Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 235
________________ अवेद्यसंवेद्यपदे, पुण्यं निरनुबन्धकम् । भवाभिनन्दिजन्तूनां, पापं स्यात्सानुबन्धकम् ॥२२-२९॥ अवेद्येति-अवेद्यसंवेद्यपदे पुण्यं निरनुबन्धकमनुबन्धरहितं स्यात् । यदि कदाचिन्न स्यात् पापानुबन्धि । सानुबन्धे तत्र ग्रन्थिभेदस्य नियामकत्वात् । भवाभिनन्दिनां क्षुद्रत्वादिदोषवतां जन्तूनां पापं सानुबन्धकमनुबन्धसहितं स्यात् । रागद्वेषादिप्राबल्यस्य तदनुबन्धावन्ध्यबीजत्वात् ।।२२-२९।। “અવેદ્યસંવેદ્યપદમાં અનુબંધ વિનાનું પુણ્ય બંધાય છે અને ભવાભિનંદી જીવોને અનુબંધસહિત પાપનો બંધ થાય છે.” - આ પ્રમાણે ઓગણત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. કહેવાનો આશય એ છે કે વેદ્યસંવેદ્યપદથી ભિન્ન અવેદ્યસંવેદ્યપદ છે. સામાન્યથી એ પદ ગ્રંથિનો ભેદ થવાની પૂર્વાવસ્થામાં હોય છે. પહેલી ચાર દૃષ્ટિઓમાં અને ભવાભિનંદીપણામાં અવેદ્યસંવેદ્યપદ હોય છે. પહેલી ચાર દષ્ટિઓમાં ભવાભિનંદી જીવો ન હોવાથી એ જીવોને જ્યારે પણ કોઈ વાર પાપાનુબંધી પુણ્યબંધન થાય તો તે વખતે પુણ્યબંધ; અનુબંધથી રહિત હોય છે. સાનુબંધ (પુણ્યાનુબંધી) પુણ્ય તો ગ્રંથિભેદથી થાય છે. અર્થાત્ એવા પુણ્યબંધનો નિયામક ગ્રંથિભેદ છે. ભવાભિનંદી જીવોને; યાંચાશીલત્વ દીનત્વ માત્સર્ય ભય શકત્વ અને સર્વત્રાભિનિવેશ... ઇત્યાદિ દોષોના કારણે રાગદ્વેષાદિની પ્રબળતા હોવાથી પાપનો બંધ સાનુબંધ (પાપાનુબંધી) થાય છે. કારણ કે પાપાનુબંધી પાપનું અવંધ્ય બીજ; રાગદ્વેષાદિની પ્રબળતા છે. ભવાભિનંદી જીવોમાં એવી રાગ-દ્વેષાદિની પ્રબળતા ઘણી જ હોય છે. કૃપણ, માંગણ, દિન, બીજાના કલ્યાણથી દુઃખી, ભયવાન, માયાવી, મૂર્ખ અને સર્વત્ર અતત્ત્વના અભિનિવેશી : આ બધા જીવો ભવાભિનંદી અર્થાત્ સંસાર પ્રત્યે બહુમાનવાળા હોય છે. એ જીવોનો બોધ અસત્પરિણામથી અનુવિદ્ધ હોય છે. તેથી જ વિષયુક્ત અન્નની જેમ એ સુંદર હોતો નથી. આવા પ્રકારના અવેદ્યસંવેદ્યપદવાળા વિપર્યાસને જ પ્રાપ્ત કરતા હોય છે, હિતાહિતના વિવેકથી રહિત હોય છે, માત્ર વર્તમાનકાળને જોનારા તેઓ પદે પદે ખેદને પામે છે. ૨૨-૨૯ો. ભવાભિનંદી એવા અવેદ્યસંવેદ્યપદવાળા જીવો કેવા હોય છે : તે જણાવાય છે– कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यमेव हि । अत्र व्यामूढचित्तानां, कण्डूकण्डूयनादिवत् ॥२२-३०॥ कुकृत्यमिति-कुकृत्यं प्राणातिपातादिकृत्यं करणीयमाभाति । कृत्यं चाहिंसादि अकृत्यमेव हि अनाचरणीयमेव । अत्रावेद्यसंवेद्यपदे व्यामूढचित्तानां मोहग्रस्तमानसानां कण्डूलानां कण्डूयनादिवद् । आदिना कृम्याकुलस्य कुष्टिनोऽग्निसेवनग्रहः । कण्डूयकादीनां कण्ड्वादेरिव भवाभिनन्दिनामवेद्यसंवेद्यपदादेव વિપર્યયધીરિતિ ભાવ: રર-રૂ ૨૩૨ તારાદિત્રય બત્રીશી

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274