Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આઝાદી પહેલાં અને પછી
ગુજરાતમાં કેટલાક સમાજસુધારકે તેમ અન્ય પરિબળાના પ્રભાવથી ગાંધીયુગ દરમ્યાન અમુક ક્ષેત્રોમાં જ્ઞાતિનુ વંસ શહેરામાં ધટતું જતું હતું, પરંતુ જ્ઞાતિસૉંસ્થાની પકડ ગામડાંઓમાં ઘણી સજ્જડ હતી. ગામડાંઓના સમાજ અજ્ઞાન પછાત અને શાષિત હતા અને જ્ઞાતિગંગાની મર્યાદા ઓળંગવા અસમથ' હતા. ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓ ગામડાંઓમાં શરૂ થઈ એના અનુસ ંધાનમાં સામાજિક ક્રાયકરાએ ગામડાંઓના લોકોને કેટલાક ક્રૂર રિવાજોતી પકડમાંથી છેડાવવાની કામગીરી શરૂ કરી હતી. ગાંધીજીએ નાતજાતને ગધાતા ખામાચિયા' તરીકે ગણાવી અને જ્ઞાતિસ ંસ્થાની જડતા ઓછી કરવા સબળ પુરુષાથ આદર્યા. અસ્પૃશ્યતા નિવારણ અંગેના એમના વિચારો અને કાય*ક્રમા કેટલાક રૂઢિચુસ્ત લોકો માટે જલદ અને અગ્રાહ્ય હેાવા છતાં ગાંધીજીના સુધારક અનુયાયીઓના એક મોટો વગ જ્ઞાતિભેજન અને પ્રેતભાજનના વિધી હતા. એમણે ગાંધીજીના વિચારાને અપનાવ્યા અને એને અમલમાં મૂકવાના પ્રયાસ શ્વેર્યાં. આ પ્રયત્નને પરિણામે જ્ઞાતિસંસ્થાના કેટલાક જડ નિયમમેનુ જોર નરમ પડયું. હવે વિભિન્ન જ્ઞાતિની વ્યક્તિ એક પંગતમાં એસી 'પ્રીતિભોજન' કરવા લાગી. ગાંધીજી આંતરજ્ઞાતીય તેમજ અસ્પૃશ્યા અને સવર્ણ વચ્ચેના લગ્નસંબંધની પણ હિમાયત કરતા હતા.
ગાંધીજી ઉપરાંત પરિસ્થિતિજન્ય ફેરફારો અને પરિબળાને કારણે સમયના વહેવા સાથે જ્ઞાતિના જડ નિયમેામાં છૂટછાટ આવી. ઝડપી વાહનવહેવારનાં સાધનાથી ગામડાં અન્ય પ્રદેશ સાથે સાંકળાતાં ગયાં અને પરસ્પર ભૌતિક ચીજવસ્તુઓનું આદાનપ્રદાન પ્રમાણમાં વિસ્તરતું ગયું. છાપાં તાર ટપાલ રેડિયા સિનેમા પ્રત્યાદિ સ`ચારનાં સાધનો અને શૈક્ષણિક વિકાસથી માનવીની વૈચારિક ક્ષિતિજો વિસ્તરતી ગઈ. એક બાજુ ગામડાં તૂટતાં ગયાં તે બીજી બાજુ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના વિકાસે ગ્રામજનતા રોજીરોટી અથે` શહેરો તરફ સવિશેષ સ્થળાંતર કરવા લાગી. સામાન્ય ગ્રામવાસો નાનકડા જાણીતા વર્તુળમાંથી બહાર નીકળીને અજાણ્યા સમુદાય વચ્ચે રહેવા લાગ્યા. પરિણામે કેટલાક ઔપચારિક બંધન તૂટવા લાગ્યાં, જ્ઞાતિની પકડ ઢીલી પડવા લાગી. મૂળ પતનમાં દીવા દેવતા બધ' થવાના ભય સેવતા ગ્રામજન સામાજિક પ્રસ ંગે જ્ઞાતિના નિયમ મુજબ જ ઉકેલી શકતો. એને બદલે ચેડીક છૂટછાટ લેતા અને હળવાશ અનુભવતા થયા, જેને લીધે જ્ઞાતિની પકડ તેમ વ*સ ઘટતું ગયું. રહેઠાણ તથા કામની જગા તેમજ અન્ય પરિસ્થિતિને કારણે છૂતાછૂત તથા ખાનપાનના નિયમેમાં મંદતા આવી.
૨૦૮
આઝાદી બાદ ભારતના રાજ્યબંધારણે દેશના સવ" નાગરિકને જ્ઞાતિ ધમ કે લિંગના ભેદભાવ સિવાય કેટલાક અધિકાર બહ્યા છે, આથી સૈદ્ધાંતિક રીતે