________________
(૮૪) મુનિ-ઘર્મ-યોગ્યતા
૩ ૨૭
અનાદિ મિથ્યાદ્રષ્ટિ ય દીઠા, ક્ષણમાં મોક્ષે જનાર રે,
અનુપમ સમતા આરાળીને, ઘરી સુચારિત્ર સાર રે. શ્રી રાજ અર્થ - દ્રઢપ્રહારી કે અંજનચોર જેવા અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો પણ ગમે તેવા ઉપસર્ગમાં અનુપમ સમતાને આરાઘી, એક સમ્યક્યારિત્રને જ સારભૂત માની ક્ષણમાં મોક્ષને પામ્યા છે. ૧૮ી.
વિમલબુદ્ધિ, સુસંસ્કારી, જીવ સહજે લહે વૈરાગ્ય રે,
કૃતજ્ઞ, જનપ્રિય, નિસ્પૃહ, વિનીત, સુંઘર્મમાં ઘરે રાગ ૨. શ્રી રાજ અર્થ - જેની બુદ્ધિ વિમલ એટલે નિર્મલ છે, જે પૂર્વના સુસંસ્કારી છે એવા જીવો સહેજે વૈરાગ્યભાવને પામે છે. સમરાદિત્યની જેમ જે કૃતજ્ઞી હોય, લોકોને પ્રિય હોય, નિસ્પૃહી હોય, વિનીત એટલે વિનયવાન હોય, સુઘર્મનો રાગી હોય એવા જીવો મુનિઘર્મની યોગ્યતા પ્રાપ્ત કરી શકે. ૧૯ો.
સંસાર ગણે દુઃખ-ખાણ તે, સંયોગ વિયોગવંત રે,
ચહે જન્મમરણને ટાળવા, ઘર્મધ્યાને બળવંત રે. શ્રી રાજ અર્થ :- જે સંસારને દુઃખની ખાણ જાણે અને સંયોગને વિયોગથી યુક્ત માને, જે જન્મમરણને ટાળવા ઇચ્છે તથા ઘર્મધ્યાનમાં જે બળવાનપણે લાગેલા રહે તે મુનિઘર્મની યોગ્યતા પામી શકે. સારા
જે મોહ ગણે વિષ-વૃક્ષ સમ, ભવ-વાસનારૂપ મૂળ રે,
તે જન સર્વજ્ઞ-વાણી સુણી, થાય સાથક અનુકૂળ રે. શ્રી રાજ અર્થ:- જે મોહને ઝેરી ઝાડ સમાન માને, તથા તેને સંસારની વાસનાનું મૂળ જાણે, તેવા પુરુષો સર્વજ્ઞ ભગવાનની વાણી સાંભળીને મુનિઘર્મ પાળવાને યોગ્ય બને છે. રના
ક્લેશ વાસિત ચિત્તવંતને કર્મમેલ બહું હોય રે,
મલિન વસ્ત્ર રંગ ના ચઢે તેમ અયોગ્યતા જોય રે. શ્રી રાજ, અર્થ - હવે જે જીવો મુનિઘર્મ પાળવાને અયોગ્ય છે તે જણાવે છે –
ક્લેશથી વાસિત ચિત્તવાળાને કર્મનો મેલ બહુ હોય છે. જેમ મલિન વસ્ત્ર ઉપર જોઈએ તેવો રંગ ચઢતો નથી. તેમ તેવા જીવોમાં ઘર્મનો રંગ જોઈએ તેવો ન ચઢવાથી અયોગ્ય ગણાય છે. ભારરા
ઉપદેશથી નહીં અટકતું ભૂંડ વિઝા ભણી ઘાય રે;
પ્રીતિ સંસારે જે જીંવ ઘરે, અકાર્યમાં વહ્યો જાય રે. શ્રી રાજ અર્થ - જેમ ઉપદેશ આપવાથી વિષ્ટા ભણી જતું ભૂંડ અટકતું નથી તેમ જેને સંસારમાં પ્રીતિ છે તેવા જીવો નહીં કરવા યોગ્ય એવા વિષય કષાયમાં પ્રવર્તે છે. તેમનું મન ઘર્મમાં સ્થિર થતું નથી. ૨૩
મિથ્યાત્વ, ક્રોઘાદિ દોષથી અનધિકારી ગણાય રે,
બાહ્ય પરિગ્રહ તજી, રહે આર્તધ્યાને સદાય રે. શ્રી રાજ, અર્થ - મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયના દોષોથીયુક્ત એવા જીવો મુનિઘર્મ પાળવાને અયોગ્ય ગણાય છે. તેવા જીવો ભલે બાહ્ય પરિગ્રહને તજી દીક્ષા લઈ લે તો પણ આત્માના લક્ષ વગરના હોવાથી સદાય આર્તધ્યાનમાં સ્થિત રહે છે.