Book Title: acharanga sutra part 04
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyan Bhandar

View full book text
Previous | Next

Page 308
________________ (૨૯૩) सुबहुंपि सुअम धीतं, किं काहि चरण विप्प हण (હિ ? अंधस्स जह पलित्ता, दीव सत सहस्त कोडिवि ॥ - ઘણાએ સિંદ્ધાંત ભયે હેય, પણ જે ચારિત્રહિત હોય તે તે શું કરી શકે ? જેમકે ઘરમાં લાખો કરોડો દીવા કર્યા હોય તે પણ અંધ કેવી રીતે કાર્ય સિદ્ધ કરી શકે?, અર્થાત્ દેખવાની ક્રિયામાં વિફલ હોવાથી તેને દીવા નકામા છે. વળી ક્ષાપશમિક જ્ઞાનથી કિયા પ્રધાન છે, એમ નહિ, પણ ક્ષાયિક જ્ઞાનથી પણ ક્રિયા પ્રધાન છે, જેમકે જીવ અજીવ વિગેરે સંપૂર્ણ વસ્તુ પરિચ્છેદક કેવળજ્ઞાન વિદ્યમાન હોય, પણ જ્યાં સુધી ક્રિયા સમાપ્ત કરનારૂં અગી ગુણસ્થાનનું ધ્યાનરૂપ ક્રિયાપણું ન ફરસે, ત્યાં ત્યાં સુધી ભવ ધારણીય કર્મને ઉછેદ થાય નહી, અને તેને ઉછેદ ન થવાથી મેક્ષ પ્રાપ્તિ પણ ન થાય, માટે જ્ઞાન પ્રધાન નથી, પણ ચરણની ક્રિયામાં આલોક અને પરલેકના ઇચ્છિત ફળની પ્રાપ્તિ છે, માટે તે ક્રિયાજ પ્રધાન ફળને અનુભવે છે. ( આ પ્રમાણે જ્ઞાન વિના સમ્યક ક્રિયાને અભાવ છે. અને તે ક્રિયાના અભાવથી અર્થ સિદ્ધિ માટે જ્ઞાનનું વૈફલ્ય છે, આ પ્રમાણે બંને નયવાળે પિતાના નયની સિદ્ધિ કરી તેથી સામાન્ય બુદ્ધિવાળા શિષ્ય વ્યાકુલ મતિવાળો બનીને ગુરૂને પૂછે છે કે આમાં સત્ય તત્વ શું છે?

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312