Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 228
________________ તત્ત્વશ્રવણનું જ ફળ વર્ણવાય છે– तत्त्वश्रवणतस्तीवा, गुरुभक्तिः सुखावहा । समापत्त्यादिभेदेन, तीर्थकृद्दर्शनं ततः ॥२२-२२॥ तत्त्वेति-तत्त्वश्रवणतः । तीवा उत्कटा । गुरौ तत्त्वश्रावयितरि भक्तिराराध्यत्वेन प्रतिपत्तिः । सुखावहोभयलोकसुखकरी । ततो गुरुभक्तेः समापत्त्यादिभेदेन तीर्थकदर्शनं भगवत्साक्षात्कारलक्षणं भवति । तदुक्तं-“गुरुभक्तिप्रभावेण तीर्थकृद्दर्शनं मतम् । समापत्त्यादिभेदेन निर्वाणैकनिबन्धनम् ।।१।।” समापत्तिरत्र ध्यानजस्पर्शना भण्यते, आदिना तन्नामकर्मबन्धविपाकतदावापत्त्युपपत्तिपरिग्रहः ॥२२-२२॥ તત્ત્વશ્રવણથી સુખને કરનારી ઉત્કટ એવી ગુરુભક્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સમાપત્તિ... વગેરે પ્રકારે શ્રી તીર્થંકર પરમાત્માનું સાક્ષાત્ દર્શન થાય છે.” - આ પ્રમાણે બાવીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે તત્ત્વશ્રવણ કરવાથી સાંભળનારને પોતાના પરમઈષ્ટસિદ્ધિની સાધનાનું ચોક્કસ જ્ઞાન થાય છે. તેથી તેવું જ્ઞાન આપનારા અને તત્ત્વનું શ્રવણ કરાવનારા પરમતારક ગુરુદેવશ્રીની પ્રત્યે ઉત્કટ કોટિનો ભક્તિભાવ જન્મે છે. તેને લઇને આ પરમતારક ગુરુદેવશ્રીનો; આરાધ્યસ્વરૂપે મુમુક્ષુ આ દૃષ્ટિમાં સ્વીકાર કરે છે. આરાધ્યસ્વરૂપે જે પ્રતિપત્તિ (અંતરથી સ્વીકાર) છે તેને ભક્તિ કહેવાય છે. આ ભક્તિ આ લોક અને પરલોક : ઉભય લોકમાં સુખ-હિતને કરનારી છે. એવી ઉત્કટ ભક્તિ તત્ત્વશ્રવણથી ચોથી દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે. એ ગુરુભક્તિથી સમાપત્તિ વગેરે પ્રકારે ભગવાન શ્રી તીર્થંકર પરમાત્માનું સાક્ષાત દર્શન પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે યોગદષ્ટિસમુચ્ચયમાં (ગ્લો.નં. ૬૪) જણાવતાં ફરમાવ્યું છે કે – ગુરુભક્તિપ્રભાવથી અર્થાત્ તેને લઈને ઉપાર્જન કરેલા શુભકર્મથી સમાપત્તિ વગેરે પ્રકારે શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શન માનવામાં આવ્યું છે, જે મોક્ષનું ચોક્કસ કારણ છે. અહીં જે શ્રી તીર્થંકરપરમાત્માનું દર્શન; સમાપત્તિ વગેરે પ્રકારે થાય છે – એમ જણાવ્યું છે ત્યાં સમાપત્તિ ધ્યાનજ સ્પર્શનાસ્વરૂપ છે. પરમાત્માએ ઉપદેશેલા પરમતારક તત્ત્વશ્રવણથી શ્રોતાને નિરંતર પરમાત્માનું પુણ્યસ્મરણ થાય છે. એ રીતે સતત પરમાત્મધ્યાનથી ધ્યેયસ્વરૂપે પરમાત્માની સાથે જે તન્મયતા પ્રાપ્ત થાય છે તે સ્વરૂપ જ અહીં સમાપત્તિ છે. તેમ જ આ તત્ત્વશ્રવણથી સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ દ્વારા શ્રી તીર્થકર નામકર્મનો બંધ થાય છે, તેનો વિપાક અનુભવાય છે અને તીર્થંકરપણાની પ્રાપ્તિ થાય છે. તે સ્વરૂપે શ્રી તીર્થંકર પરમાત્માનું દર્શન; આ દષ્ટિમાં તત્ત્વશ્રવણથી થાય છે. જેના મૂળમાં ઉત્કટ ગુરુભક્તિ કામ કરે છે. એ સ્પષ્ટ છે કે ગુરુભગવંત પ્રત્યેની ભક્તિ પરમગુરુના દર્શનનું પ્રબળ કારણ છે. ૨૨-૨૨ા. એક પરિશીલન ૨૨૫

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274