________________
(૬) અવિરતિ
વૃત્તિ રોકવા વ્રત આદરવાં, નહિ જનરંજન કાજ જોને, પાપવૃત્તિને પ્રથમ રોકવી ભવ તરવા થી દાઝ જોને. ૫
૧૮૯
અર્થ :— સર્વ વિરતિ એટલે સંપૂર્ણ સંયમ તો આત્મજ્ઞાની મુનિ મહાત્માઓ જ યધાર્થ ધા૨ણ કરી શકે અને દેશવિરતી એટલે અંશે સંયમ તે ગૃહી કહેતા આત્મજ્ઞાન સહિત એવા શ્રાવકો ધારણ કરી શકે, તેઓ પ્રથમ યથાશક્તિ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ કે વ્રત ધારણ કરવાનો વિચાર કરી તેનો અભ્યાસ કરે છે. કેમકે વૃત્તિઓને રોકવા માટે વ્રત છે, તે લોકોને રંજન કરવા માટે નથી. આવા વ્રતોને ધારણ કરતાં પહેલા સંસાર સમુદ્રને તરવાની અંતરમાં દાઝ રાખી પાપવૃત્તિઓને પ્રથમ રોકવી યોગ્ય છે. પા પાંચ પ્રકારે પાપ પ્રકાશે અવિરતિની ઘૂન જોને, હિંસા, મૃષાવાદ ને ચોરી પરિગ્રહ સહ મૈથુન જોને;
બાર પ્રકારે કોઈ પ્રકાશે અવિરતિરૂપ આચાર જોને, પાંચ ઇન્દ્રિય ને મન નહિ રોકે આત્મઘાત વિચાર જોર્ન, ૬
અર્થ :— અનાદિકાળથી અસંયમની ધૂનના કારણે જીવની આ પાંચ પ્રકારના પાપોમાં પ્રવૃતિ છે. તે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન અને પરિગ્રહ છે. કોઈ વળી અસંયમના આચાર સમા અસંયમના બાર પ્રકાર બતાવે છે. તેમાં છ ઇન્દ્રિય અસંયમ અને છ પ્રાણી અસંયમ છે. પ્રથમના ઇન્દ્રિય અસંયમમાં પાંચ ઇન્દ્રિયો અને મનનો અસંયમ છે. તે ઇન્દ્રિયો અને મનની વિભાવરૂપ વૃતિઓને ન રોકે તો તેને આત્મઘાતક વિચારવાળો જાણો. તે વૃતિઓને રોકવી તે છ પ્રકારે ઇન્દ્રિય સંયમ કહેવાય છે. ।।૬।।
પૃથ્વી-જળ-તેજ-વાયુ-ક્રાય ને વનસ્પતિરૂપ જીવ જોને, એ એકેન્દ્રિય પાંચ પ્રકારે, વળી હણે ત્રસ જીવ જોને; બે-ઇન્દ્રિય ત્રણ-ઇન્દ્રિયઘારી વર્લી ચઉં-પંચેન્દ્રિય જોને,
એ ચારે ત્રસ એક પ્રકારે; સ્થાવર એકેન્દ્રિય જોને. ૭
અર્થ :— હવે અસંયમના બાર પ્રકારમાં બીજા પ્રકાર તે છ કાય જીવોની રક્ષા ન કરવી તે છે, તેમાં પૃથ્વી, પાણી, તેજ એટલે અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયના એકેન્દ્રિય જીવોના પાંચ પ્રકાર તથા બે, ત્રણ, ચાર અને પાંચ ઇન્દ્રિયને ઘારણ કરવાવાળા ત્રસકાય જીવનો તે છઠ્ઠો પ્રકાર છે. એમાં પૃથ્વી પાણી આદિ સ્થાવર જીવો કહેવાય છે અને બે ઇન્દ્રિયથી પાંચ ઇન્દ્રિય સુધીના જીવો હાલતા ચાલતા હોવાથી ત્રસકાય ગણાય છે. તેમની હિંસા ન કરવી તે છ પ્રકારે પ્રાણી સંયમ કહેવાય છે. ।।૭
પરાઁવ પ્રત્યે દયા ઘરે તે બાહાવ્રત ઘરનાર જોને; અંતર્તી તો કષાય ટાળે, આત્મકૃપા તે સાર જોને; અવિરતિનું કારણ જોતાં જડે કષાયો બાર જોને પ્રથમ કષાય, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની ધાર જોને 2 હવે બાહ્યવ્રત અને અંતરવ્રતનું સ્વરૂપ જણાવે છે :
અર્થ :— જે બીજા જીવોની દયા પાળવામાં માત્ર ધર્મ માને તે બાહ્યવ્રતને ધારણ કરનાર જાણવા. જ્યારે અંતરંગવ્રતને ધારણ કરનારા તો પ્રથમ કાચભાવોને ટાળે છે. તે આત્મકૃપા એટલે પોતાનો તે આત્મા જે કષાયભાવોને લઈને આ સંસારમાં રઝળે છે તે કષાયભાવોને હણવા જે પોતાના આત્મા ઉપર