Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 238
________________ કરવું જોઈએ. એનો ખ્યાલ આપણે લગભગ રાખતા નથી. આગમનું જ્ઞાન આગમના શ્રવણથી મેળવવું જોઈએ અને આગમનું શ્રવણ પૂ. સાધુમહાત્મા પાસે વિધિપૂર્વક કરવું જોઇએ, જેથી અવેદ્યસંવેદ્યપદને જીતવાનું ખૂબ જ સરળ બને. આમ તો અવેદ્યસંવેદ્યપદ પહેલી ત્રણ દૃષ્ટિઓમાં પણ હતું, પરંતુ તેને જીતવા માટેની ભૂમિકા આ ચોથી દષ્ટિમાં જ પ્રાપ્ત થાય છે. એ પૂર્વે એવી ભૂમિકા જ ન હોવાથી ત્યાં તેને જીતવાનું કોઈ પણ રીતે શક્ય નથી અને આ ચોથી દષ્ટિમાં તો એવી ભૂમિકા તૈયાર હોવાથી અવેદ્યસંવેદ્યપદને જીતવાનું સહજ જ બને છે. આથી સમજી શકાશે કે અહીં ચોથી દૃષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદને જીતવાના ઉપદેશની આવશ્યકતા નથી અને એ પૂર્વે એનો ઉપદેશ નિરર્થક બને છે. આથી જ આવા પ્રસંગે આગમને પ્રવર્તક ન માનતા અનુવાદપરક મનાય છે. પ્રસિદ્ધ અર્થને જણાવવું એ અનુવાદ છે અને અપ્રાપ્તની પ્રાપ્તિ માટે ઉપાય જણાવવો : એ ઉપદેશ છે. આગમ ઉપદેશક જ હોય છે - એવું નથી. ક્વચિત્ એ અનુવાદપરક પણ હોય છે - એમ યોગાચાર્યો વર્ણવે છે... અંતે ગ્રંથકાર પરમર્ષિએ જણાવેલી દિશાએ સત્સંગ અને આગમના યોગે અવેદ્યસંવેદ્યપદને જીતીને આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના. ૨૨-૩રા ॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां तारादित्रयद्वात्रिंशिका ॥ अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥ એક પરિશીલન ૨૩૫

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274