________________
(૩૯) સમિતિ-કૃતિ
અર્થ :– હવે મુનિને આહાર કરવાના છે પ્રયોજન જણાવે છે –
=
(૧) ક્ષુધા વેદનીના ઉપશમ અર્થે, (૨) પોતાની કે પરની વૈયાવૃત્ય-સેવા કરવા અર્થે, (૩) ઉત્તમ ક્ષમા આદિ ગુણો પ્રગટાવવા અર્થે, (૪) છ આવશ્યક ક્રિયા-પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સામાયિક, સ્તવન, વંદના, કાર્યોત્સર્ગ અર્થે, (૫) ચરણાર્થે એટલે ચારિત્ર સંયમના પાલન અર્થે તથા (૬) ૧૦ પ્રાણોની સ્થિતિ ટકાવવા અર્થે મુનિ ભિક્ષા ગ્રહણ કરે છે. ।।૨૧।।
વ્યાધિકાળે કે કે
ઉપસર્ગે સહનશીલતા વાર્ટ, પ્રારૢદયા, બ્રહ્મચર્ય-રક્ષા, તન-નિર્મમતા માટે. ઠો ભક્ત
અર્થ :– હવે મુનિને આહાર તજવાના છે કારણો જણાવે છે :–
(૧) અકસ્માત વ્યાધિ ઉપજે કે મરણકાળની પીડા ઉપડે ત્યારે, (૨) દેવાદિકથી ઉપસર્ગ થાય ત્યારે, (૩) સહનશીલતા કેળવવા માટે, (૪) પ્રાણીઓની દયા અર્થે, (૫) બ્રહ્મચર્યની રક્ષા નિમિત્તે અને (૬) શરીરની મોહમમતા ઘટાડવા માટે મુનિ આહારનો ત્યાગ કરે છે. ।।૨૨।
આહાર તજે એ છ કારણથી, અનાહારતા ધ્યાતા,
આજ્ઞાના ઉપયોગપૂર્વક, જરૂર પડ્યે મુનિ ખાતા. હો ભક્ત
૨૮૫
=
અર્થ :— ઉપરોક્ત છ કારણોથી મુનિ અનાહારતા એટલે આહાર કરવાનો આત્માનો સ્વભાવ નથી એમ વિચારી તેનો ત્યાગ કરે છે. પણ જ્યારે મુનિ આહાર કરે છે ત્યારે આજ્ઞાના ઉપયોગપૂર્વક અને જરૂર પડ્યે જ મુનિ આહાર લે છે. મુનિને એકવાર ભોજનની આજ્ઞા છે. પણ સેવા કરવી હોય તો બે વાર આહાર લઈ શકે. બાલ્યાવસ્થામાં દીક્ષા લીધી હોય તો પણ બે વાર આહાર લઈ શકે અથવા બીમાર હોય તો જરૂર પૂરતું લઈ શકે એમ ભગવાનની આજ્ઞા છે. રા
વૃદ્ધચષ્ટિ સમ શરીર સાધન, તજે ન સાધ્ય અધૂરે;
સાધકતા ના દેખે ત્યારે, નહિ આહારે પૂરે. હો ભક્ત
-
અર્થ ઃ— વૃદ્ધોને યષ્ટિ એટલે લાકડી સમાન આ શરીર સાઘન છે. તેને સાઘ્ય કાર્ય અધૂરું રહે ત્યાં સુધી મુનિ તજે નહીં. પન્ન જ્યારે આ શરીરવડે કાર્ય સિદ્ધ થતા ન જુએ ત્યારે તેને આહારવર્ડ પૂરે નહીં; પણ ક્રમપૂર્વક આહારનો ત્યાગ કરી સમાધિમરણને સાધે છે, ।।૨૪।
કાયયોગ લે પુદ્ગલ-પિંડો, આત્મા તેને જાણે, પુદ્ગલ-ધર્મ આહાર-રસ ગર્ણી, આત્મા નિજ સુખ માણે, હો ભક્ત
અર્થ :— આ મારો કાયયોગ આહારાદિ પુદ્ગલના પિંડોને ગ્રહણ કરે છે. આત્મા તો માત્ર તેનો જાણનાર છે. આહારના રસને પુદ્ગલનો ધર્મ જાણી મુનિ ભગવંત પોતાના આત્મસુખમાં નિમગ્ન રહે છે. ।।૨૫।। ૪. આદાન-નિક્ષેપણ -સમિતિ
શય્યાસન, ઉપકરણો, શાસ્ત્ર સમ્યક્ દેખી પૂંજી,
લેતાં મૂકતાં યત્ના પાળે મુનિ, સમિતિ તે ચોથી. હો ભક્ત
અર્થ :— =
• સૂવાની શય્યા, બેસવાનું આસન, કમંડળ પાત્રા આદિ ઉપકરણો કે શાસ્ત્રાદિને સમ્યક્ પ્રકારે જોઈને પૂંજી એટલે સાફસૂફ કરીને લેતાં મૂકતાં ઉપયોગ રાખીને મુનિ યત્ના પાળે તેને આદાન