________________
(૧૬) (નુકશાન) માટે છે અને અપવાદ પણ ગુણને માટે કાળ (સમય) જાણનારા સાધુને થાય છે, તેજ બતાવે છે. દીર્વ કાળ સંયમ પાળીને સંલેખના વિધિ એ કાળના પર્યાય વડે ભક્ત પરિણા વિગેરેનું મરણ ગુણને માટે છે, અને સ્ત્રી વિગેરેના ઉપસર્ગમાં વેહાનસ ગાર્ધ પૃષ્ઠ વિગેરેથી મરણ થાય તેમાં કાળ પર્યાયજ છે. અર્થાત્ જેવી રીતે વ્યક્ત પરિણા વિગેરેનું મરણ ગુણવાળું છે, તેમ આ કાળ પર્યાયના મરણ જેવું વેહાનસ વિગેરે મરણ લાભદાયી છે. ઘણા કાળ પર્યાયમાં જેટલું કર્મ આ સાધુ ખપાવે છે, તેટલુંજ આવા સમયમાં થડા કાળમાં કર્મ ક્ષય કરી નાંખે છે તે બતાવે છે. તોડપિ વેહાનસ વિગેરેથી મરનારે પણ ફકત ભક્ત પરિજ્ઞા વિગેરે કરનારો નહિ પણ આ સાધુ વેહાનસ વિગેરે મરણમાં (વિગતિ થrrણતિ) વિશેષ પ્રકારે અંત. કિયા કરનાર તે વ્યતિકારક છે તેવાને તેવા સમયમાં વેહાન સાદિ મરણ ઉ, સર્ગજ માગે છે. કારણ કે, આવું અકાળ મરણ જે અપવાદ રૂપ છે, તેના વડે મરેલા અનંતા સિદ્ધ પૂર્વે થયા અને થશે. ઉપસંહાર કરવા કહે છે કે, આ ઉપર બતાવેલું વેહાનસ વિગેરે મરણ મેહ દૂર થયેલા સાધુઓની કર્તવ્યતાથી આયતન (આશ્રય) છે, અને અપાય દૂર કરતું હોવાથી હિત છે. જન્માંતરમાં પણ સુખ આપનાર હોવાથી સુખ છે. તથા કાળ આવેલ હોવાથી ક્ષમ (યુક્ત) છે. તથા, કર્મ ક્ષય કરનાર હેવાથી નિશ્રેયસ છે. તથા, પુણ્યને અનુગમ ઉપાર્જન કરવાથી આનુગમિક છે, આ પ્રમાણે સુધમાં સ્વામી કહે છે–ચોથે ઉદેશ સમાપ્ત.