________________
(૮૭) શ્રી શાંતિનાથ ભાગ-૧
કર્યો કે મને મનમાન્યું ઘન મળશે. ।।૨૧।।
વિદાય જોષીને દઈ, મંત્રી સહ વિચાર્યું રે, ઉપાય કરવો શો હવે ? એક પ્રધાને થાયું રે-૨૨
અર્થ :– પછી જોષીને વિદાય દઈ, મંત્રી સાથે વિચાર કર્યો કે હવે શો ઉપાય કરવો? ત્યારે એક પ્રધાને તેનો ઉપાય બતાવ્યો. ।।૨૨।।
‘લોઢાની પેટી કરી નૃપ પુરી દરિયે રાખો રે.'
બીજો કહે : ‘ડર ત્યાં વળી મગર-મત્સ્યનો આખો રે.’ ૨૩
અર્થ :– એક લોઢાની પેટી કરી તેમાં રાજાને પૂરી દરિયામાં રાખીએ. ત્યારે બીજો પ્રધાન કહે : ત્યાં તો મગર-મત્સ્યનો પૂરેપૂરો ડર રહેલો છે. II૨૩ા
ત્રીજો કહે : ‘ગિરિની ગુફા શોધીને સંતાડો રે,' ‘અજગર આદિ ત્યાં ઘણા, બીજો રસ્તો કાઢો રે.’૨૪
અર્થ :— ત્રીજો પ્રધાન કહે ઃ કોઈ પહાડની ગુફા શોધીને ત્યાં રાજાને સંતાડી મૂકીએ. ત્યાં પણ અજગર આદિ ઘણા હોવાથી કોઈ બીજો રસ્તો શોધી કાઢો. ારા
મતિસાગર મંત્રી કહે : “પોતનપુરના સ્વામી રે
સાત દિવસ સુધી બીજા, બનાવતાં શી ખામી રે?' ૨૫
૩૪૫
અર્થ :– ત્યારે મતિસાગર મંત્રીએ કહ્યું : આ પોતનપુરના સ્વામી સાત દિવસ સુધી બીજા બનાવીએ તો કાંઈ વાંધો આવે? ।।૨૫।।
‘મરે અરે! મારે લીધે બીજો તે ના સારું રે,'
બધા મળી છે : 'યક્ષનું પૂતળું કરીશું, વારું રે.'૨૬
અર્થ :— તે સાંભળી મેં કહ્યું : મારે લીધે અરે ! કોઈ બીજો મરે તે યોગ્ય નથી. ત્યારે બધા મળી કહે :
=
એક યક્ષનું પૂતળું કરી તેને રાજા તરીકે સ્થાપિત કરીશું. ।।૨૬।।
યક્ષ-મૂર્તિ સિંહાસને સ્થાપી સૌની સાખે રે, આજ્ઞા તેની લઈ કરે કાર્ય, માન બહુ રાખે ૨, ૨૭
અર્થ :— પછી સૌની સાક્ષીએ યક્ષની મૂર્તિ સિંહાસન ઉપર રાજા તરીકે સ્થાપિત કરી તેમની આજ્ઞા
=
લઈને બધા કાર્ય કરવા લાગ્યા. તે મૂર્તિનું પ્રત્યક્ષની જેમ બહુમાન જાળવવા લાગ્યા. ।।૨૭।।
ધર્મકાર્યમાં હું રહ્યો સાત દિવસ ભય છોડી રે,
ગઈ કાલે વીજળી પડી, યક્ષ-પ્રતિમા તોડી ૨. ૨૮
અર્થ :- શ્રી વિજયકુંવર કહે : આ કારણથી ભય છોડી સાત દિવસ સુધી હું ધર્મકાર્યમાં રહ્યો હતો. ગઈ કાલે તે વીજળી પડી અને થાની પ્રતિમાને તોડી નાખી. ।।૨૮।।
દાન દીધું સો ગામનું વળી બ્રહ્માની ખેડી રે,
પૂંજી કનક-રત્નાદિથી નિમિત્તવાદી તેડી ૨. ૨૯
અર્થ :— હવે તે નિમિત્તવાદીને બોલાવી મને જીવિતદાન આપનાર હોવાથી તેને બ્રહ્મા સમાન માની
=