________________
૩૦૨
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
કરે તેવું થાય છે. પરા
જીવ-ભાવનું ના બને તેવું જો નિમિત્ત,
તો બાંધ્યાં તેવાં રહે; સત્તામાં સૌ સ્થિત. પ૩ અર્થ :- જીવના શુભાશુભભાવવડે ફેરફારનું તેવું કોઈ નિમિત્ત ન બને તો જેવા કર્મો બાંધ્યા હોય તેવા જ સૌ કર્મો સત્તામાં સ્થિત રહે છે. પલા
ઉદય-કાળ આવ્ય સ્વયં બને કર્મ-અનુસાર,
જેવો રસ કમેં રહ્યો તેવો રસ દેનાર. ૫૪ અર્થ :- પછી ઉદયકાળ આવ્ય સ્વયં તે કર્મો આપોઆપ જેવા રસથી બંઘાયેલા છે તેવા જ ફળને આપનાર થાય છે. આપ૪
રસ દઈ કર્મપણું તજે, પુદ્ગલરૃપ પલટાય;
પરમાણુ રહે જીંઘમાં કે છૂટી દૂર થાય. ૫૫ અર્થ :- કર્મ પોતાનો રસ શાતા અશાતારૂપે આપીને ખરી જાય છે અને કર્મપણાને તજી પાછા પુદ્ગલ પરમાણુરૂપે પલટાઈ જાય છે. પછી તે પુદ્ગલપરમાણુ કાં તો જીંઘમાં રહે છે, કાં તો જીંઘમાંથી છૂટા પડી દૂર થાય છે. પપાા.
સાથે બંઘાયેલ જે ઉદય-ક્રમે દેખાય;
પૂર્વે બંઘાયાં હતાં તેમાં વળી ભળી જાય. ૫૬ અર્થ - એક સમયમાં સાથે બંઘાયેલ કર્મપરમાણુઓ પોતાનો અબાઘાકાળ પૂરો થયે બાકી રહેલ સ્થિતિના જેટલા સમય હોય તે સર્વમાં ક્રમથી ઉદય આવે છે. વળી પૂર્વે બીજા ઘણા સમયમાં બાંધેલા પરમાણુ કે જે તે જ સમયમાં ઉદય આવવા યોગ્ય છે તે બધા ભેગા મળી જઈ ઉદયમાં આવે છે. પકા
પરમાણુફૅપ કર્મ તો દ્રવ્ય કર્મ પરખાય,
મોહજનિત ઍવ-ભાવ તે ભાવકર્મ લેખાય. પ૭ અર્થ :- પુદગલ પરમાણના બનેલા કર્મો તે અનંત પુદગલ દ્રવ્યોનો બનેલો પિંડ છે. તે દ્રવ્યકર્મ નામથી ઓળખાય છે અને મોહનીય કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલ મિથ્યાત્વ, ક્રોઘાદિરૂપ ભાવ થાય છે તે અશુદ્ધભાવ જીવના ભાવકર્મ છે; અર્થાત્ રાગદ્વેષ અજ્ઞાન એ જીવના ભાવકર્મ છે. પલા
નામકર્મથી જે થયું શરીર તે નોકર્મ,
સુખદુખ-કારણ કર્મવ; સુખદુખ દૈહિક ઘર્મ. ૫૮ અર્થ :- આ શરીર પ્રાપ્ત થયું છે તે નામકર્મનો ઉદય છે. તેને નોકર્મ કહેવાય છે. એ નોકર્મરૂપ શરીર પણ કર્મોની સમાન જીવને સુખદુઃખનું ભાજન થાય છે. કેમકે શાતારૂપ સુખ અને અશાતારૂપ દુઃખ એ દેહનો ઘર્મ છે. શાતાઅશાતા દેહમાં ઊપજે છે. આત્મામાં નહીં. આત્મા તો માત્ર તેનો જાણનાર છે. પણ મોહને લઈને શરીરમાં મારાપણું હોવાથી તે અશાતા જીવને દુઃખરૂપ ભાસે છે. પટના
દ્રવ્ય-ઇન્દ્રિયો શરીરમાં, દ્રવ્ય-મનસ્ કજરૂપ, વચન શ્વાસ-ઉચ્છવાસ સૌ દૈહિક અંગ અનૂપ. ૫૯