Book Title: Gharshala
Author(s): Udayvallabhvijay
Publisher: Pragna Prabodh Parivar

View full book text
Previous | Next

Page 59
________________ ધાકતે ધાકમાં રાખો “આ વૃક્ષ કેવું ભાગ્યશાળી છે કે આવી સુંદર લતા તેને વીંટળાઇ છે !” “ના, ના, ખરી ભાગ્યશાળી તો આ લતા છે જેને આવા ઘટાદાર અને મજબુત વૃક્ષનો આશ્રય મળ્યો છે.' “છતાં પણ આ લતાના કારણે આ વૃક્ષની શોભા કંઇક જુદી જ નથી લાગતી ?” “લાગે જ છે ને ! અને આ વૃક્ષ ફરતે વીંટળાવાના કારણે જ તો આ વનલતા પણ આવી શોભી રહી છે !' રામ અને સીતા વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો હતો. વનવાસ દરમ્યાન કોઇ મનોહર સ્થળે એક લીલીછમ લતાથી વીંટળાયેલા વૃક્ષને જોઇને બન્ને જણા પોતાના અભિપ્રાય જણાવતા હતા. છેલ્લે તોડ કાઢવા રામચન્દ્રજીએ લક્ષ્મણજી પર છોડતા કહ્યું: “તે તટસ્થ છે, નિર્ણય તે જ કરશે.' - લક્ષ્મણજી બન્નેના હૈયાના ભાવો સમજી ગયા હતા છતાં તેમણે તો કંઇક અલગ જ દિશા ખોલીઃ “ન તો આ વૃક્ષ ભાગ્યશાળી છે, ન તો આ વનલતા ભાગ્યશાળી છે.'' ' પર ઘરશાળા

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98