________________
(૬૧) જિનમત-નિરાકરણ
૧ ૧ ૧
તો પુરુષો શાંતિને ઘારણ કરી મૌન થઈ જાય છે. એવો સંત પુરુષોનો સ્વભાવ દયાળુ છે કે તેઓ કોઈને કિંચિત્માત્ર પણ દુઃખ દેવા ઇચ્છતા નથી. ૨૦
કહે જિજ્ઞાસુ : “ત્યાગી મૂંડે બાળકને લલચાવી રે,
કર્યા કાયદા સરકારે પણ કરુણા કેમ ન આવી રે?” શ્રીમદ્ અર્થ - જિજ્ઞાસુ એવો આત્માર્થી ફરી બીજો પ્રશ્ન કરે છે કે આ કળિયુગમાં વેષઘારી ત્યાગીઓ, અજ્ઞાની એવા બાળકને પોતાનો શિષ્ય બનાવવા માટે છ-છ મહિના સાથે ફેરવી લલચાવીને મૂંડી નાખે અર્થાત્ દીક્ષા આપી દે છે. સરકારે પણ આવા અજ્ઞાની બાળકને મૂંડવા નહીં એવા કાયદા કર્યા છતાં પણ તે વેષઘારી ત્યાગીઓને એવા બાળક ઉપર દયા કેમ ન આવી? કે આ બાળક બિચારો તરવારની ઘાર પર ચાલવા સમાન આ ચારિત્ર ઘર્મને કેવી રીતે પાળી શકશે? પારના
સત્યમતિ કહે : “જનગણ-રંજન કરનારો તે રાજા રે,
પ્રજાકતલ કરનારો કોઈ મૂકે જો નિજ માજા રે. શ્રીમદ્ અર્થ:- જવાબમાં સત્યમતિ કહે : જનના સમુહને રંજિત કરનાર હોય તે સાચો રાજા કહેવાય. પણ કોઈ રાજા પ્રજાકતલ કરનારો આવી જાય અર્થાત્ પ્રજાને અનેક રીતે દુઃખ આપવામાં જો પોતાની માજા એટલે મર્યાદા મૂકી દે તો તેને કોણ છોડાવે. તેમ કહેવાતા ત્યાગીઓ પણ બિચારા બાળક એવા અજ્ઞાનીને લલચાવીને મૂંડી દે તો બીજો તેની કોણ રક્ષા કરે? પારરા
રાજ્ય પ્રજાસત્તાક થયાં છે દુઃશાસનથી બચવા રે,
રામ-રાજ્ય પણ કોઈ ન ભૂલે; દોષ હોય તે તજવા રે. શ્રીમદ્ અર્થ - એવા ખોટા રાજાના દુઃશાસનથી બચવા માટે પ્રજાની સત્તાવાળા પ્રજાતંત્ર રાજ્ય બન્યા છે. રામ રાજ્યમાં સર્વ પ્રજા સુખી હતી. તેને આજે પણ કોઈ ભૂલતું નથી. તેમ પ્રજાસત્તક રાજ્યમાં પણ કોઈ દોષ હોય તો તેને તજવા જોઈએ. પારકા
તેમ જ સંત-સમાજ વિષે પણ ઘણા દયાના દરિયા રે;
અવિવેકી કોઈ પૂર્વ-પુગ્યવશ વર્તે મોહે ભરિયા રે. શ્રીમદ્ અર્થ:- તેવી જ રીતે સંતપુરુષોના સમાજમાં પણ ઘણા દયાના સમુદ્ર જેવા હોય છે, નાસ્તિ નથી. કોઈ અવિવેકી એવા કહેવાતા સંતપુરુષો પૂર્વના પુણ્યવશ બાહ્યચારિત્ર પામી ગયા પણ હજી તેમનું વર્તન મોહથી જ ભરેલું જણાય છે. ૨૪
શિષ્યમોહથી ભૂંડે શિશુગણ, જગદ્ગુરું થઈ ફરતા રે,
દીક્ષા દઈ ઉદ્ધાર કરું છું, એમ વિચારો કરતા રે. શ્રીમદ્ અર્થ :- આવા કહેવાતા મોહી સંતો શિષ્ય બનાવવાના લોભથી બાળકોને મૂંડી દે છે અને પોતે જ પોતાને જગદ્ગુરુ માની ફર્યા કરે છે અને એમ માને છે કે હું તો જીવોને દીક્ષા દઈ તેમનો ઉદ્ધાર કરું છું. રપા
કર્યા કાયદા તેથી બચવા, સર્વ સમાજ ના તેવો રે, અપવાદરૂપ પ્રસંગ તણો ના મુખ્ય દાખલો લેવો રે.” શ્રીમ