________________
(૯૬) પારમાર્થિક સત્ય
૪ ૨૯
અર્થ - એરંડાની ડાળીઓથી બનાવેલ મંડપને ઘાસના તરણાથી ઢાંકવા માટે એક એક તરણું ક્ષણે ક્ષણે તેના ઉપર નાખે. છેલ્લે તરણે જ્યારે એ વજન ન ખમી શકે ત્યારે તે મંડપ ભાંગી જાય. //૩૬ાા
તેમ અતિ અતિચારો સેવે નઑવા, જીવ પ્રમાદે, મહાવ્રતો પણ ભાંગે કર્દી તો દુર્ગતિ-પથ તે સાથે.
દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા,
આ કળિકાળે હો અમને ઉદ્ધારનારા. અર્થ - તેમ જીવ પ્રમાદવશ નજીવા અતિચારો એટલે દોષો ઘણા સેવે તો તે કદી મહાવ્રતોને પણ ભાંગી દુર્ગતિના માર્ગે ચાલ્યો જાય.
માટે દેવામાતાના નંદન શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ અમને ઘણા પ્યારા છે, કે જેમણે આ હડહડતા હુંડા અવસર્પિણી કાળમાં પણ અમને સાચો મોક્ષમાર્ગ બતાવી અમારો ઉદ્ધાર કર્યો. ગાફલા
અલ્પ શિથિલપણું પણ ત્યાગી, અત્યંત પુરુષાર્થ આદરી, જીવ જ્યારે સમ્યક્દર્શનને પામશે ત્યારે પારમાર્થિક સત્ય ભાષા બોલવાને તે યોગ્ય થશે. પ્રથમ વ્યવહાર સત્ય જીવનમાં આવ્યા પછી પરમાર્થ સત્ય આવશે. એ વિષે વિસ્તારથી આ પાઠમાં ખુલાસા આપવામાં આવે છે, જે આત્માર્થીને હિતકારી છે.
(૯૬)
પારમાર્થિક સત્ય (રાગ ઘનશ્રી-ગિરુઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે)
સગુરુના ગુણ તો ઘણા, સ્મરું પારમાર્થિક સત્ય રે, વંદન કરી ફરી ફરી કહું, મારે તો એની અગત્ય રે.
સદ્ગુરુના ગુણ તો ઘણા. અર્થ - ભાવશ્રમણ એવા સદ્ગુરુ પરમકૃપાળુદેવના ગુણો ઘણા છે. પણ તેમાંથી એમના પારમાર્થિક સત્ય ગુણની અત્રે સ્મૃતિ કરું છું. કેમકે મૂર્તિમાન સત્યસ્વરૂપ સદ્ગુરુના યોગે જીવની પરમાર્થ વૃષ્ટિ ખૂલીને સત્ય આત્મઘર્મનું ભાન થાય છે. તેમને વારંવાર વંદન કરી કહું છું કે મારે આ પારમાર્થિક સત્વગુણની ઘણી અગત્ય એટલે જરૂર છે, તે આપના ઘણા ગુણોમાંથી મને આપવા કૃપા કરશો. ૧|
વસ્તુસ્વરૂપ યથાર્થ જે જાણી, અનુભવી બોલે રે,
સત્ય ગણ્યું તે બોલવું; સત્ય બ્રહ્મ-રત્ન ખોલે રે. સગુરુના અર્થ – વસ્તુનું યથાર્થ સ્વરૂપ જેવું જાણ્યું, અનુભવ્યું તેવું જ કહેવું તેને વ્યવહાર સત્ય કહ્યું છે. તે સત્ય બોલનાર, બ્રહ્મ એટલે આત્મારૂપી રત્નને પામી શકે છે. કેમકે–
“સાચામાં સમકિત વસેજી, માયામાં મિથ્યાત્વ, રે પ્રાણી મ કરીશ માયા લગાર.” “જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જોવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને