Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust

View full book text
Previous | Next

Page 226
________________ प्राणेभ्योऽपीति-प्राणेभ्योऽपीन्द्रियादिभ्योऽपि गुरुर्महत्तरो धर्मः । इत्यतो भावप्राणायामतो विनिश्चयाद् धर्मार्थं प्राणांस्त्यजति, तत्रोत्सर्गप्रवृत्तेः । अत एव न धर्मं त्यजति प्राणसङ्कटे प्राणकष्टे .રર-૨૦|| શ્લોકાર્થ સ્પષ્ટ છે કે ભાવપ્રાણાયામના કારણે; “પ્રાણો કરતાં પણ ધર્મ શ્રેષ્ઠતર છે.” - આ પ્રમાણે નિશ્ચય થવાથી આ દૃષ્ટિમાં મુમુક્ષુઓ ધર્મના અર્થે પ્રાણોનો ત્યાગ કરે છે. પરંતુ પ્રાણો ઉપર સંકટ આવે તો ય ધર્મનો ત્યાગ કરતા નથી. એનો આશય એ છે કે ભાવપ્રાણાયામના કારણે આ ચોથી દષ્ટિમાં ધર્મનું મહત્ત્વ સમજાય છે. અત્યાર સુધી આપણને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપણા પોતાના પ્રાણ લાગતા હતા. પાંચ ઇન્દ્રિયો, મનવચનકાયાના ત્રણ બળ અને આયુષ્ય તથા શ્વાસોશ્વાસ: આ દશ પ્રાણો છે. યથાયોગ્ય જીવમાત્રને કોઈને કોઈ પ્રાણ હોય છે. સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થાને પામેલા જીવને દશ પ્રાણ હોય છે. આવા પ્રકારની અવસ્થામાં જયારે ચોથી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે; ત્યારે એ પ્રાણો કરતાં પણ મહત્તર(શ્રેષ્ઠતર) આ ધર્મ જણાય છે. ચોથી દષ્ટિનો સાર જ એ નિશ્ચય છે. એથી ધર્મ માટે એ મુમુક્ષુ આત્માઓ પ્રાણનો ત્યાગ કરે છે. કારણ કે ઉત્સર્ગથી તેઓ પ્રવૃત્તિ કરે છે. પ્રાણની અપેક્ષા રાખે તો ગમે ત્યારે પણ ઉત્સર્ગથી કરાતી પ્રવૃત્તિનો ત્યાગ કરવાનો જ પ્રસંગ આવશે. તેથી જ ગમે તેવા પ્રાણના સંકટમાં પણ તેઓ ધર્મનો ત્યાગ કરતા નથી. કષ્ટ વેઠીને પણ ધર્મની પ્રવૃત્તિ ઉત્સર્ગથી કરતા હોય છે. પ્રથમ ગુણસ્થાનકની આ ચોથી દષ્ટિ છેલ્લી દૃષ્ટિ છે. “પ્રાણ કરતાં ધર્મ મહત્તર છે'- આવો નિશ્ચય જ આ દૃષ્ટિનો સાર છે. એ નિશ્ચય ન હોય તો પાંચમી... વગેરે દષ્ટિઓ કઈ રીતે પ્રાપ્ત થાય? જે ધર્મથી; શરીરાદિના મૂળભૂત કર્મનો ઉચ્છેદ(નાશ) કરવાનો છે એ ધર્મ કરતાં; કર્મના યોગે પ્રાપ્ત થયેલા શરીરાદિ શ્રેષ્ઠ લાગે તો તેના મૂળભૂત કર્મનો ઉચ્છેદ ન જ થાય - એ સમજી શકાય છે. લોકોત્તરધર્મની પૂર્વભૂમિકાનો સ્પર્શ કર્યા વિના લોકોત્તરધર્મની સાધના આપણને સિદ્ધિ સુધી પહોંચાડે એમાં બહુ તથ્ય નથી. ધર્મનું વાસ્તવિક મૂલ્ય સમજ્યા વિના જ ધર્મ કરાય તો તેના વાસ્તવિક ફળને પ્રાપ્ત કરવાનું શક્ય નથી. “જે મરેલાને પણ અનુસરે છે તે ધર્મ એક જ મિત્ર છે. બીજું બધું તો શરીરના નાશની સાથે જ નાશ પામે છે...' ઇત્યાદિ તત્ત્વશ્રવણના પ્રભાવે આ દૃષ્ટિમાં ધર્મની મહત્તા સમજાય છે અને તેથી મુમુક્ષુજનો સ્વભાવથી જ તેનો સ્વીકાર ચોથી દૃષ્ટિમાં કરે છે. ચોથી દૃષ્ટિની એ એક અદ્ભુત સિદ્ધિ છે. એ તત્ત્વશ્રવણના કારણે લોકોત્તર ધર્મની પ્રાપ્તિ માટે ઘણી જ અનુકૂળતા પ્રાપ્ત થાય છે. ll૨૨-૨ના તત્ત્વશ્રવણના ગુણનું વર્ણન કરાય છે पुण्यबीजं नयत्येवं, तत्त्वश्रुत्या सदाशयः । भवक्षाराम्भसस्त्यागाद्, वृद्धिं मधुरवारिणा ॥२२-२१॥ એક પરિશીલન ૨૨૩

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274