Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
સ્વરૂપ, તે તે દૃષ્ટિમાં પ્રાપ્ત થતાં યોગનાં અકો, બાધક દોષની હાનિ અને સાધક ગુણની પ્રાપ્તિનું અહીં સામાન્યથી વર્ણન છે. સંક્ષેપથી આઠ દૃષ્ટિઓના જ્ઞાન માટે એ પૂરતું છે.
બત્રીશીના અંતિમ ભાગમાં દષ્ટિઓના સાપાય નિરપાય; પ્રતિપાતયુતા અને અપ્રતિપાતયુતા : આ રીતે બે બે ભેદ દર્શાવ્યા છે. એમાંનો આદ્ય ચાર દૃષ્ટિઓનો પ્રથમ ભેદ મિથ્યાષ્ટિને હોય છે અને બીજો ભેદ ભિન્નગ્રંથિક જીવોને હોય છે – એ જણાવીને છેલ્લે મિથ્યાષ્ટિઓને સદ્દષ્ટિઓ કઈ રીતે હોય - એ શકાનું સમાધાન જણાવ્યું છે. મિથ્યાત્વની મંદતામાં પ્રથમ ચાર દૃષ્ટિઓ પણ આત્માને મોક્ષની સાથે જોડી આપે છે. તેથી તેને યોગદષ્ટિ કહેવાય છે. મિથ્યાદષ્ટિ-ગુણસ્થાનકે પણ નિસર્ગથી જ જેઓ ભદ્રમૂર્તિ, શાંત, મૃદુ, વિનીત અને સંતોષના સુખની પ્રધાનતાને માનનારા હોય છે તેઓ પરમાનંદના ભાજન બને છે – આ વાત છેલ્લા શ્લોકથી જણાવી છે.
અંતે આ રીતે પ્રથમ ગુણસ્થાનકની નૈસર્ગિક એ યોગ્યતાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની આપણે પરમાનંદના ભાજન બની રહીએ... એ જ એક અભ્યર્થના...
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ જૈન ઉપાશ્રય : પિંપળગામ (બસવંત) (જિ. નાસિક) ફાગણ સુદ-૩, સોમવાર, તા. ૨૩-૦૨-૨૦૦૪
૧૩૪
યોગાવતાર બત્રીશી