________________
પ્રજ્ઞાવોધ-વિવેચન ભાગ-૨
અર્થ :– આ નવે સિદ્ધાંતો જૈન સાધુપુરુષોના મુખથી ઘણીવાર સાંભળ્યા હતા, છતાં પણ તારી તે ભણી ભલી દૃષ્ટિ જ ક્યાં હતી? હવે તે સિદ્ધાંતોનો સ્મૃતિ અનુસાર વિચાર કર. ॥૬॥ જિન સિદ્ધાંત યથાર્થ છે, ફેર નહીં મીન-મેખ,
ઓછું નહિં જવભાર કે, વધુ તલ-ભાર ન, દેખ. ૬૬
૨૧૮
અર્થ :— જિનેશ્વર ભગવંતોએ કહેલા આ સિદ્ધાંતો યથાર્થ છે. એમાં મીનમેખ પણ ફેરફાર નથી. એમાં જવભાર ઓછું નથી કે તલભાર વધારે નથી. ।।૬૬।।
તન, મન, વચન દમી ચો શાંતિ આત્માકાર,
ઠામ ઠામ જિન-વચન એ, સર્વ જીવનહતકાર. ૬૭
અર્થ :– ‘મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઇચ્છો. એ જ એનું સ્થળે સ્થળે બોઘવું છે.’ જે સર્વ જીવોને હિતકારક છે. ।।૬।ા
ના સંસાર તજી શકે, તેને શિયળ સાર; એકપત્નીપર મરદ ને પતિવ્રતા છો નાર. ૬૮
અર્થ :– જે સંસાર ત્યાગ કરી શકે નહીં તેને શિયળ એટલે સદાચાર સારરૂપ છે. પુરુષોએ એક પત્નીવ્રત અને સ્ત્રીઓએ પતિવ્રત અવશ્ય પાળવું એવો ભગવંતનો ઉપદેશ છે. કટા
સદાચારી ગણાય તે, ધર્મ-યોગ્ય સંતોષ, સીતા-રામ બીજાં ગણો ઢળે રોગ ને દોષ. ૬૯
અર્થ :– એમ મર્યાદાથી વર્તતા પતિપત્ની તે સદાચારી ગણાય છે. એવા સંતોષી જીવો ધર્મ આરાધવાને યોગ્ય છે. તેમને બીજા સીતા-રામ જાણો. એમ વર્તવાથી રોગ અને બીજા અનેક દોષોથી દૂર રહી શકાય છે. ૬થા
૫૨સ્ત્રી–ગામીને થતા ચાંદી, ક્ષય, પ્રમેહ, પુનિત સ્વ-સ્ત્રીથી નહીં દેખ્યા રોગો તેહ. ૭૦
અર્થ :– પરસ્ત્રી-ગામી જીવ અંક્તિ થાય છે. તેને ચાંદી, પ્રમેહ અને ક્ષય આદિ રોગો સહન કરવા પડે છે અને બીજાં અનેક દુરાચરણો વળગે છે. પુનિત એટલે પવિત્ર એવી પોતાની સ્ત્રીથી કોઈને તેવા રોગો થતાં જોયા નથી. ।।૭।।
પતિવ્રતા સ્ત્રી તો સતી, મન તેનું સ્થિર થાય
સંસારી અભ્યાસ પણ ધર્મ જો મન જાય. ૭૧
અર્થ :– પતિવ્રતા સ્ત્રી તે સતી છે. તેનો સંસારી અભ્યાસ હોવા છતાં પણ જો ઘર્મમાં તેનું મન જાય તો તે મન સ્થિર થાય છે. ।।૧।।
ભવમોક્ષ ય પક્ષમાં શ્રેયસ્કર સિદ્ધાંત,
સાચું તો સારું બધે, સમજી જીવ, થા શાંત. ૭૨
અર્થ :— સંસાર કે મોક્ષ એ બેય પક્ષમાં એના સિદ્ધાંતો શ્રેયસ્કર છે. સાચું તો બધે સારું જ હોય. તેને તે જીવ હવે સમજી હું શાંત થા. ।।૩૨।।