________________
૭ ૬
પ્રજ્ઞાવબોઘ-વિવેચન ભાગ-૨
(૫૯) (ચાર) ઉદયાદિ ભંગા
૧ બંઘ* આત્માના પ્રદેશો સાથે કાર્પણ વણાઓનું અથવા પુદ્ગલ પરમાણુઓનું, દૂઘ અને પાણીની જેમ એકમેક થઈ જવું તેને બંધ તત્ત્વ કહે છે.
(દીઠો સુવિધિ નિણંદ સમાધિરસે ભય, હો લાલ, સમાધિરસ ભર્યો એ રાગ)
પ્રાસ્તાવિક આ વિષય સંબંઘી ભૂમિકારૂપે પ્રથમ ટૂંકો ઉલ્લેખ કરવો તે પ્રાસ્તાવિક કહેવાય છે. વંદું શ્રી રાજચંદ્ર અગાઘ ગુણે ભર્યા, હો લાલ, અગાઘ ગુણે ભર્યા;
બંઘ, ઉદય, સત્તાદિ યથાર્થ લહી તર્યા, હો લાલ યથાર્થ લહી તર્યા. ૧ અર્થ - પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને હું ભક્તિભાવે પ્રણામ કરું છું કે જે આત્માને અનંત કાળના કમોંથી કેમ છોડાવવો તે સંબંધીનું અગાઘ એટલે અતિ ઊંડું જ્ઞાન ઘરાવનાર હોવાથી ગુણોના ભંડારરૂપ છે. તે ઊંડા જ્ઞાનને આઘારે બંઘ, ઉદય, ઉદીરણા અને સત્તામાં રહેલા કર્મના સ્વરૂપને યથાર્થ જાણી જેઓ સંસાર સમુદ્રને તરી ગયા.
તે કર્મનું સ્વરૂપ સંક્ષેપમાં નીચે પ્રમાણે છે :| (૧) બંઘ ઃ- શુભાશુભ ભાવોનું નિમિત્ત પામી નવીન કમનું ગ્રહણ કરવું તે બંધ.
(૨) ઉદય :- બાંધેલા કર્મના ફળનો અબાઘાકાળ પૂર્ણ થયે ઉદયાવલિકામાં પ્રવેશ પામી ફળ આપવું તે ઉદય.
(૩) ઉદીરણા :- ઉદયમાં નહીં આવેલા કર્મોને બાર પ્રકારના તપ આદિવડે ઉદયમાં લાવી ભોગવી લેવાં તે ઉદીરણા.
(૪) સત્તા – આત્મા સાથે બંધાયેલા કર્મોના જથ્થાનું અબાઘાકાળ સુધી વળગી રહેવું તે કર્મોની સત્તા કહેવાય છે. ||૧ાા.
બંઘાદિ-આઘાર ઑવોના ભાવ જે, હો લાલ ર્જીવોના
ભિન્ન ગણાય અનંત, ચૌદ સંક્ષેપ તે. હો લાલ ચૌદ૦ ૨ અર્થ :- જીવોને કર્મબંઘ આદિના આઘાર પોતાના શુભાશુભ ભાવ છે. શુભાશુભ નિમિત્તોના કારણે જેવા શુભાશુભ ભાવ જીવ કરે છે તેવા પ્રકારનો તેને શુભાશુભ કર્મનો બંઘ થાય છે. ભાવથી બંઘ અને ભાવથી મોક્ષ છે.
જે રાગદ્વેષાદિ વિભાવભાવો આત્મા કરે તે તેના સ્વભાવમાં નથી. તે વિભાવભાવોના અનંત પ્રકાર * જુઓ ‘બંઘયંત્ર” પૃષ્ઠ ૬૦૦ ઉપર