________________
(૮૮) શ્રી શાંતિનાથ ભાગ-૨
૩૫૭
-
અર્થ :– આપણો આત્મા કર્મ બાંધીને આ સંસારમાં અત્યંત પરિભ્રમણ કરે છે. પણ પાંચ કરણાદિ લબ્ધિને પામી મોક્ષમાર્ગ મેળવી અપૂર્વ એવા આત્માની સિદ્ધિને પામે છે. તે પાંચ લબ્ધિઓ આ પ્રમાણેઃ‘(૧) ક્ષયોપશમલબ્ધિ–મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિય વગેરે મળે તે.
(૨) વિશુદ્ધિલબ્ધિ—ખોટાં કામથી ત્રાસ પામે ને સારા ભાવ ભણી જીવ વળે તેથી પુણ્ય બાંધે. તેથી સત્પુરુષનો યોગ થાય.
(૩) દેશનાલબ્ધિ—સત્પુરુષનો યોગ થાય, સત્પુરુષ કહે તે સમજવાનું માહાત્મ્ય લાગે.
(૪) પ્રાયોગ્યલબ્ધિ—દેશનાનો વિચાર કરી તેમાં જ જીવન ગાળે તેથી સીત્તેર કોડાકોડીની કર્મ-સ્થિતિ ઘટીને અંતઃકોટાકોટીની થઈ જાય.
(૫) કરણાબ્ધિ—તેમાં આગળ વધતાં ગ્રંથિભેદ થાય.'' પામૃત ભા-૨ (પૃ.૨૨૨) II૧૦૬।।
તુજ સમ ભવ્ય જીવો હલકી રત્નત્રય શિવપંથે રે
ભવસમુદ્ર ઊતરી રહે શાશ્વત મુક્તાનંદે રે, '' ૧૦૭
=
અર્થ ઃ— ઉપર મુજબ સદ્ધર્મની પ્રાપ્તિમાં બાધક એવા કારણો મિથ્યાત્વાદિને બતાવી, જે ભવિષ્યમાં શાંતિનાથ ભગવાન થવાના છે એવા અમિતતેજને સંબોથી ભગવાને જણાવ્યું કે તારા જેવા ભવ્ય જીવો પણ રત્નત્રયને પામી શિવપંથે એટલે મોક્ષના માર્ગે ચઢશે. તે જીવો સંસારરૂપી સમુદ્રને પાર ઊતરી શાશ્વત એવા મુક્તિના આનંદને મેળવશે. ।।૧૦૭//
અમિતતેજ સુી પામિયો સમ્યગ્દર્શન-શુદ્ધિ રે,
શ્રાવકનાં વ્રત આદરી લહે ભાવની વૃદ્ધિ ૨. ૧૦૮
અર્થ – અમિતતેજ પન્ન ભગવાનનો આવો શ્રેષ્ઠ ઉપદેશ સાંભળી સમ્યગ્દર્શનની શુદ્ધિને પામ્યો. તેથી શ્રાવકના વ્રતોને ગ્રહણ કરી દિનોદિન શ્રેષ્ઠ ભાવોની વૃદ્ધિ કરવા લાગ્યો. ।।૧૮।।
(૮૮)
શ્રી શાંતિનાથ
ભાગ-૨
(સંભવ જિનવર વિનતિ અવઘારો ગુણજ્ઞાતા રે—એ રાગ)
*
અનિર્દોષ સાધુ થયો, માતા સહ તે કાળે રે,
સસાસુ સુતારા ગ્રò દીક્ષા, પ્રીતે પાળે . ૧
અર્થ :– ભગવાન તીર્થંકરની વાણીવડે અશનિષોષ વિદ્યાધર જે પૂર્વભવમાં કપિલ હતો તે પોતે જ હતો એમ જાણી વૈરાગ્ય પામી સાધુ થયો. તેની માતા પણ સાથે દીક્ષિત થઈ. તથા સુતારા જે પૂર્વભવમાં જે કપિલની પત્ની સત્યભામા હતી અને આ ભવમાં અમિતતેજ જે શાંતિનાથ ભગવાનનો જીવ છે તેની બહેન અને શ્રી વિજયની પત્ની છે. તેણે પણ આ ભવની સાસુ સ્વયંપ્રભા જે ત્રિપુષ્ટ વાસુદેવની રાણી છે તેની