Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 196
________________ इदं चरमं यथाप्रवृत्तिकरणं । तत्त्वतः परमार्थतः । अपूर्वमेव विदुर्जानते योगविदः । यत उक्तम-“अपूर्वासन्नભાવેન વ્યfમવારવિયોતિઃ | તત્ત્વતોડપૂર્વમવેનિતિ યોોિ વિદુ: Iકા” ર૧-૨રૂા. “આવા પ્રકારની સ્થિતિ છેલ્લા યથાપ્રવૃત્તિ-કરણ'ના કાળમાં હોય છે. અપૂર્વકરણની નિકટમાં હોવાથી વાસ્તવિક રીતે આ ચરમયથાપ્રવૃત્તિકરણ; અપૂર્વ છે – આ પ્રમાણે યોગના જાણકારો જાણે છે.” - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનો આશય એ છે કે, આવા પ્રકારની અવસ્થા અર્થાત્ યોગનાં બીજોનાં ગ્રહણમાં નિમિત્તભૂત અને જીવની કર્માલ્પતાની નિયામક એવી આ અવસ્થા ભવના છેડે થનાર છેલ્લા યથાપ્રવૃત્તકરણના કાળ દરમ્યાન હોય છે. ચરમયથાપ્રવૃત્તકરણ (શુદ્ધયથાપ્રવૃત્તકરણ); આત્માનો પરિણામવિશેષ છે. ગ્રંથિને ઓળખવાનું અહીં શક્ય બને છે. આત્માની આ અવસ્થા-સ્થિતિ, સ્વભાવ-વ્યવસ્થા સ્વરૂપ છે. સર્વથા કર્મરહિત શુદ્ધ સ્વરૂપ આત્માનો સ્વભાવ કર્માલ્યતાના કારણે અંશતઃ આવિર્ભત થતો હોય છે. આ ચરમ યથાપ્રવૃત્તિકરણ અપૂર્વકરણની નિકટ હોય છે. તેથી ચોક્કસ ફળપ્રદ બને છે. અર્થાત્ તેથી ફળની પ્રત્યે વ્યભિચાર આવતો નથી. આથી જ આ છેલ્લા યથાપ્રવૃત્તકરણને યોગના જાણકારો અપૂર્વજ તરીકે જાણે છે. આ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચયના શ્લોક નં. ૩૯ થી ફરમાવ્યું છે કે – “અપૂર્વકરણની નિકટ હોવાથી વ્યભિચારનો અભાવ થવાના કારણે; આ છેલ્લું યથાપ્રવૃત્તકરણ તાત્ત્વિક રીતે અપૂર્વ છે – એ પ્રમાણે યોગના જાણકારો કહે છે.” ૨૧-૨૩ અનાદિકાળથી જીવને જે પ્રથમ ગુણસ્થાનકની પ્રાપ્તિ હતી તે તો નામમાત્રથી જ હતી. પરંતુ હવે આ મિત્રાદેષ્ટિમાં જે પ્રથમ ગુણસ્થાનક છે, તે તેના અર્થને અનુકૂળ છે - એ જણાવાય છે प्रवर्तते गुणस्थानपदं मिथ्यादृशीह यत् । अन्वर्थयोजना नूनमस्यां तस्योपपद्यते ॥२१-२४॥ प्रवर्तत इति-यदिह जिनप्रवचने गुणस्थानपदं मिथ्यादृशि मिथ्यादृष्टौ पुंसि प्रवर्ततेऽस्खलवृत्तियोगविषयीभवति । तस्य गुणस्थानपदस्य । नूनं निश्चितम् । अस्यां मित्रायां दृष्टौ । अन्वर्थयोजना योगार्थघटना । उपपद्यते । सत्प्रणामादियोगबीजोपादानगुणभाजनत्वस्यास्यामेवोपपत्तेः । तदुक्तं हरिभद्रसूरिभिः-“प्रथमं यद्गुणस्थानं सामान्येनोपवर्णितम् । अस्यां तु तदवस्थायां मुख्यमन्वर्थयोगतः ॥१॥" રૂતિ રિ-૨૪ના જે અહીં મિથ્યાષ્ટિને વિશે “ગુણસ્થાનક પદની પ્રવૃત્તિ થાય છે, તેના અર્થની સંગતિ આ મિત્રાદષ્ટિમાં ચોક્કસપણે ઉપપન્ન બને છે.” - આ પ્રમાણે ચોવીસમા શ્લોકનો સામાન્યાર્થ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી જિનેશ્વરદેવોના પ્રવચનમાં, પ્રથમ ગુણસ્થાનક મિથ્યાષ્ટિ આત્માને હોય છે. આ રીતે મિથ્યાષ્ટિ આત્મામાં “પ્રથમ ગુણસ્થાનક' પદનો પ્રયોગ (વ્યવહાર) એક પરિશીલન ૧૯૩

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274