________________
(૭૭) સનાતન ધર્મ
૨૬૭
અર્થ :— ભવ્ય જીવોને માટે એક ભલી સત્ય શિક્ષા જણાવી છે કે ‘બીજું કાંઈ શોઘ મા. હે આત્મહિતાર્થી ! એક સદ્ગુરુને શોથી, તેના ચરણકમળમાં સર્વ પ્રેમ અર્પી તેના જ શરણે રહે, અર્થાત્ તેની જ આજ્ઞામાં રહે તો હૈ આત્માર્થી તારું અવશ્ય કલ્યાણ થશે. એ વિના જન્મમરણથી કોઈ કાળે તારો છૂટકારો થાય તેમ નથી.
“બીજાં કાંઈ શોઘ મા. માત્ર એક સત્પુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્તો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે." (૧.પૃ.૧૪) IIć||
ન
માન, મત, આગ્રહો મૂકી આજ્ઞા વિષે સત્યવૃષ્ટિ થવા વર્તશે જે,
પ્રેમરસ પામતાં, સર્વ ભૂલી જતાં એકનિષ્ઠ થશે, શિવ જશે તે. આજ
અર્થ :— માન અને મતના આગ્રહો મૂકી, સત્યદૃષ્ટિને પામવા જે જીવ સત્પુરુષની આજ્ઞા ઉઠાવશે તેનામાં જ્ઞાની પ્રત્યે મીરાબાઈની જેમ ભક્તિનો પ્રેમરસ પ્રગટશે. તેથી જગતને ભૂલી જઈ એક આત્માની દૃઢ શ્રદ્ધાને પામશે અને ક્રમે કરી તે ભવ્યાત્મા મુક્તિને મેળવશે.
“સ્વચ્છંદ મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલા;
સમક્તિ તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.'' -શ્રીમદ્ રાજચંદ્ર ||૯||
વાર્ણી સર્વજ્ઞની માર્ગ દર્શાવતી, પરમ કરુણા ભરી ક્યાં સુણાશે? ગણઘરોએ ગણ્યું કેવળી-સૂર્યના અસ્ત પછી માર્ગ શાથી જણાશે? આજ ૧૦ અર્થ = – સર્વજ્ઞ પુરુષોની વાણી તે સત્ય મોક્ષમાર્ગને દર્શાવનાર છે. તે વાણી ૫૨મ કરુણારસથી ભરપૂર છે. તે પછી ક્યાં સાંભળવા મળશે? એમ ગણધર પુરુષોએ વિચાર્યું કે કેવળજ્ઞાનરૂપી સૂર્ય અસ્ત થઈ ગયા પછી આ સનાતન મુક્તિ માર્ગ અથવા સનાતન આત્મધર્મ લોકોને શાથી જણાશે? ।।૧૦।
એમ જાણી, કરી શાસ્ત્ર-રચના ભલી, માર્ગ દેખાડવા મોક્ષનો આ,
તે જ ૫રમાર્થ આચાર્ય આદિ ગ્રહી, અન્ય ગ્રંથો રચે હિત થાવા. આજ૦૧૧
અર્થ :— એમ જાણીને મોક્ષનો માર્ગ બતાવવા શાસ્ત્રોની રચના કરી આખી દ્વાદશાંગી રચી. જેથી જગતવાસી જીવો સુલભતાથી મોક્ષ ઉપાયને પામી શકે. તે જ દ્વાદશાંગીનો પરમાર્થ એટલે શુભાશય ગ્રહણ કરી પરંપરામાં થયેલા જ્ઞાની આચાર્ય ભગવંતો પણ તે તે સમયને અનુરૂપ અન્ય ગ્રંથો જીવોના કલ્યાણ અર્થે રચી ગયા. ||૧૧||
મર્મ સદ્ગુરુ ઉરે જે રહ્યો ગુપ્ત તે, જાણવા ભક્તિ કરવી સુભાવે,
રોકી સ્વચ્છંદ, આશા જ ઉઠાવતાં, સહજ નિજ ભાવનો બોધ આવે. આજ૦૧૨
અર્થ :— ‘શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે, પણ મર્મ તો સત્પુરુષના અંતત્મામાં રહ્યો છે.’ તે ગુપ્ત મર્મને જાણવા માટે અનન્ય પ્રેમે શ્રી સદ્ગુરુ ભગવંતની ભક્તિ કરવી. પોતાના સ્વચ્છંદને રોકી જ્ઞાનીપુરુષની આજ્ઞાને જ ઉપાસે તો સહજ રીતે પોતાના આત્મા સંબંઘીનું જ્ઞાન પામવા યોગ્ય છે. ।।૧૨।
પાર્મી સદ્ગુરુતણો યોગ, સુર્ણી બોધ જો, જીવ વિચારશે સાર શું છે? હેય શું? જ્ઞેય શું? ગ્રહણ કરવું કર્યું? તત્ત્વશ્રદ્ઘા થવા ફરીય પૂછે. આજ૦૧૩
અર્થ :— સદ્ગુરુના યોગને પામી તેમનો બોઘ સાંભળીને જીવને વિચારણા જાગશે કે આમાં