Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૧૨
આઝાદી પહેલાં અને પછી
સરકારોએ સ્ત્રી કેળવણીને વેગ આપવા પ્રયત્ન કર્યા, પરંતુ, યુદ્ધ શરૂ થતાં એ કાય` અટકી ગયું૨૬
કન્યાઓ માટેની અલગ પ્રાથમિક શાળાઓની તથા માધ્યમિક શાળાઓની સંખ્યા વધતી રહી અને સ્ત્રીએ માટેની અલગ કૉલેજો પણ સ્થપાઈ તેમજ સહશિક્ષણ આપતી શાળાઓ તથા કૉલેજોમાંય છેકરીઓ વધુ ને વધુ સખ્યામાં દાખલ થતી રહી. પરિણામે ગુજરાતમાં સ્ત્રી શિક્ષણના વ્યાપ વધ્યો. શ્રીમતી ના. ધ. ઠા. યુનિવર્સિ`ટી' માં સ્ત્રીને મળતી વિશિષ્ટ સવલતા અન્ય યુનિવર્સિ*ટીએમાંય પ્રચલિત થતાં વિમેન્સ યુનિવર્સિટીનુ મહત્ત્વ ચાડું ઘટયું. વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન જેવી વિદ્યાશાખામાં વિદ્યાથીનીએ નોંધપાત્ર સ ંખ્યા ધરાવવા લાગી તેમજ પરીક્ષાનાં પરિણામેામાં પણ અગ્રસ્થાન ધરાવતી થઈ.
પૂર્વ-પ્રાથમિક શિક્ષણ
ગિજુભાઈ બધેકાએ શિક્ષણના પ્રયાગ ગુજરાતમાં જ નહિ, ભારતમાં પણ સવ' પ્રથમ કરીને કેળવણીની મેટી સેવા કરી છે.૨૭ એમની અથાગ જહેમતથી ગુજરાતમાં મૉન્ટેસરી પદ્ધતિના બાલશિક્ષણની પ્રવૃત્તિ શરૂ થઈ અને ગુજરાતમાં
વ્યાપક બની.
પૂર્વ–પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતમાં એ પદ્ધતિ પ્રચલિત થઈ એ પહેલાં કિન્ડરગાટન પદ્ધતિ પ્રમાણેની ‘બાલવાડીએ' સ્થપાઈ, જેમાં બાલમાનસના વિકાસ માટે રમત અને રમકડાંને પ્રાધાન્ય આપવામાં આવેલુ. વડેદરા રાજ્યે આ પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવામાં વિપુલ ફાળે આપેલા. બીજી પદ્ધતિ છે મોન્ટેસરીની. ૧૯૧૪ માં શ્રી સરલાદેવી સારાભાઈનું ધ્યાન એ પ્રત્યે ખેંચાયેલું. શ્રી મોતીભાઈ અમીનની પ્રેરણાથી દરબાર ગોપાલદાસે ૧૯૧૫ માં વસે(તા. પેટલાદ)માં આ પદ્ધતિની શિશુશાળા શરૂ કરી. એમાંથી પ્રેરણા લઈને ગિજુભાઈ બધેકાએ ભાવનગરત ‘દક્ષિણામૂતિ' સંસ્થામાં ૧૯૨૦ માં બાલમદિર' સ્થા'યુ. પૂર્વ'-પ્રાથમિક શિક્ષણ માટે શિક્ષકોને તાલીમ આપી એમણે આ શિક્ષગુપ્તે ગુજરાતભરમાં વ્યાપક બનાવ્યું. ગિજુભાઈએ અને તારાબહેને બાલસાહિત્ય અંગેનાં પુસ્તક લખ્યાં. ૧૯૨૫ માં ગુજરાતમાં ‘મોન્ટેસરી સધ' સ્થાપ્યા. ૧૯૫૦ માં મેક્રમ મૌન્ટેસરી ગુજરાતમાં આવ્યાં. ૧૯૬૦ સુધીમાં ગુજરાતમાં ૩૦૦ થી વધુ બાલમદિર સ્થપાયાં. પૂ પ્રાથમિક અધ્યાપન–મંદિરાની સંખ્યા વધીને ૨૦૦ની થઈ.૨૮
ચરોતર એજ્યુકેશન સેાસાયટી'એ ઈ. સ. ૧૯૧૬ પછી અને વડોદરામાં ઈ. સ. ૧૯૧૮ ની આસપાસ કિન્ડર–ગાટ”ન પદ્ધતિએ બાળશિક્ષણના પ્રયાગ કર્યા તે બાલવાડી’ કે ‘આંગિણવાડી' તરીકે ઓળખાય છે.૨૯