Book Title: Anand Chandra Sudha Sindhu
Author(s): Chandrasagar Gani
Publisher: Siddhchakra Sahitya Pracharak Samiti

View full book text
Previous | Next

Page 127
________________ પારમાર્થિક-આરાધના. હોય છે. છતાં રાજ્ય–ગાદીવારસ-રાજકમારની સરભરા-સેવા ચાકરી રાજાની જેમ પ્રજાજન કરે છે, તેવી જ રીતે તીર્થની પ્રવૃત્તિ આદિ કરીને અનેકાનેક જીવોનું કલ્યાણ કરવા કરાવવમાં અમેધ આલંબન રૂપ થવાના છે; તે હેતુથી જ ચારે-નિકાયના દેવ દેવેન્દ્રો, અને ગામ-શહેર-નગરનો જનસમુદાય, ભકિત સેવા-પૂજા - આદર બહુમાન કરી કતાર્થ થાય તેમાં નવાઝ જ નથી. અને આથી જ તીર્થકર નામકર્મની વાસ્તવિક પૂજ્યતા. ચ્યવનના પ્રારંભથી જ હોય છે તેથીજ “મારૂારા' 'પદ પછી “તી થયા ? પદ એ સુસંગત રીતિએ યુક્ત છે. ૬૪-પારમાર્થિક-આરાધના માલવા-મેવાડ-મારવાડ આદિ પ્રદેશોમાં પૂર્ણિમાએ માસની પૂર્ણાહુતિ થતી હોવાથી અને કૃષ્ણ પક્ષની એકમથી બીજા માસની શરૂઆત થતી હોવાથી, તથા શાસ્ત્રીય રીતિ પણ તે મુજબ હેવાથી ગૂજરાત આદિ પ્રદેશોમાં ગણાતી અને મનાતી માગશર વદ ૧૦ નેજ પોષ દશમી કહેવામાં આવે છે; કારણ કે ગુજરાત આદિ પ્રદેશોમાં અમાવાસ્યાએ મહિનાની પૂતિ થાય છે. પિષ-દશમીની આરાધના કરનારે ચાલુ વર્ષમાં પોષ દશમીને શનીવાર તા. ૨૫-૧૨-૪૮ ના રોજ (ગુજરાતમાં માગશર વદ ૧૦ ને શનીવાર) કહેવાય છે તે જ દિવસે આરાધના કરવી. આરાધના કરનારાઓએ પ્રગટ પ્રભાવિ શ્રી પાર્શ્વનાથના જીવન પ્રસંગેને શ્રવણ કરીને, વાંચીને, વિચારીને અને પરિશીલન કરીને જીવનમાં ઓતપ્રોત બનાવવાની જરૂર છે. દશ ભવની પરંપરામાં વેરની વસુલાત લેનાર, અને એક પાલિક વિરને કેળવનાર કમઠ પ્રત્યે પણ પ્રભુએ સમભાવ કેળવ્યું છે. આરાધના કરનારાઓ ઉભય ટંક પ્રતિક્રમણ કરશે, પડિલેહણ અને દેવવંદનની ક્રિયા કરશે, કાઉમન્ કરશે, ખમાસમણાં દેશે, ત્રણ દિવસ એકાસણું આયંબીલની તપસ્યા કરશે. શ્રી પાર્શ્વનાથના જન્મ દિવસ નિમિતને જાપ જપશે, પરંતુ સેવા કરનાર સેવકોએ સેવ્ય કક્ષામાં રહેલા પ્રભુ પાર્શ્વનાથની મને વૃત્તિનું ખૂબ ખૂબ મનન કરીને તે રસ્તે જવાના માર્ગમાં પગલ કયારે ભરશે ?, અને ભરવા ઉદ્યમશીલ પણ કયારે થશે : તે માટે તે જીવન જીવવા અભ્યાસી બનવું એજ પારમાર્થિક આરાધના છે. ૬૫. મહદય-માનવદશા શામાન્ય-ગુણગણ રત્નોની કિ મત નહિં સમજનારાઓ શાસનમાન્ય ગુણી અને ગુણ પ્રાપ્તિના અમેઘ-સાધનની કિંમત સમજી શકતા નથી. અનેક વખતે શ્રવણ પથમાં આવી ગયું છે કે બ્રાહ્મીસુંદરીના જીએ પૂર્વ ભવમાં વિનય-વૈયાવચ્ચના વાસ્તવિક ગુણની થતી પ્રશંસાને નહિ શ્રવણ કરવાથી હૃદયમાં અચીને ધારણ કરવાથી પીઠ–મહાપીઠ નામના સમર્થ વિદ્વદર્યમુનિપ્રવરો હોવા છતાં, છે ગુણસ્થાનકેથી પતન ભાવના પરિણામને પામીને પ્રથમ ગુણસ્થાનકે આવી ગયા એ ભૂલવા જેવું નથી. શાસનમાન્ય લવલેશ ગુણ-ગણું અને ગુણ-પ્રાપ્તિના સાધન પ્રત્યે અંશ માત્ર પણ અરૂચી -અણગમ, અનાદર-ઈર્ષ્યાદિ આવિર્ભાવ થઈ જાય તે છ-ગુણસ્થાનકવતિ, પંચમ-ગુણ સ્થાનકવતિ અને ચતુર્થ-ગુણસ્થાનકવર્તિ જીવો પિતાની ઉન્નત દશાથી પતન ભાવને પામીને પ્રથમ ગુણસ્થાનકમાં અણધાર્યા આવી પડે છે, ગુણ ગણી અને ગુણ પ્રાપ્તિના સાધન પ્રત્યે થયેલ બેદરકારી સમ્યકત્વ નામના સુશોભિત પદથી ભ્રષ્ટ કરે છે, એ વાતને ઉપરના પ્રસંગનું યથાસ્થિત પરિશીલન કરનાર આત્મા રહેજે સમજી શકે છે. ગુણ વગરના આત્માઓ ગુણવાન આત્માઓને જાણી શકતાંજ

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196