________________
(૧૦૦) શ્રી ઋષભ જિનેશ્વર ભાગ-૨
૪૮૧
પડી ગયો. તેના સેવકોએ પંખાઓથી પવન નાખી જળથી સિંચન કર્યું, જેથી તે ભાનમાં આવી ઊભો થયો. શા
કારણ પૂછે પંડિતા-ખરી. કુમાર થાતાં સ્વસ્થ રે; ખરી
કહે કુમાર : “અમારી આખરી ચિત્રે વાત સમસ્ત રે. ખરી અર્થ:- તે વખતે પંડિતાએ કુમારને મૂર્છા આવવાનું કારણ પૂછ્યું. ત્યારે વજજંઘ કહે: આ ચિત્ર જોવાથી મને જાતિસ્મરણજ્ઞાન થયું છે. આ ચિત્રમાં બધી અમારી જ વાત આલેખેલી છે. I૯૮
ઈશાન સુર-લોકે હતી-ખરી. સ્વયંપ્રભા રૃપ-ખાણ રે; ખરી
લલિતાંગ સુર હું હતો, ખરી. પ્રિયાની ઓળખાણ રે- ખરી. અર્થ - પૂર્વભવમાં ઈશાન દેવલોકમાં રૂપની ખાણ સમાન આ સ્વયંપ્રભા હતી. તે મારી દેવી હતી. હું લલિતાંગ નામે દેવ હતો. પછી પ્રિયાની ઓળખાણ કરાવવા ચિત્રમાં આલેખેલી બધી હકીકત એક પછી એક તે સ્પષ્ટપણે કહી ગયો. ૯૯ો.
મૂચ્છકારણ જાણ તું; ખરી મળે મને એ કેમ રે?” ખરી.
કહે પંડિતા, “સત્ય છે-ખરી વાત કહો છો તેમ રે. ખરી અર્થ – આ જ મારી મૂછનું કારણ હતું. એ મને કેવી રીતે મળી શકે? ત્યારે પંડિતાએ કહ્યું તમે જે વાત કહો છો તે બધી સત્ય છે. ૧૦૦ના
ચક્રવર્તીની પુત્રી તે-ખરીઘરે આપ પર પ્રેમ રે; ખરી.
વજસેનને આ બીના ખરીકહીશ બની છે, તેમ રે.” ખરી અર્થ :- આ ભવમાં તે સ્વયંપ્રભા આ ચક્રવર્તીની શ્રીમતી નામે પુત્રી થયેલ છે. જે આપ ઉપર અત્યંત પ્રેમ ઘરાવે છે. ચક્રવર્તી વજસેનને હું આ બનેલી બધી બીના કહી જણાવીશ. I/૧૦૧
ચક્રવર્તી સુણી હર્ષથી ખરી. તેડે તે કુમાર રે- ખરી.
શ્રીમર્તી-કન્યા-દાન દેખરી કરી મહોત્સવ સાર રે. ખરી અર્થ - ચક્રવતી વજસેન પંડિતા પાસે બઘો વૃત્તાંત જાણી હર્ષ પામ્યા. અને શીધ્ર વજજંઘ કુમારને તેડાવી કહ્યું : મારી પુત્રી શ્રીમતી પૂર્વજન્મની પેઠે આ ભવમાં પણ તમારી ગૃહિણી થાઓ. વજજંઘે તે વાત સ્વીકારી. જેથી મોટો મહોત્સવ કરી ચક્રવર્તીએ વજજંઘને પોતાની પુત્રી શ્રીમતીનું કન્યાદાન આપ્યું. /૧૦૨ની
ચંદ્ર, ચાંદની રૂપ તે-ખરી. વરકન્યાનો યોગ રે; ખરી.
લોહાર્ગલ પર તે ગયાં; ખરીત્યાં યોગાનુયોગ રે-ખરી અર્થ - તે બન્ને વરકન્યાનો યોગ ચંદ્ર અને ચાંદનીરૂપે થયો. ત્યાંથી ચક્રવર્તીની આજ્ઞા લઈ વજજંઘ પોતાના લોહાલ નગરે ગયો. ત્યાં યોગાનુયોગ એક બીના બની. ૧૦૩
સુવર્ણજંઘ નૃપાળને-ખરી વાદળથી વૈરાગ્ય રે-ખરી. ઊપજ્યો, તેથી પુત્રને-ખરી નૃપપદ દે, લે ત્યાગ ૨. ખરી