________________
(૯૬) પારમાર્થિક સત્ય
અર્થ – કોઈ મોહવશ ભાનવગર બોલતો હોય તો તે કદાચ સત્ય હોય તો પણ અસત્ય છે. આ વાતને હૃદયમાં દૃઢપણે ઘારી રાખો. જે વચનવડે સ્વપર જીવની હિંસા થાય તે સત્ય વચન કહેવાય નહીં; તેનો વિચાર કરો. ૨૦૧૫
દ્વેષ-રાગ-અજ્ઞાનથી જ્યાં જીવ વચન ઉચ્ચારે રે,
ત્યાં હિંસા નિજ જાણવી, સ્વરૂપ શુદ્ધ વિસારે રે. સદ્ગુરુના
=
અર્થ :– રાગદ્વેષ અજ્ઞાન સહિત જીવ વચન ઉચ્ચારે છે ત્યાં પોતાના આત્મગુણોની વાત થાય છે, હિંસા થાય છે, કેમકે પોતાના શુદ્ધ સ્વરૂપને તે ભૂલે છે. ।।૨૧।।
૪૩૩
પોતે પોતનો અરિ અરે! વાત ખરી, સ્વીકારો રે,
દુઃખદ મુખ્ય મોહ છે, તેને વિચારી નિવારો રે. સદ્ગુરુના
--
અર્થ :— પોતે જ પોતાનો શત્રુ અરે ! આ વાત ખરી છે, તેનો સ્વીકાર કરો. સર્વ પ્રકારના દુઃખ આપવામાં મુખ્યત્વે આ મોહનીયકર્મ છે. તેને વિચારીને હવે દૂર કરો. ।।૨૨।।
‘મુનિ’ એ નામ જ સૂચવે-મૌન જ, બોલે તોયે રે;
પૂર્વોક્ત રીતે વિચારીને બોલે પણ ‘મુનિપજ્યું’હોય રે. સદ્ગુરુના
અર્થ :– મુનિ એ નામ જ મૌનપણાને સૂચવે છે. ઘણું કરી પ્રયોજન વિના બોલે જ નહીં તે મુનિ.
-
66
મુનિ જ્યારે બોલે ત્યારે મારો એક આત્મા જ છે એમ પૂર્વોક્ત રીતે વિચારીને બોલે છે. માટે બોલતા છતાં પણ તે મૌન છે. “ ‘મુનિ’ એ નામ પણ આ પૂર્વોક્ત રીતે વિચારીને વચન બોલવાથી સત્ય છે. ઘણું કરીને પ્રયોજન વિના બોલવું જ નહીં તેનું નામ મુનિપણું.'' (વ.પૂ.૬૭૬ ||૨||
ઉત્તમ મૌન ગણ્યું છતાં, સત્ય તો તેી ય સારું રે,
પ્રિય વચન તેથી ચઢે, રે ! બ્રહ્મ-વચન તો ન્યારું રે. સદ્ગુરુના
અર્થ :— વ્યવહારમાં મૌનને ઉત્તમ ગણ્યું છે. પણ બોલવું પડે તો સત્ય વચન બોલવું સારું છે. સત્ય વચન સાથે 'સત્ય પણ પ્રિય બોલવું.' એ વધારે ચઢિયાતું છે. અને જેથી બ્રહ્મ એટલે આત્મપ્રાપ્તિ થાય એવા જ્ઞાનીપુરુષના વચનો બોલવા તે તો સર્વથી શ્રેષ્ઠ નિરાલા છે, ॥૨૪॥
મૌન મહાત્મા સૌ રહ્યા તીર્થંકર એ જ વિચારે રે;
વર્ષોં સાડા બાર જો, મૌન મહાર્વીર ઘારે રે. સદ્ગુરુના
=
અર્થ :— સૌ તીર્થંકરાદિ મહાત્માઓ મૌન રહ્યા તેમ શ્રી મહાવીર પ્રભુ પણ મોહને ઇલવાના વિચારે સાડાબાર વર્ષો સુધી મૌન ધારણ કરીને રહ્યા. ।।૨૫મા
“પૂર્વ તીર્થંકાદિ મહાત્માઓએ આમ જ વિચાર કરી મૌનપણું ધારણ કરેલું; અને સાડાબાર વર્ષ લગભગ મૌનપણું ઘારણ કરનાર ભગવાન વીરપ્રભુએ આવા ઉત્કૃષ્ટ વિચારે કરી આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીયકર્મનો સંબંધ કાઢી નાખી કેવળજ્ઞાનદર્શન પ્રગટ કર્યું હતું,' (૧.પૃ. ૦૦૬)
રાગાદિક રહિત તે પ્રભુ વસ્તુ યથાર્થ જણાવે રે,
તોપણ મૌન ગણાય તે, મુનિપણું અખંડ ટકાવે રે, સદ્ગુરુના
અર્થ :— રાગદ્વેષાદિ ભાવોથી રહિત વસ્તુનું યથાર્થ સ્વરૂપ જણાવતાં છતાં પણ પ્રભુને મૌનપણું