________________
શ્રદ્ધાદિ-પષક-સુધાબ્ધિ માટે અર્થીપણું છે કે નહિ, તે વિચારવા માટે ક્ષણ માત્રની ફુરસદ જ નથી!!
એવા આત્માર્થિપણાની હયાતિ માટે જ્યાં વિચારને સ્થાન નથી, ત્યાં પછી અર્થિપણાને અમોધ-વાર મેળવવા કટિબદ્ધ થવું, અને થયા પછી તદનુસાર પ્રવૃત્તિ રાખવી, તેવી પ્રવૃત્તિ કરતાં આડે આવતાં વિદતના વિષમ-વાદળાને વિખેરવા, સમગ્ર-વાદળદળને વિખેરીને સિદ્ધ કરવા લાયક પદાર્થ સિદ્ધ કરે છે. અને તે સિદ્ધિ કર્યા બાદ જગતનું દારિદ્ર ટાળવા માટે એટલે વિનિયોગ કરવા માટે તે પ્રાપ્ત થયેલ સંવર નિજે ર વર્ધક અથવા પુણ્ય પિષક પ્રબળ સિદ્ધિરૂપ પદાર્થ સવને આપવા પ્રયત્ન કર, આ બધી વાતે બનાવવી એ સેંકડે કોષ દૂરની વાત છે.
સંસ્કાર માત્રથી સુંદર બનેલી રસવતીઓ માટે, શરીરની શોભા; આરોગ્યતા માટે; અને તુષ્ટિ માટે પુષ્ટિના અનેક ઉપાય માટે, પાંચે ઇન્દ્રિયની પટુતા માટે અનેકવિધ-વિષ-સમાન-વિષયોની પરિપૂતિના સાધનો માટેનું અથિપણું એ મોંઘામાં મેઘા આ માનવ જીવન માટે વણનોતરેલ વિનાશકાલ છે.
આ માટે વિવેકીઓને વિવેક નેત્રથી નિરીક્ષણ કરવાની ખાસ આવશ્યકતા છે. હાલનું આત્મઘાતક-અર્થિપણું એ આંધળાની દેડઘામ, ગાંડાની ઘેલછા; અને અંતિમ અવસ્થાન સન્નિપાત છે ! ! !
પરમાત્માનું શાસન પામેલાઓ મેંઘા માનવજીવનની મહત્તા સમજે, અતિ મેધા માનવજીવન દ્વારા મેળવવા લાયક પદાર્થને જાણે, તે જાણવા સદ્દગુરૂઓનાં સમાગમમાં આવી સદ્દગુરૂઓની શુશ્રુષા કરે, સાચા સિદ્ધાંતને પામે અને અંતે સત્ય પદાર્થની પ્રીતિ તથા પ્રતિતી થાય તે જ સાચા-અર્થિપણાનો આદર્શ આવિર્ભાવ પામે !
દર્પણને દેખનારા જવલેજ હોય છે, અને તેમાં કાજલ વિગેરેને દોષ તરીકે દેખનારા પણ તેથી છેડા હોય છે, દે કાઢવા જેવાજ છે એવું જાણનારા તેથી પણ અ૫ છે; અને દર્પણ દેખીને, દેશને દેષ તરીકે પીછાણીને, કાઢવા જેવા જાણીને કાઢવા માટે તત્પર થનારાએ તે તેથી પણ અતિ અલ્પ સંખ્યામાં છે.
- જેના અર્થિપણાની નેધ સિદ્ધાંતમાં સુવર્ણાક્ષરે શુશોભિત છે તે ક્ષાયક સમકિત શિરોમણી મહારાજા શ્રેણિક, પ્રાણથી અધિક વલ્લભ પોતાની પુત્રીઓને પ્રભુમાર્ગમાં સમર્પણ કરનાર વાસુદેવ શ્રીકૃષ્ણ, સૌભાગ્યવતી-વિદુષી-સુલતા, અને શાસન પ્રભાવક–મયણ; તથા માનવ જીવનની સાફલ્યતાની કિંમત સમજનાર તુંગિયા-નગરીના શ્રાવકોના અર્થિપણાના આદર્શને અનુસરો!! !
૬-સંગની સમરાંગણ-ભૂમિ.
અખિલ ભારતવર્ષમાં વિનશ્વર પદાર્થો પર સર્વોપરી સત્તાને પ્રથમ સૂર કાઢનાર, સ્વ-પરાક્રમ પર અતિ નિર્ભર, ચોરાશી લાખ અશ્વો, ચોરાશી લાખ હાથી, છનું કેડ પાયદળ, અનિશ સેવા સારનારાઓથી સેવિત, બત્રીશહજાર મુકબધ્ધરાજા, ચક્રરત્નાદિ દિવ્યસંપત્તિથી રાજા મહારાજાઓને પણ સહજમાં વશ કરનાર, અને એ મશકર-પ્રચંડ-સત્તા સામે માથું ઉંચકવાને પણ હિંમતબાજોની હિંમતને પણ રણસંગ્રામમાં શૌયે ભેર રેજી રાખનાર; એવા પ્રથમ ચક્રવતિ–ભાગ્યવાન-ભરત-મહારાજા સમા સર્વોપરી સત્તાધીશ બનેલા ચક્રવતિ એ, વાસુદેવ પદથી વ્યામોહીત વાસુદેવ, અને એજ વાસુદેવથી પરાજ્ય પામેલા પતિ-વાસુદેવે વિગેરે–તેમજ કપટ કૌશયાદિમાં કારમાં કનેહબાજ એવા કૌરની સાથે કાળ સમા કોલકરારની પરિસમાપ્તિમાં