Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 233
________________ કોઇ વાર ભૂતકાળમાં બંધાયેલા અશુભ કર્મના યોગે પ્રાપ્ત થયેલ નકાદિગતિમાં પણ માનસિક દુઃખોનો અભાવ હોય છે. તેથી વેદ્યસંવેદ્યપદવાળા (પાંચમી... વગેરે દૃષ્ટિવાળા) આત્માઓને ભાવપાક (કષાયાદિનો ઉદય) થતો નથી. આ વાત વ્યવહારનયને આશ્રયીને કરી છે. અર્થાત્ વ્યવહારનયને અભિમત વેદ્યસંવેદ્યપદસ્વરૂપ ભાવને આશ્રયીને એ વાત કરી છે. નિશ્ચયનયને અભિમત એવા વિશુદ્ધ વેઘસંવેદ્યપદની અપેક્ષાએ તો જેઓ સમ્યગ્દર્શનથી પડેલા અનંતસંસારી છે, તેમને વેઘસંવેદ્યપદભાવ જ નથી. નિશ્ચયનયસંબંધી વેઘસંવેદ્યપદવાળા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રેણિક મહારાજાદિમાં તો ફરીથી દુર્ગતિમાં તેઓ ગયા ન હોવાથી તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી પણ પાપપ્રવૃત્તિ છેલ્લી જ હતી. એ વિષયમાં યોગદૃષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૭૦-૭૧) ફરમાવ્યું છે કે - “અવેઘસંવેદ્યપદથી અન્ય વેદ્યસંવેદ્યપદ છેલ્લી ચાર દૃષ્ટિમાં(સ્થિરાદિદષ્ટિમાં) હોય છે. આ વેદ્યસંવેદ્યપદથી પ્રાયઃ પાપકર્મ-હિંસાદિમાં પ્રવૃત્તિ થતી નથી. કોઇ વાર ભૂતકાળમાં બાંધેલા કર્મના વિપાકથી પાપકર્મ-હિંસાદિમાં જે પણ પ્રવૃત્તિ થાય તે તપેલા લોઢા ઉપર પગ મૂકવા જેવી અત્યંતકંપસહિત નાછૂટકે હોય છે અને સંવેગના સારવાળી હોય છે. વેદ્યસંવેદ્યપદથી સંવેગ(તીવ્ર મોક્ષાભિલાષા-નિશ્ચલશ્રદ્ધા)ના અતિશયથી એ પાપની પ્રવૃત્તિ છેલ્લી જ હોય છે. કારણ કે શ્રેણિક મહારાજાદિની જેમ ફરીથી તેમને દુર્ગતિનો યોગ થતો નથી...” આ વાત નિશ્ચયનયને અભિમત એવા ક્ષાયિકસમકિતી આત્માઓના વેદ્યસંવેદ્યપદને આશ્રયીને સમજવી જોઇએ. વ્યવહારનયને આશ્રયીને પણ આ વેદ્યસંવેદ્યપદ જ સારું છે. કારણ કે એ વખતે એ હોતે છતે પ્રાયે કરી દુર્ગતિમાં પણ માનસિક દુઃખનો અભાવ હોય છે. ઉ૫૨ જણાવ્યા મુજબ વજતંડુલની જેમ ભાવને આશ્રયીને પાક થતો નથી... ઇત્યાદિ બરાબર સમજી લેવું જોઇએ. II૨૨-૨૬॥ અવેઘસંવેદ્યપદમાં સૂક્ષ્મબોધ હોતો નથી પણ સ્થૂલબોધ જ હોય છે. તેનું કારણ જણાવાય છે— तच्छक्तिः स्थूलबोधस्य, बीजमन्यत्र चाक्षतम् । तत्र यत्पुण्यबन्धोऽपि हन्तापायोत्तरः स्मृतः ॥ २२-२७॥ तच्छक्तिरिति - अन्यत्र चावेद्यसंवेद्यपदे तच्छक्तिरपायशक्तिः स्थूलबोधस्य बीजमक्षतमनभिभूतं । तत्रावेद्यसंवेद्यपदे यद्यस्मात् पुण्यबन्धोऽपि हन्तापायोत्तरो विघ्ननान्तरीयकः स्मृतः । ततस्तत्पुण्यस्य પાપાનુન્ધિત્વાત્ ॥૨૨-૨૭॥ “અવેઘસંવેદ્યપદમાં અપાયશક્તિસ્વરૂપ; સ્થૂલબોધનું બીજ અક્ષત હોય છે. તે અવેઘસંવેદ્યપદમાં જે કા૨ણે પુણ્યબંધ પણ અપાયોત્તર(અપાયવાળો) થાય છે, તેથી તે પુણ્યબંધ પાપાનુબંધી હોય છે.” – આ પ્રમાણે સત્તાવીસમા શ્લોકનો અર્થ છે. એનું તાત્પર્ય સ્પષ્ટ જ છે કે વેદ્યસંવેદ્યપદથી અન્યત્ર અવેઘસંવેદ્યપદમાં નરકાદિ અપાયને પ્રાપ્ત કરવાની યોગ્યતા અક્ષત તારાદિત્રય બત્રીશી ૨૩૦

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274