Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
अपुनर्बन्धकस्येति-अपुनर्बन्धकस्य उपलक्षणात्सम्यग्दृष्टेश्च । अयं योगो व्यवहारेण । कारणस्यापि कार्योपचाररूपेण तात्त्विकोऽध्यात्मरूपो भावनारूपश्च । निश्चयेन निश्चयनयेनोपचारपरिहाररूपेणोत्तरस्य तु વારિત્રિ પર્વ I9૧-૧૪||
તાત્ત્વિક અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ વ્યવહારનયથી અપુનબંધકદશાને પામેલા આત્માને હોય છે અને નિશ્ચયનયથી તે ચારિત્રસંપન્ન આત્માને જ હોય છે.” - આ પ્રમાણે ચૌદમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ છે કે કારણમાં કાર્યનો ઉપચાર કરવા સ્વરૂપ વ્યવહારથી અધ્યાત્મ અને ભાવનાસ્વરૂપ યોગ (તાત્વિકયોગ), અપુનબંધકદશાને પામેલા આત્માઓને હોય છે.
જે જીવો હવે પછી મિથ્યાત્વમોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ અથવા ઉત્કૃષ્ટરસનો બંધ કરવાના નથી એવા જીવોને અપુનબંધક કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો હોવાથી યોગના કારણને યોગ માનવામાં આવે છે. તેથી અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ તાત્ત્વિકયોગ અપુનબંધકદશામાં પણ માનવામાં આવે છે. તેમ જ ઉપલક્ષણથી સમ્યગ્દષ્ટિ આત્માને પણ તે હોય છે - એ સમજી લેવું જોઇએ.
| નિશ્ચયનયની અપેક્ષાએ કારણમાં કાર્યનો ઉપચાર થતો ન હોવાથી તાત્ત્વિક રીતે અધ્યાત્માદિયોગ ચારિત્રસંપન્ન આત્માઓને જ હોય છે, અપુનબંધકાદિને તે હોતો નથી. અહીં આ શ્લોકથી અધ્યાત્મ અને ભાવના યોગ તાત્ત્વિક રીતે કોને હોય છે, તે જણાવ્યું છે. ધ્યાનાદિ યોગ અંગે હવે પછી જણાવાશે. ૧૯-૧૪ અતાત્ત્વિક અધ્યાત્માદિ યોગ કોને હોય છે તે જણાવાય છે
सकृदावर्तनादीनामतात्त्विक उदाहृतः ।
પ્રત્યાયનાસ્તાવેષાદ્ધિમાત્રતઃ 193-9 सकृदिति-सकृदेकवारमावर्तन्त उत्कृष्टस्थितिं बध्नन्तीति सकृदावर्तनाः । आदिशब्दाद्विरावर्तनादिग्रहः । तेषामतात्त्विको व्यवहारतः । निश्चयतश्चातत्त्वरूपोऽशुद्धपरिणामत्वादुदाहृतोऽध्यात्मभावनारूपो योगः । प्रत्यपायोऽनर्थः फलं प्रायो बाहुल्येन यस्य स तथा । तथा तत्प्रकारभावसाराध्यात्मभावनायुक्तयोगियोग्यं यद्वेषादिमानं नेपथ्यचेष्टाभाषालक्षणं श्रद्धानशून्यं वस्तु तस्मात् । तत्र हि वेषादिमात्रमेव ચ, ન પુનત્તેવાં વિદ્ધાતુતિ I/93-9૧ી.
સમૃદાવર્તનાદિક જીવોને અધ્યાત્મ અને ભાવના સ્વરૂપ યોગ વ્યવહારથી અને નિશ્ચયથી અતાત્ત્વિક હોય છે. તેવા પ્રકારના વેષાદિમાત્ર જ હોવાથી એવા અતાત્વિક યોગનું ફળ પ્રાયઃ અનર્થ છે.” - આ પ્રમાણે પંદરમા શ્લોકનો અર્થ છે.
કહેવાનો આશય એ છે કે જે જીવો હજુ મિથ્યાત્વમોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનો એકવાર બંધ કરવાના છે તેમને સકૃદાવર્તન(સકુબંધક) કહેવાય છે. તેમ જ તેવા પ્રકારની એક પરિશીલન
૧૧૭