________________
(૭૭) સનાતન ધર્મ
(૭૭)
સનાતન ધર્મ
“સાચા પુરુષની શ્રદ્ધા, પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા એ જ સનાતન ધર્મ.” – પ.પૂ.પ્રભુશ્રીજી (કડખાની દેશી : પ્રભાતિયાને મળતો રાગ)
*
આજ ગુરુ રાજને પ્રણી અતિ ભાવથી, યાચના શુદ્ધતાની કરું છું; આપ તો શુદ્ધભાવે સદાયે રમો, બે ઘડી શુદ્ધભાવે કરું છું. આજ૧
૨૬૫
અર્થ :– આજ શ્રી ગુરુરાજ પ્રભુને ભક્તિભાવથી પ્રણામ કરીને શુભાશુભ ભાવથી રહિત એવો જે શુદ્ધભાવ, તેની મને પ્રાપ્તિ થાઓ એવી યાચના કરું છું. કેમકે શ્રી ગુરુરાજે કહ્યું : “મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા” આત્માની શુદ્ધતા વિના જીવનો મોક્ષ થતો નથી. આપ પ્રભુ તો સદા શુદ્ધ આત્મભાવમાં ૨મો છો. હું પણ બે ઘડી એટલે અડતાલીસ મિનિટ સુઘી શુદ્ધભાવમાં સ્થિરતા કરું કે જેથી કેવળજ્ઞાન પામી આત્માના સનાતન ધર્મને પામી જાઉં, એવી મારી અભિલાષા છે. ૧
પાર્મી જાતિસ્મરણ, જાણી લીઘો તમે, જે સનાતન મહા ઘર્મ સાચો; આત્મ-તિકારી તે, યાચતો બાળ આ, પરમરૂપાળુ કાઢે ન પાછો. આજ૨
=
અર્થ :– હે પ્રભુ! આપે જાતિસ્મરણજ્ઞાન પામી, સનાતન એટલે અનાદિકાળથી ચાલ્યા આવતા જ્ઞાનદર્શનમય આત્માના સાચા મહાન ઘર્મને જાણી લીધો.
આપ
તે ધર્મ આત્માને પરમ હિતકારી હોવાથી આ બાળ પણ આપની સમક્ષ તેની યાચના કરે છે. “કેવળ કરૂણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ.'' માટે પાછો કાઢશો નહીં એવી મને પૂર્ણ ખાત્રી છે. ।।૨।। પંથ ૫રમાર્થનો એક ત્રિકાળમાં, જાણ્ણ, સંસારના માર્ગ છોડું; પ્રેમ-સંસ્કાર સૌ પૂર્વ મિથ્યાત્વના, સત્ય પુરુષાર્થથી જરૂર તોડું. આજ૩
અર્થ :— ‘એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ' એમ જાણીને રાગદ્વેષ કરવારૂપ સંસારના
=
માર્ગનો ત્યાગ કરું. પૂર્વે સેવેલ મિથ્યાત્વ એટલે અજ્ઞાનને લઈને દેહ, સ્ત્રી, પુત્રાદિ કુટુંબ કે ઘનમાલ આદિ સર્વમાં પ્રેમના ગાઢ સંસ્કાર મારા જામેલા છે, તેને હવે ‘હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું' એમ સત્ય ભાવપુરુષાર્થવર્ડ કરી મોમાયાની સાંકળને જરૂર તોડી આત્મકલ્યાણને સાઘ્ય કરું. શાશા
તોષ-રોષે બળે લોક ત્રિકાળથી, શીતલ સત્પુરુષોની સુવાણી;
તાપ ત્રિવિધ ટાળી સુપથ દાખવે, જેમ દવ ઓલવે મેઘ-પાણી. આજ૪
અર્થ :— તોષ એટલે રાગ, રોષ એટલે દ્વેષ. આ રાગદ્વેષના પ્રાસ ફળથી ત્રણેય લોકના જીવો ત્રણેય કાળ અંતરમાં બળ્યા કરે છે, તેમાં શીતલ એવા સત્પુરુષોની સમ્યવાણી આ આધિ વ્યાધિ ઉપાધિરૂપ ત્રિવિધ તાપાગ્નિને ટાળી સમ્યમાર્ગ દેખાડનાર છે. જેમ લાગેલા દાવાનળને મેઘ એટલે વરસાદનું પાણી ઓલવી નાખે તેમ સત્પુરુષોની વાન્ની અંતરંગ બળતરાને શમાવી શાંતિ આપનાર થાય છે.