Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
પરિશીલનની પૂર્વે ) યોગવિવેક' બત્રીશીમાં સ્વાભિમત યોગનું નિરૂપણ કરીને અન્યદર્શનકારોએ વર્ણવેલા યોગ; તે કયા યોગમાં સમાય છે આવી જિજ્ઞાસાને શાંત કરવા આ બત્રીશીમાં “યોગાવતાર' જણાવાય છે. ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ તરીકે વર્ણવીને પતજલિ વગેરે યોગના જાણકારોએ સમ્રજ્ઞાત અને અસહ્મજ્ઞાત : આ બે મુખ્ય ભેદો વર્ણવ્યા છે.
તેના અવાંતર ભેદોનું સ્વરૂપ, તેનું ફળ અને તેને પ્રાપ્ત કરવાના સામાન્ય ઉપાયો વગેરેના વર્ણન સાથે યોગીઓના ચિત્તની દશાદિનું વર્ણન; પાતંજલયોગસૂત્ર વગેરેમાં વિસ્તારથી કરેલું છે. એને અનુલક્ષીને પૂ. મહામહોપાધ્યાયજી મહારાજાએ આ બત્રીશીની શરૂઆતમાં ચૌદ શ્લોક દ્વારા ખૂબ જ સંક્ષેપથી વર્ણન કર્યું છે. ખૂબ જ સ્વસ્થ ચિત્તે એકાગ્રતાપૂર્વક તેનું અધ્યયન કરવાથી અન્યદર્શનના યોગના સ્વરૂપાદિનો ખ્યાલ આવી શકે છે.
મૌલિક આત્માદિના સ્વરૂપમાં જ મતભેદ હોવાથી ખરેખર તો તેમની જ માન્યતા મુજબ તેમણે જણાવેલી વાતો સગત થતી નથી. તેથી તેમની માન્યતા મુજબના યોગની વિચારણા કરવાનો કોઈ અર્થ નથી. પરંતુ યોગના જિજ્ઞાસુઓને જ્યાં પણ યોગની વાત સાંભળવા મળે એટલે તેનો સમાવેશ આપણે ત્યાં ક્યાં અને કઈ રીતે થઈ શકે તે અંગે જિજ્ઞાસા થતી હોય છે. તેને અનુસરીને પંદરમા શ્લોકથી યોગાવતારનો પ્રારંભ કરાયો છે.
અન્યાભિમત યોગનો યથાસંભવ સ્વાભિમત યોગમાં અવતરણ કરતાં ગ્રંથકારશ્રીએ સમાપત્તિનું વર્ણન વિશમા શ્લોકમાં સ્પષ્ટ રીતે કર્યું છે. ત્યાર પછી અસમ્પ્રજ્ઞાતયોગનો સમાવેશ વૃત્તિસંક્ષય નામના યોગમાં જણાવીને તેના ફળ સ્વરૂપે પાપાકરણનિયમનું વર્ણન કર્યું છે, જે યોગનું વાસ્તવિક ફળ છે. એ નિયમના અભાવમાં યોગની પ્રવૃત્તિનું વસ્તુતઃ કોઈ ફળ નથી. દષ્ટાંતથી પાપાકરણનિયમની આવશ્યકતા સમજાવીને અંતે મોક્ષની પ્રાપ્તિમાં તેનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું છે. તેને લઈને જ વૃત્તિસંક્ષયયોગ ઉપપન્ન બને છે... ઇત્યાદિ નિરૂપણ યોગના અર્થીઓ માટે અનુશીલન કરવા યોગ્ય છે. યોગશાસ્ત્ર અને આપણું વર્તન : એ બંન્નેનો સંવાદ જ આપણા આત્માને પરમાત્મા બનાવી શકે છે – એ સાધકે તો નહીં જ ભૂલવું જોઈએ.
આ રીતે અન્યદર્શનકારે જણાવેલા અને જૈનદર્શનમાં જણાવેલા યોગનું સ્વરૂપ એક હોય તો ભેદ કઈ રીતે પડે છે - આ શકાનું સમાધાન ચોવીશમા શ્લોકમાં જણાવ્યું છે. દશ્ય એક હોવા છતાં બાહ્યસંયોગો, દ્રષ્ટાની સ્થિતિ અને સાધનની ક્ષતિ... વગેરે કારણે જેમ દશ્યમાં ભિન્નતા વર્તાય છે તેમ દર્શનોમાં પણ ભેદ પડે છે. ઈત્યાદિ વર્ણન ખૂબ જ શ્રદ્ધાજનક છે. પચીસમા શ્લોકથી આ રીતે આઠ સદ્દષ્ટિઓના નિરૂપણનો પ્રારંભ થાય છે. તે તે દૃષ્ટિઓનું
એક પરિશીલન
૧૩૩