________________
(૧૦૧) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૩
ઉચ્ચ તેલથી મુનિને જી, મૂર્છા આવી જાય,
ઉગ્ર રોગની ઔષધિ છે. એવી ઉગ્ર ભળાય રે. ભવિજન
અર્થ :– ઘણા ઉષ્ણ વીર્યવાળા તેલથી મુનિને મૂર્છા આવી ગઈ. ઉગ્ર વ્યાધિની શાંતિ અર્થે ઔષધિ પણ ઉગ્ર અપાય છે. ।।૩૦।।
આકુળ કૃમિકુળ તેલથી જી, ઉપર આવી જાય,
જેમ દરે જળ પેસતાં જી, કીડીઓ સૌ ઊભરાય રે. ભવિજન
અર્થ :– ઉષ્ણ તેલના પ્રભાવથી આકુળ વ્યાકુળ થયેલા કૃમિઓ મુનિના શરીરમાંથી બહાર નીકળી આવ્યા. જેમ દરમાં જળ પેસતા કીડીઓ સર્વ બહાર ઊભરાઈ આવે તેમ. ।।૩૧।।
રત્નકંબલે વીંટતા જી, મુનિને જીવાનંદ,
કૃમિ તેમાં પેસી ગયા જી, લેવા સ્પર્ધાનંદ રે. ભવિજન
ܗ
૪૮૯
અર્થ :– હવે મુનિને જીવાનંદ વૈધે રત્નકંબલથી વીંટી લીધા. જેથી સર્વે કૃમિઓ રત્નકંબલનો કોમલ સ્પર્ધાનંદ લેવા તેમાં પેસી ગયા. ।।૩૨।।
ઘીમેથી લઈ કામળી જી, ગાયની પાસે જાય,
મૃત કલેવરમાં મૂકે જી, વીણી કૃમિ-સમુદાય રે. ભવિજન
અર્થ :– તે રત્નકંબલ ઘીરેથી લઈ ગાયની પાસે જઈ તે કૃમિ સમુદાયને વીણી ગાયના મૃત કલેવરમાં મૂકી દીધા. ||33||
ચંદન ચર્ચા મુનિને જી, દે થોડો આરામ,
વળી ફરી કાઢે બીજા જી, માંસથી કૃમિ તમામ રે, ભવિજન
અર્થ – પછી ગોશીર્ષ ચંદનનું વિલેપન કરી મુનિને થોડો આરામ આપ્યો. ફરી બીજી વાર લક્ષપાક તેલનું મર્દન કરી માંસમાંથી તમામ કૃમિને બહાર કાઢ્યા. ।।૩૪।।
છેલ્લે અસ્થિમાંહિથી જી, કૃમિ કર્યા સૌ દૂર, ચંદન-લેપનથી પછી જી, કે શાંતિ ભરપૂર રે. ભવિજન
અર્થ :– છેલ્લે ફરી લક્ષપાકતેલનું મર્દન કરી અસ્થિમાં રહેલા કૃમિઓને પણ બહાર કાઢયા. પછી ગોશીર્ષ ચંદનના વિલેપનથી મુનિને ભરપૂર શાંતિ પમાડી. ।।૩૫।।
નીરોગી મુનિ થયા જી, છ ચે પુછ્યું-ભંડાર,
ખમાવી મુનિને ગયા જી; કરે મુનિ ય વિહાર રે. ભવિજન॰
અર્થ ::– આ રીતે મુનિ નીરોગી થયા પછી છએ પુણ્યના ભંડાર એવા યુવાનોએ મુનિને ભક્તિભાવથી ખમાવ્યા. પછી ઘેર ગયા. મુનિ પણ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. ।।૩૬।।
બાકી ચંદન જે વધ્યું જી, રત્નકામળી તે જ,
વેચી ઘન તે વાપરે જી, દેરાસર ખાતે જ રે. ભવિજન
અર્થ :— – બાકી વધેલ ગોશીર્ષ ચંદન તથા રત્નકંબલને વેંચવાથી જે ઘન આવ્યું તે બધું દેરાસર ખાતે વાપરી દીધું. ।।૩૭||