________________
૩ ૧૪
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
અભાવ અનંતાનુબંઘીનો સ્વરૅપ-રમણતા આપે રે,
વિપરીત વૃષ્ટિ દૂર થતાં બહુ વર્તન-મોહન વ્યાપે રે. ૧૦ અર્થ - કરણ-લબ્ધિમાં કર્મોની જે નિર્જરા થાય તેથી અસંખ્યાતગુણી નિર્જરા સમ્યદ્રષ્ટિ જીવને ક્ષણે ક્ષણે થાય છે. ત્યાં અનંતાનુબંધી ક્રોઘ, માન, માયા, લોભાદિ કષાયનો અભાવ હોવાથી સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટે છે. તે જીવને સ્વરૂપ સુખમાં રમણતા કરાવે છે. સંસારમાં સુખ છે વગેરે વિપરીત દ્રષ્ટિ દૂર થવાથી કે અનંતાનુબંધી ચારિત્રમોહ જવાથી બહુ મોહનું વ્યાપકપણે ત્યાં હોતું નથી. તે સમ્યવ્રુષ્ટિ આત્મા સ્વરૂપસુખથી તૃપ્ત રહે છે. ૧૦
અપ્રત્યાખ્યાન કષાય ખસતાં, પરિણામ-વિશુદ્ધિ રે, વઘતાં પ્રકર્ષપણે, નિર્જરા અસંખ્યગુણી વઘતી રે, સમ્યગ્દષ્ટિ શ્રાવક કેરી એકાદશ ભૂમિકા રે,
ક્રમે ક્રમે વઘતા પરિણામે ઉન્નતિની સૂચિકા રે. ૧૧ અર્થ - પછી અપ્રત્યાખ્યાની નામના ક્રોઘ માન માયા લોભ કષાય ખસતા ભાવોની બળવાન વિશુદ્ધિ થાય છે. તે ભાવો પ્રકર્ષપણે એટલે વિશેષપણે વઘતાં કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગણી વધે છે. તેથી તે સમ્યકુદ્રષ્ટિ શ્રાવક કે જેની એકાદશ ભૂમિકા એટલે અગ્યાર પ્રતિમાઓ કહેતા અવસ્થાઓ છે તેને તે પામે છે. ક્રમે ક્રમે ભાવની વિશુદ્ધિ થતાં તે અગ્યાર પ્રતિમાઓને પૂર્ણ કરે છે. તે તેની ઉન્નતિને સૂચવનાર છે. કામદેવ શ્રાવક, આનંદ શ્રાવક વગેરે શ્રાવકની પ્રતિમાઓના ઘારક પુરુષો ભગવાન મહાવીરના સમયમાં હતા. ૧૧ાા
પ્રત્યાખ્યાની જાય કષાયો સર્વવિરતિ ય પઘારે રે, નિર્મળ પરિણામે ય નિર્જરા અસંખ્ય ગુણાકારે રે; અનંતાનુબંધી-વિયોજક અધિક શુદ્ધતાવાળો રે,
અસંખ્યગુણ નિર્જરા અઘિકી સપ્તમપદ સુથી ભાળો રે. ૧૨ અર્થ - હવે શ્રાવકને જે પ્રત્યાખ્યાન કષાયનો ઉદય છે તે પણ જવાથી સર્વ-વિરતિ એટલે મુનિદશાનું આગમન થાય છે. ત્યાં ભાવોની વિશેષ નિર્મળતા હોવાથી કર્મોની નિર્જરા પણ અસંખ્યાતગુણી વૃદ્ધિ પામે છે. પ્રથમ અનંતાનુબંધી કષાયનો વિયોજક અર્થાત્ તેને છૂટા પાડનાર એવો સમ્યવ્રુષ્ટિ આત્મા હવે અહીં અધિક શુદ્ધતાવાળો બને છે. તે સમયે સમયે કર્મોની અસંખ્યાતગુણી વિશેષ નિર્જરા કરતો કરતો સાતમા ગુણસ્થાનક સુધી પહોંચે છે. I/૧૨ા.
દર્શનમોહ કરે ક્ષય જ્યારે સપ્તમપદ સુઘીમાં રે, ભાવવિશુદ્ધિ અતિશય યોગે થાય અસંખ્યગુણી ત્યાં રે; કર્મનિર્જરા મુનિથી અઘિકી, અવિરતિ પદ તોયે રે,
ક્ષાયિક સમદ્રુષ્ટિ અંશે સિદ્ધદશામાં હોયે રે. ૧૩ અર્થ :- જ્યારે આત્મા સાતમા ગુણસ્થાનક સદી દર્શનમોહનો સંપૂર્ણ ક્ષય કરી લાયક સમકદ્રષ્ટિ બને છે ત્યારે અતિશય ભાવ વિશુદ્ધિના યોગે તે કર્મની અસંખ્યાતગુણી નિર્જરા કરે છે. તે લાયક સમ્યકદ્રષ્ટિ ભલે અવિરતિ હોય અર્થાત ગૃહસ્થ હોય તો પણ તેની કર્મ નિર્જરા વિરતિવંત એવા મુનિથી