિક વીર્ય-પ્રયુક્ત. જીંવ, જોને અર્થ :- જ્યારે આત્મા ઇન્દ્રિયો અને મનવડે રાગદ્વેષાદિ વિભાવભાવોમાં પ્રવર્તે છે ત્યારે આત્માનું વીર્ય સ્કુરાયમાન થઈ નવીન કર્મોનો જીવ આસ્રવ કરે છે. તે કર્મ આઠ પ્રકારના છે. તે નીચે પ્રમાણે છે : ||પશા મૂર્તિ પર પડદા સમાં જી, “જ્ઞાનાવરણીય કર્મ, પાંચ ભેદથી રોકતાં જી જ્ઞાન, જીવનો ઘર્મ. જીંવ, જોને અર્થ :- આંખે જોવાની શક્તિ હોવા છતાં આંખે પાટા બાંધ્યા હોય અથવા મૂર્તિ ઉપર કપડું ઢાંક્યું હોય તો મૂર્તિનું સ્વરૂપ જણાય નહીં; તેમ જ્ઞાનાવરણીયકર્મ તે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનરૂપ ગુણો ઉપર પાંચ પ્રકારે આવરણ લાવે છે. આત્માનો મુખ્ય ઘર્મ જ્ઞાનગુણ હોવા છતાં તે આ કર્મથી અવરાય છે અને નવીન કર્મનો આસ્રવ કરે છે. પિટા દર્શન ગુણને રોકતા જી, કર્મ-ભેદ નવ દેખ, રાજ-દર્શને રોકતા જી દ્વારપાળ સમ લેખ. જીંવ, જોને અર્થ - બીજું દર્શનાવરણીયકર્મ તે આત્માના દર્શનગુણને રોકે છે. આ કર્મના નવ ભેદ છે. ચક્ષદર્શનાવરણીય, અચક્ષદર્શનાવરણીય, અવધિદર્શનાવરણીય, કેવલદર્શનાવરણીય, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા તથા થીણદ્ધી. આ કર્મ દ્વારપાળ સમાન છે. જેમ દ્વારપાળ રાજાના દર્શને આવતા વ્યક્તિને રોકી રાખે તેમ આ કર્મ આત્માના અનંત દર્શનગુણને રોકી રાખે છે. અને નવીન કમનો આસ્રવ કરાવે છે. પલા. મધુ-લિસ તરવાર જો જી, વેદનીનું દૃષ્ટાંત, સુખ-દુખ બે ભેદે ભણે છે, મીઠાશ ને જીંભાત. જીંવ, જોને. અર્થ - ત્રીજું વેદનીયકર્મ મઘથી ખરડાયેલી તરવાર જેવું છે. આ કર્મના શાતા અશાતારૂપે બે ભેદ છે. જેમ તરવાર ઉપર રહેલ મઘને ચાટવાથી ક્ષણિક મઘની મીઠાશ આવતાં સુખ ભાસે છે અને જીભ કપાઈ જવાથી દુઃખનો અનુભવ થાય છે. આ કર્મ આત્માના અવ્યાબાધ સુખગુણને રોકે છે તથા નવીન કર્મબંધનો આસ્રવ કરાવે છે. ૬૦ના અઠ્ઠાવીસ ભેદે ભણે છે, મદ્ય સમ મોહનીય, બેડી સમ “આયુષ્ય છે જી, ગતિભેદે મનનીય. જીંવ, જોને. અર્થ - ચોથું કર્મ મોહનીય છે. તેના કુલ અઠ્ઠાવીસ ભેદ છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય સમકિત મોહનીય તથા અનંતાનુબંધી વગેરે સોળ કષાય અને નવ નોકષાય. એ કર્મ મદ્ય એટલે દારૂ જેવું છે. જે માણસને ઉન્મત્ત, વિવેકરહિત બનાવે છે. આ કર્મનો દર્શનમોહ એટલે મિથ્યાત્વમોહનીયનો ભેદ આત્માના સમ્યગ્દર્શન ગુણને રોકે છે; અર્થાત્ સત્યતત્ત્વમાં શ્રદ્ધા કરવા દેતો નથી. તથા ચારિત્રમોહનીય કર્મ આત્માના ચારિત્રગુણને રોકે છે, અર્થાત્ આત્મસ્વરૂપમાં રમણતા કરવા દેતું નથી; અને નવીન કર્મનો

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623