Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આર્થિક સ્થિતિ અને વિશ્વસ
૨૮૫
અમદાવાદમાં આ ઉપરાંત હાઝિયરી-ઉદ્યોગ ૧૯૨૦ પછીથી વિકસ્યો છે. અમદાવાદનાં આઠ કારખાનાં અને ભાવનગરના એક કારખાનામાં બીજા વિશ્વયુદ્ધ પહેલાં ૧૪,૯૭૪ માણુસાને રોજી મળતી હતી. સુરત અને વડોદરામાં પણ આવાં કારખાનાં છે. ૧૯૬૨ માં જીન-પ્રેસનાં ૪૭૧ કારખાનાં હતાં તેમાં ૪૫,૫૧૧ લોક કામ કરતા હતા. રંગાટી અને છાપકામના ૧૯૫૯ - ૬૦ માં ૧,૬૩૪ એકમ હતા તે દ્વારા ૩,૯૮૦ લોકેને રાજ મળતી હતી. કૃત્રિમ રેશમી કાપડ માટેનું સૂતર તૈયાર કરવાનાં કારખાનાં સુરત અને વેરાવળમાં છે. કૃત્રિમ રેશમી કાપડ અરબસ્તાન રાક પૂર્વ”—આફ્રિકા બહેરીન એડન વગેરે પરદેશમાં તથા ભારતના અન્ય ભાગામાં જાય છે.
મીઠાના ઉદ્યોગ
આઝાદી બાદ આ ઉદ્યોગ વિકસ્યા છે. ૧૯૪૭ પૂર્વે એનુ ઉત્પાદન ચાર લાખ ટન હતું. ગુજરાત સમગ્ર દેશના મીઠાના ઉત્પાદનના ૫૦ ટકા હિસ્સા ધરાવે છે. એનુ ઉત્પાદન ૧૯૬૦ સુધી ૧૬ લાખ ટન થયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છતા એમાં મુખ્ય હિસ્સા છે. ખારાધોડા ખંભાત ધારાસણા વગેરે સ્થળાએ તળગુજરાતમાં મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠાની આડ પેદાશનાં કારખાનાં મીઠાપુર ધ્રાંગધ્રા અને ખારાધેાડામાં છે. ભાવનગરમાં નમક-સશોધન સસ્થા છે.
રસાયણ-ઉદ્યોગ
ગુજરાતમાં મીઠું અને ચૂનાની વિપુલતાને લીધે આ ઉદ્યોગ વિકસ્યા છે. એક ટન સાડા અઁશ બનાવવા માટે ચાર ટન મીઠું અને ચૂને જોઈએ છે. ૧૯૫૧ માં ધ્રાંગધ્રા અને મીઠાપુરનાં કારખાનાંઓનુ સાડા ઔંશનું ઉત્પાદન ૪૮, ૬૦૦ ટન હતું. ૧૯૬૦-૬૧ માં સમગ્ર દેશમાં સોડા અઁશનું ઉત્પાદન ૧,૪૭,૬૦૮ ટન હતુ. આ પૈકી ૧,૩૭,૬૨૨ ટન ગુજરાતમાં પેદા થયેલ. ગુજરાતનો હિસ્સો ૯૫ ટકા જેટલો છે. આ કારખાનાં કોસ્ટિક માડા, કલોરિન, બ્લીચિંગ પાઉડર, મૅગ્નેશિયમ કલારા, મૈગ્નેશિયમ સલ્ફેટ, બ્રેામિન વગેરે બનાવે છે. અમદાવાદ વડોદરા ખારાધોડા ભાવનગર નડિયાદ આણંદ સુરત વગેરે સ્થળોએ કેટલાંક કારખાનાં છે. આ બધાં કારખાનાં મીઠાના અને ગધકને તેજાબ, ઍપ્સમ અને ગ્લોબર સૉલ્ટ, એલ્યુમિના સલ્ફેટ, ફટકડી, કઝાલિક ઍસિડ, જંતુઘ્ન દ્રબ્યો, રેફ્રિાઇડ અને મેથિયેટેડ સ્પિરિટ, સુપર ફ્રાસ્ફેટ, સ્ટા' વગેરે બનાવે છે. વડોદરામાં ફોટોગ્રાફીનાં -રસાયણ બને છે. સૌરાષ્ટ્રમાં સોડિયમ સિલિકેટનાં ઘણાં સરખાનાં છે. આ