Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 13
________________ બીજ, ધરતી ને આબોહવા કોઇ સજ્જનનો સુપુત્ર થોડો ‘આડો ફાટ્યો ત્યારે તેના સ્વજનોએ સ્વ. પૂ. જૈનાચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજને પૂછેલું: “આંબામાંથી આંબો પાકે, બાવળમાંથી બાવળ પાકે તો પછી સજનનો સપૂત ખરાબ કેમ પાકે ?'' ત્યારે પૂજ્યશ્રીએ ગજબનો તર્કશુદ્ધ જવાબ આપેલો : “એ જ આંબામાંથી ફિક્કા પાંદડા પાકે છે, એ જે બાવળમાંથી સારો ગુંદર તથા દાંત સાફ કરનારા સારા દાંતણ પણ પાકે છે ને ! જે તળાવમાંથી કમળ જન્મે છે, તે જ તળાવમાંથી કીડા પણ જન્મે છે ને ! તો સારામાંથી સારું જ પ્રગટે એવો એકાંત નિયમ ક્યાં રહ્યો ?'' પછી વધુ સ્પષ્ટત કરતા જણાવ્યું “ખરી રીતે જુઓ તો આંબામાંથી આંબો પાકે એ એક જાતનું સમાન શરીર છે. એમ અહીં પણ પિતાનું માનવ શરીર છે તો પુત્ર પણ માનવશરીર રૂપે જ જન્મ્યો છે એટલે એ અંશની સમાનતા (Physical Similarity) તો છે જ. જે અસમાનતા જણાય છે તે તો જીવનગત ગુણ-દોષો અંગે જણાય છે અને તે ~~~~~ ~~~ ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98