Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સુધી મેલના સદંતર અભાવ થતા નથી ત્યાં સુધી જેમ તેનાથી થોડાં ઘેાડાં પ્રમા માં મેલના અભાવ થયા કરે છે અને તે મણી તે થાડા થાડા મેલના જવાથી થોડાં થોડાં પ્રમાણમાં પેાતાના સ્વરૂપની અભિવ્યકિત કરતા રહે છે. આ સ્વરૂપાભિવ્યકિત તે મણિમાં સવં દેશમાં ન હેાતાં કવચિત્ ( કાઈ કોઈ જગ્યાએ) કદાચિત્ ( કોઈક વખતે ) કથંચિત્ રૂપથી (કાઈ કોઈ પ્રકાર) હાય છે તેથી તે સ્વરૂપાભિવ્યકિત અનેક પ્રકારે મનાય છેઃ એજ પ્રમાણે ત્રિકાળવતી સર્વે પદાર્થોને સાક્ષાત્ જાણવાને જેના પારમાર્થિક સ્વભાવ છે, અને જેના એ સ્વભાવ અનાદ્રિ કાળથી લાગેલા જ્ઞાનાવરણીય કમ પટલથી તિાહિત થઈ રહ્યો છે તે જ્યાં સુધી આત્મામાંથી કમળના સદંતર નાશ થઈ જતા નથી ત્યાં સુધી એક દેશથી જેમ જેમ કમળ જતા જાય છે તેમ તેમ તેનાં સ્વરૂપની ‘જ્ઞપ્તિ' (જાણુ) થતી રહે છે. આ આત્માના સ્વરૂપની જાણ પણ જીવને કવચિત્, કદાચિત્ કથ ́ચિત્ રૂપથીજ થાય છે, સમસ્ત રૂપે નહી. તેથી આ જ્ઞપ્તિ−(જાણુ) પણ અનેક પ્રકારે મનાય છે. કહ્યું પણ છેઃ
66
मलविद्धमणिव्यक्ति, - ,--ચેથાડને પ્રાતઃ ।
कर्म विद्धात्मविज्ञप्ति, - स्तथाऽनेकप्रकारतः " ॥१॥
આ અનેકવિધ આત્મજ્ઞપ્તિ જ મત્યાદિક ચાર જ્ઞાન સ્વરૂપ છે. જ્યારે તે મરકતમણિમાંથી સંપૂર્ણ રીતે મેલના નાશ થાય છે ત્યારે જેમ તેનાં રૂપની સ્પષ્ટ રીતે અભિવ્યકિત થાય છે તેજ પ્રમાણે જ્ઞાન-દર્શનચારિત્રના પ્રભાવથી આત્માના આવરણને પણ સંપૂર્ણ રીતે ક્ષય થતાં એક સ્વરૂપની, કે જે સવ વસ્તુએ તેમજ તેમની સમસ્ત પર્યાઓના વિશદરૂપથી સાક્ષાત્કાર કરનાર હાય છે, અભિવ્યકિત થઈ જાય છે. કહ્યુ' પણ છેઃ
''
यथा जात्यस्य रत्नस्य, निःशेषमलहानित: । स्फुटैकरूपाभिव्यक्ति, - विज्ञप्तिस्तद्वदात्मनः " ॥ १॥
આથી એ સિદ્ધ થાય છે કે- કેવળજ્ઞાન મત્યાદિનિરપેક્ષ હાય છે.
શ્રી નન્દી સૂત્ર
૨૨