________________
(૭૮) સૂક્ષ્મ-તત્ત્વ-પ્રતીતિ
૨ ૭૭
કિંચિત્ હિંસા પૂજામાં, પણ બહુ હિતકારી અંતેજી,
ગૃહસ્થને પૂજાની આજ્ઞા દીથી છે ભગવંતેજી. સૂક્ષ્મ અર્થ - સ્નાનાદિથી પવિત્ર થઈ ભગવાનની પૂજા કરે તેમાં કિંચિત હિંસા થઈ એમ જણાય. પણ તે ઉત્તમભાવ થવાનું કારણ હોવાથી અંતે આત્માને બહુ હિતકારી સિદ્ધ થાય છે. માટે ગૃહસ્થને પૂજા કરવાની આજ્ઞા ભગવંતે આપી છે. ભાવથી ભગવાનની પૂજા કરવાથી કુમારપાળ રાજા થયો. દેવપાલ ભગવાનની પૂજા કર્યા વિના ભોજન ન લેવાથી ઉત્તમ ગતિને પામ્યો. ૩૩ાા
ઘર્મ-મંદિર કરવામાં હિંસા અલ્પ અને ફળ મોટુંજી,
કહ્યું શાસ્ત્રમાં તે વિવેકે સમજી, તજજો ખોટું છે. સૂક્ષ્મ અર્થ – ઘર્મ મંદિર બનાવવામાં હિંસા અલ્પ છે જ્યારે તેનું ફળ ઘણું મોટું છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. તેને વિવેકપૂર્વક સમજી ખોટી માન્યતાનો ત્યાગ કરજો. વીતરાગમુદ્રાના દર્શન કરવાથી વીતરાગતાની પ્રાપ્તિ થાય છે. સંપ્રતિરાજા, વિમલશાહ, વસ્તુપાળ-તેજપાળે અનેક ઘર્મમંદિરો બંઘાવી લક્ષ્મીનો સદુપયોગ કરી પુણ્ય ઉપાર્જન કર્યું હતું. [૩૪]
પાપ ટાળવા પ્રતિક્રમણ છે, પાપ તજી રહો ઘર્મેજી;
આત્મ-અનુભવ-કાળે તેના વિકલ્પથી વહો કર્મેજી. સૂક્ષ્મ અર્થ - કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરી પાપથી પાછા હટવા માટે પ્રતિક્રમણની યોજના ભગવંતે કરી છે. તે પાપોને તજી ઘર્મધ્યાનમાં નિમગ્ન રહેવું. જ્યારે આત્માના અનુભવ સમય તો નિર્વિકલ્પદશા છે. તેવા સમયે જ્ઞાની પુરુષોને પુણ્યપાપના વિકલ્પો હોતા નથી. જો તે વિકલ્પો કરે તો ફરી કર્મ ગ્રહણની ઘારા તેમને શરૂ થઈ જાય. ૩પા.
જેમ તાવમાં પૌષ્ટિક પાકો મહા દોષ ઉપજાવેજી;
ઊંચો ઘર્મ ભલો બહુ તોપણ વિકારી લોક લજાવેજી. સૂક્ષ્મ અર્થ - જેમ પૌષ્ટિક પકવાનનું ભોજન ઉત્તમ હોવા છતાં તાવના કારણે શરીરમાં મહાદોષ ઉત્પન્ન કરે, તેમ વીતરાગ પુરુષોનો બોઘેલો આત્મઘર્મ બહુ ઊંચો અને ભલો હોવા છતાં વિકારી જીવો પોતાના વિપરીત વર્તનથી તેને કલંક લગાડે છે. ૩૬ાા
રસાદિ વિષયે રહીં આસક્તિ, સર્વ પરિગ્રહ છોડેજી,
આર્તધ્યાન કે વિષય-પોષકૅપ ચઢે પાપને ઘોડેજી. સૂક્ષ્મ અર્થ - જિલ્લાદિ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેલી હોવા છતાં જે સર્વ પરિગ્રહને છોડી દીક્ષા ગ્રહણ કરે તો આર્તધ્યાન કરી કે પાંચ ઇન્દ્રિયોના વિષયોને પોષી પાપરૂપી ઘોડા ઉપર ચઢે છે. તે પાપરૂપી ઘોડો તેને દુર્ગતિમાં લઈ જાય છે.
ઉપર તજે ને અંતર ભજે, એમ નવિ સરે અર્થજી; વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી; ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના.” ૩ળા
સત્ય વિચારે ગ્રહ ઉપદેશો, સદાચાર સૌ સેવોજી, રાગ-રોષને ઘટાડવાનો લક્ષ નિરંતર લેવોજી. સૂક્ષ્મ