________________
(૭૫) છ પદ-નિશ્ચય
૨૫૧
તેલવાળા હાથ હોય તો ૨જ એટલે ધૂળ આવીને ચોટે, તેમ રાગદ્વેષાદિ ભાવો હોય તો નવીન કર્મો આવીને આત્મા સાથે ચોટે છે. રાગદ્વેષવડે જે શુભાશુભ કર્મો બંધાય છે, તે જ જીવને સુખદુ:ખના આપનાર થાય છે. તેને લઈને જગતમાં વિચિત્રતા જણાય છે. આ કર્મનું સ્વરૂપ સમજાવવું ઘણું ગૂઢ છે.
સૌ રંક રાજા કર્મ-આર્થીન યોગ્ય કુળ ઊપના, જો કર્મ પૂર્વ તણાં ન માનો તો ઊઠે સંશય ઘણા— ઈશ્વર કરે છે સર્વે એવું માનતાં પુરુષાર્થનો અવકાશ કોઈ ના રહે, હિત સાધવા ન સમર્થ, જો. ૧૯
અર્થ :– સર્વ અંક એટલે ગરીબ અથવા રાજા, પોતપોતાના કર્મને આધીન યોગ્ય કુળમાં જન્મ પામ્યા છે. એમનો આ કર્મનો ઉદય પૂર્વભવનો ન માનીએ તો અનેક પ્રકારની શંકાઓ ઊભી થાય છે. અથવા આ બધું ઈશ્વર કરે છે એમ માનીએ તો પુરુષાર્થને કોઈ અવકાશ રહેતો નથી. અને જો પુરુષાર્થ જીવો ના કરે તો પોતાના હિતને સાધવા તે સમર્થ બની શકતા નથી. ।।૧૯।
ના બંઘ-મોક્ષ ઘટે, પછી ઉપદેશ કરવો વ્યર્થ તો, જીવ યંત્ર સમ ગણવારૂપે સિદ્ધાંત માત્ર અનર્થનો; કરતો નથી જીવ કાંઈ એવું માનનારાને સદા સંસારનાં દુઃખો શિરે વવાં પડે એ આપદા. આત્મા સદાય અસંગ માને, મોક્ષ તેનો ના ઘટે, દુઃખી દશાથી છૂટવા સૌ થર્મ-ઉપદેશો ૨ટે. ૨૦
અર્થ :— જીવને બંઘ કે મોક્ષ કાંઈ છે નહીં. એમ જો માનીએ તો પછી તેને ઉપદેશ કરવો વ્યર્થ છે. જીવને જો યંત્ર સમાન બીજા ચલાવે એમ ગણીએ તો કર્મ કરવા વગેરેના સિદ્ધાંતો અર્થ વગરના છે. આ જીવ કાંઈ કરતો જ નથી એવું માનનારાઓને પણ સદા સંસારના દુઃખો શિરે વહેવા પડે છે, જે આપત્તિરૂપ છે. જે મત આત્માને સદાય અસંગ માને, તે આત્માનો મોક્ષ કરવો ક્યાં રહ્યો. જ્યારે સર્વે મતદર્શનવાળાઓ પોતાની દુઃખી દશાથી છૂટવા માટે ધર્મના ઉપદેશોને રહ્યા કરે છે. ।।૨ણા
માયા, પ્રકૃતિ, કર્મ માનો વાસના, સંસ્કાર વા; આત્મા તણી તે પ્રેરણા-ક્રિયા વિના સંસાર ના. સંસાર-કર્તા જીવ માનો, તો જ કર્તા મોક્ષનો, વિભાવ કર્માીન હૂઁઢે, કર્યાં ગયે; નિષ્પક્ષ જો. ૨૧
અર્થ :— વેદાંત જગતને ઈશ્વરની માયા માને, સાંખ્ય મતવાળા પચ્ચીસ પ્રકૃતિ માને, કોઈ મતવાળા વાસનાને કર્મ માને અથવા બૌદ્ધ મતવાળા આત્માને ક્ષત્રિક માને અને કહે છે કે એક આત્મા બીજા આત્માને સંસ્કાર આપી જાય છે. પણ આ બધામાં આત્માની પ્રેરણારૂપ ક્રિયા વિના જીવને સંસાર હોઈ શકે નહીં. ‘હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ.’’ પોતાના સંસારનો કરનાર જીવને માનીએ તો જ તે સર્વ કર્મોને છોડી મોક્ષનો પણ કર્તા બની શકે તથા કર્મને આધીન રહેલા વિભાવ ભાવો તો જ છૂટે, અને કર્મોનો નાશ થયે તે રાગદ્વેષના પક્ષથી રહિત થયો અર્થાત્ વીતરાગ થયો. અને વીતરાગી આત્મા જ મોક્ષને પામી શકે છે. શરણા